દાદાને પોપકોર્નનો શણગાર
અધિક શ્રાવણ માસના મંગળવાર નિમિત્તે દર્શન
- Advertisement -
વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિકમાસના પવિત્ર મંગળવારે તારીખ 08-08-2023ના રોજ દાદાને દિવ્ય વાઘા એવમ્ પોપકોર્નનો શણગાર કરાયો છે. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી ડિ. કે. સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, અધિક શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રીસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ હતી.