આપણા સનાતન વૈદિક ધર્મનાં શાસ્ત્રો હોય કે કુરાને શરીફ હોય કે બાઈબલ હોય. દરેક ધર્મનાં શાસ્ત્રોમાં જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે એ બધું સૂત્રાત્મક સ્વરૂપમાં જોવા મળે છે. આવું શા માટે? કોઈ પણ ધર્મના મહાન સંતો, પયગંબરો કે અવતારી મહાપુરુષો વર્ષો સુધી તપ કર્યા પછી જે ચિત્તનો વિકાસ સાધે છે અને પછી જે જ્ઞાન લાધે છે એ બહુ ’ભજ્ઞક્ષમયક્ષતયમ’ ફોર્મમાં આપણા માટે રજૂ કરે છે. એક નાનકડું સૂત્ર અથવા શ્લોકની અડધી પંક્તિ લખવા માટે આપણા ઋષિમુનિઓએ બાર બાર વર્ષનાં તપ કર્યાં હોય છે. તો એ સૂત્ર સમજવા માટે પણ આપણે કેટલીક પાત્રતા કેળવવી પડે છે. એ લોકોએ જ્ઞાનનો અર્ક આપણને પીરસી દીધો છે, પણ એ અર્ક પીવા માટે આપણે ચિત્તની ઉત્ક્રાંતિ સર્જીને એ ઋષિમુનિઓની કક્ષા સુધી પહોંચવું આવશ્યક છે. જે લોકોને આ સૂત્રાત્મક જ્ઞાન સમજવામાં તકલીફ પડે છે એમનો માર્ગ આસાન કરવા માટે આ શ્લોકો, ઋચાઓ અથવા તો સૂત્રો ઉપર વિદ્વાનો અને પંડિતોએ અનેક ટીકાઓ અને ભાષ્યો રચ્યાં છે. પૂ. શ્રી નાથાભાઈ કહેતા કે ઉચ્ચતર ભૂમિકા પરથી આવેલું જ્ઞાન અંત:પ્રજ્ઞા દ્વારા લખાયેલું હોય છે, માટે હંમેશાં સૂત્રાત્મક હોય છે.
ઉચ્ચતર ભૂમિકા પરથી આવેલું જ્ઞાન અંત:પ્રજ્ઞા દ્વારા લખાયેલું હોય છે

Follow US
Find US on Social Medias