એફોર્ડેબલ હાઉસિંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીનની કાયદા 63 AAA હેઠળ પરવાનગી સરકાર આપશે: રૂપાણી
રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાયહેડ-ક્રેડાઇ આયોજીત 1પમાં પ્રોપર્ટી શો નું વર્ચ્યુઅલ ઉદઘાટન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. કોરોના સંક્રમણના આ કપરાકાળમાં દેશભરમાં આવો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ક્રેડાઇ દ્વારા તા.17 થી રપ ઓકટોબર દરમ્યાન યોજાઇ રહ્યો છે. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ-મકાન નિર્માણ દ્વારા માનવીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય, સુવિધાસભર અને ગુણવત્તાયુકત આવાસ મળે તે માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પરિપાટીએ ઇઝ ઓફ લિવીંગને પણ સરકારે મહત્વ આપ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યુ કે, પારદર્શીતા અને ઇમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે ૠઉઈછના નિયમો સહિતની આંટીઘૂંટીઓ દૂર કરી સરળીકરણ અને મોકળાશ આ સરકારે કરી આપી છે. નિયમો-કાયદાઓ પ્રજાને ટેન્શન આપનારા નહિં પરંતુ શાંતિ, મોકળાશ આપનારા બને તેવો અભિગમ અપનાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર0રર સુધીમાં હરેક વ્યકિતને ઘરનું ઘર આપવાની જે ખેવના રાખી છે તેમાં એફોર્ડેબલ હાઉસીંગ સેકટર દ્વારા ગુજરાત લીડ લેશે તેવી નેમ વ્યકત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ આવા એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન અને મદદ મળે તે માટે આ અવસરે કેટલીક જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આના પરિણામે હવે, લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતા થશે.
મુખ્યમંત્રી રૂપાણીએ એવી પણ જાહેરાત કરી કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 અઅઅ હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે. વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ ઋજઈં બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ ઋજઈં વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ મુખ્યમંત્રીએ બાંધકામ ઉદ્યોગની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી આ ઋજઈં સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ નોન ટી.પી એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું.