ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અને માહોલ જામ્યો હોય તેમ રાજકીય પક્ષોના આગેવાનો અને નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી આ 10 દિવસમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં યોજાનાર પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 11 મીએ બપોરે રાજકોટ ખાતે પહોચશે સાંજે સભા સંબોધો અને રાત્રી રોકાણ કરશે.
રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તા. 11 ને બુધવારના રોજ રાજકોટની મુલાકાત કરશે તેમનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેમાં તા. 11 મીને બુધવારના રોજ બપોરે 2.45 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવશે અને ત્યાથી હોટેલ ઈમ્પીરીયલ પહોચે હોટેલમાં શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, આરોગ્ય સહિતના વિવિધ સંગઠનો અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણ કરવામાં આવશે. વધુમાં ગુલાબસિંહે જણાવ્યું હતું કે, સાંજે સાત વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ જનસંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓને સંબોધશે. સભા પૂરી કર્યા બાદ સીધા હોટેલ ઈમ્પીરીયલમાં રાત્રી રોકાણ કરશે અને બાદ સવારે દિલ્હી, જવા રાજકોટ એરપોર્ટ ખાતેથી રવાના થશે. સભા બાદ ઈમ્પીરીયલ હોટેલ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાના નેતાઓ સાથે બેઠક કરી અને હોદેદારોને માર્ગદર્શન આપશે. શાસ્ત્રી મેદાનમાં સાભા સ્થળે આપના નેતાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ગુલાબસિંહ યાદવે કહ્યું કે અમે ગુજરાતમાં થતા ભ્રષ્ટાચાર અને તાનાશાહી સામે લડીશું અમારો જીવ જશે તો પણ તેની દરકાર નથી પરંતુ અમે પ્રજાના હિતમાં લડતા રહેશું.
કોઈના ઈશારે તંત્ર અડચણ
ઉભી કરશે તો આંદોલન કરીશું: ઈન્દ્રનીલ, ગોપાલ ઇટાલિયા
- Advertisement -
અરવિંદ કેજરીવાલની સભાને લઈ અમે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે કે, ભાજપના કાર્યક્રમમાં જેટલી છુટ આપવામાં આવે છે. એટલી જ છુટથી અમે કાર્યક્રમ આપીશું અને જો કોઈના ઈશારે તંત્ર દ્વારા અમારા કાર્યક્રમમાં અડચણ ઉભી કરશે તો જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યા સુધી આંદોલન કરીશું તેમ આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ હુંકાર કરતા જણાવ્યું હતું. વધુમાં પત્રકાર પરિષદ દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપના યુવા કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલ ઉપર હુમલો થશે તેવી ભીતિ વર્ણવી હતી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પોલીસ કમિશનરને વિનંતી કરી ભાજપના તોફાની વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવા જણાવ્યું.