કેજરીવાલની આખી રાજનીતિ મફતીયાવેડા પર ચાલે છે : આ માણસ જો વડાપ્રધાન બની જાય તો પેટ્રોલ અને ઘઉં-ચોખા પણ નિ:શુલ્ક કરી નાંખે અને ભારતને બીજો વેનેઝુએલા બનાવી નાંખે
– કિન્નર આચાર્ય
તમે અરવિંદ કેજરીવાલનો પેલો વિડીયો જોયો – જેમાં તેઓ દિલ્હી વિધાનસભામાં ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ વિશે બોલી રહ્યા છે? અત્યાર સુધી ડઝનબંધ ફિલ્મો માટે આ મહાશયએ ‘મસ્ટ વોચ’ લખી ને ટ્વિટર પર પોસ્ટ કરી છે, તેમની દિલ્હી સરકારે અનેક ફિલ્મો ટેક્સ ફ્રી કરી છે. એ એકપણ ફિલ્મ મેકરને તેમણે તેમની ફિલ્મ યુટ્યુબ પર મૂકી દેવાની સલાહ નથી આપી, વિવેક અગ્નિહોત્રીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે આપી. આ માણસને ઓળખી લો. જો નહીં ઓળખો તો પસ્તાવા માટેનો મોકો પણ નહીં મળે. કાશ્મિરી પંડિતોનાં રેફ્યુજી કેમ્પમાં જઈ ને તેમનાં દર્દ દૂર કરવાની વાત તો દૂર રહી, તેમની વ્યથાકથા રજૂ કરતી ફિલ્મ સામે પણ તેમને વાંધો છે.
મને ભયંકર અફસોસ છે કે, અન્ના આંદોલન વખતે મેં આ માણસ પર પોઝિટિવ લેખ લખ્યા હતાં. હું તો એ સમયે છેતરાઈ ગયો હતો. તમે છેતરાશો નહીં. 2022ની ચૂંટણી નજીક છે. અહી આપેલા ફોટોમાં દેખાતું અટ્ટહાસ્ય એ પંડિતોનાં મોતની ક્રુરત્તમ મજાક છે, હિન્દુઓને પણ આ દૈત્યહાસ્ય દ્વારા પડકાર છે કે, “હું તમારી જ ઘોર ખોદીશ,
છતાં તમે મને મત આપશો. કારણ કે, તમે બેવકૂફ છો!”
- Advertisement -
ઘણાં પૂછે છે: …તો કેજરીવાલ જીતે છે કેવી રીતે? જવાબ છે: મફતીયાં રાજનીતિને કારણે. સરેરાશ હિન્દુ રાષ્ટ્રભાવના કરતાં વધુ મહત્ત્વ મફત વીજળીને અને મફત પાણીને આપે છે. કેજરીવાલની આખી રાજનીતિ આ મફતીયાવેડા પર ચાલે છે. આ માણસ જો વડાપ્રધાન બની જાય તો પેટ્રોલ અને ઘઉં-ચોખા પણ નિ:શુલ્ક કરી નાંખે અને ભારતને બીજો વેનેઝુએલા બનાવી નાંખે.
દેશદ્રોહીઓ, આતંકવાદીઓ, ટુકડે-ટુકડે ગેન્ગ, લેફ્ટિસ્ટ લિબરલ્સ પ્રત્યે કેજરીવાલનો પ્રેમ જાણીતો
દેશદ્રોહીઓ, આતંકવાદીઓ, ટુકડે-ટુકડે ગેન્ગ, લેફ્ટિસ્ટ લિબરલ્સ પ્રત્યે કેજરીવાલનો પ્રેમ જાણીતો છે. એમને “ધ કાશ્મીર ફાઈલ્સ સામે વાંધો છે પરંતુ ડાબેરીરાણી સ્વરા ભાસ્કરની અરવિંદ કેજરીવાલે અનેક વખત અનેક ફિલ્મોનો પ્રચાર કર્યો છે. તેણે તાજેતરમાં જ કબીર ખાન દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહની ‘83’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી બનાવી. જુલાઈ 2016માં, તેણે લોકોને ફિલ્મ ‘મદારી’ જોવાની સલાહ આપતી વખતે ઈરફાન ખાન માટે ‘છા ગયે’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઑક્ટોબર 2014 માં, તેણે પરિવાર સાથે હૃતિક રોશનની ‘બેંગ બેંગ’ જોઈ હતી અને કહ્યું હતું કે બાળકોને તે ખૂબ ગમ્યું.
તેમણે આ ફિલ્મના સંગીતકાર વિશાલ દદલાનીને પણ અભિનંદન પાઠવ્યા હતા. અઅઙનો હિસ્સો રહેલા વિશાલ દદલાનીએ ઘણી ચૂંટણીઓમાં પાર્ટી માટે પ્રચાર પણ કર્યો હતો. એપ્રિલ 2016માં તેણે સ્વરા ભાસ્કરની ‘નીલ બટ્ટે સન્નાટા’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી કરી. જુલાઈ 2017માં તેણે શ્રીદેવીની ‘મોમ’ના વખાણ કર્યા હતા. ઓગસ્ટ 2013માં તેને પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’ પસંદ આવી હતી. પ્રકાશ ઝા પણ એલજેપી અને જેડીયુમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે.
એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે જુલાઈ 2015માં ફિલ્મ ‘મસાન’ને ‘મસ્ટ વોચ’ ગણાવી હતી. આ પહેલા તેણે હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવતી આમિર ખાનની ફિલ્મ ‘પીકે’ના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે એક નાજુક વિષયને સચોટ રીતે બતાવવામાં આવ્યો છે. નવેમ્બર 2015માં તેને ‘વન્સ અપોન અ ટાઈમ ઇન બિહાર’ ગમ્યું હતું. ઓક્ટોબર 2017માં તેને આમિર ખાનની ‘સિક્રેટ સુપરસ્ટાર’ પણ પસંદ આવી હતી.
- Advertisement -
તેણે ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની ‘કીર્તિ’ને ખૂબ જ રસપ્રદ ફિલ્મ ગણાવી હતી. ફેબ્રુઆરી 2016માં સોનમ કપૂરની ‘નીરજા’ને ખૂબ જ પ્રેરણાદાયી ફિલ્મ તરીકે વર્ણવી હતી. એ જ રીતે, તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’ને ઑક્ટોબર 2019માં દિલ્હીમાં કરમુક્ત જાહેર કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ તમામ લોકો સુધી પહોંચવી જોઈએ. શું તેણે ક્યારેય પૂછ્યું છે કે આ ફિલ્મમાંથી શૂટર્સને કેટલા પૈસા આપવામાં આવ્યા?
અરવિંદ કેજરીવાલે માર્ચ 2015માં અક્ષય કુમારની ‘ગબ્બર ઈઝ બેક’ જોવાની લોકોને તેમણે સલાહ આપી હતી. માર્ચ 2018માં, તેમણે ‘મૈને ગાંધી કો કયું મારા’ જોયું હતું અને તેને આજના સમયમાં પ્રાસંગિક હોવાનું પણ કહ્યું હતું. જૂન 2016માં શાહિદ કપૂરની ‘ઉડતા પંજાબ’ જોયા બાદ તેણે ત્યાંની સ્થિતિને ખૂબ જ ખરાબ ગણાવી હતી. તો પછી કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પર બનેલી ફિલ્મમાં શું વાંધો છે?
વાંધો એ છે કે, તેમાં હિંદુઓની વ્યથાની ધ્રુજાવી દેતી કથા છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આવો નરસંહાર કદી થયો નથી અને કોઈ પ્રજાની આવી સામુહિક હકાલપટ્ટી પણ નથી થઇ. આ ક્રૂર ઐતિહાસિક તથ્યને જાણવું એટલા માટે પણ જરૂરી છે કે, તેમાં ક મહાન બોધ છુપાયેલો છે. ફિલ્મમાં જે નથી કહેવાઈ એ વાત પણ સમજવા જેવી છે: જો હિન્દુઓ સહિષ્ણુતાનાં ભજન ગાતા રહેશે તો ભવિષ્યમાં ભૂતકાળનું પુનરાવર્તન થઇ શકે છે. કાશ્મીરી પંડિતો પણ અંધારામાં રહી ગયા. તેમને હતું કે, રોજ આપણે જેમની સાથે ઉઠકબેઠક છે, જે આપણા જ પડોશીઓ છે… એ બધા આપણને કેવી રીતે દગો આપી શકે! પણ, કટ્ટરતા દરેક સંબંધો પર હાવી થઇ ગઈ. કાશ્મીર ફાઈલ્સ અચૂક જોજો અને ઘેર આવી તેનાં પર થોડું મનોમંથન કરજો. ઘણીબધી બાબતોના જવાબ મળી જશે.