નરેન્દ્ર વાઘેલા
જેવા વૃક્ષ નીચેથી ચાલતા થયા એવા તરત જ વૃક્ષની એ સારપને, તેના અસ્તિત્વને ભૂલી જઈએ છીએ
- Advertisement -
તત્કાલીન શહેરોની તો ખબર નહિ પણ ગામડામાં રહેનારા જે વાચકો ત્રીસી-ચાલીસી વટાવી ચૂક્યા છે તેઓને ખ્યાલ હશે કે તેમના બાળપણના સમયમાં શાળાકીય અભ્યાસ દરમિયાન દર શનિવારે ઈતર પ્રવૃત્તિ કે બાલસભાનો તાસ રહેતો. કસરત, લેજીમ, ચિત્રકામ, મોટે મોટેથી ગવાતા જોડકણા, મનગમતા ગીતો, વાર્તાઓ, રમતો અને ધમાલ મસ્તી એટલે શનિવારની બાલસભા. છેક સોમવારથી જ આવનારા શનિવારની રાહ જોવાતી અને તેમાં શીખેલ, સાંભળેલ વાતો આજે પણ એટલી જ તાજી. ત્રીજા ધોરણની આવી જ એક બાલસભામાં સાંભળ્યું હતું કે;
‘તરૂૂવર, સરોવર, સંતજન, ચોથા વરસે મેહ…
પરમારથ ને કારણે, આ ચારેયે ધરિયો દેહ.’
પૃથ્વી પરના દેવ સમાન આ વૃક્ષનો આવો મહિમા પણ આપણને એના ઉછેર માટે પ્રેરણા આપી શકતો નથી. આવું એટલા માટે બને છે કે આપણી જરૂૂરિયાતો એજ આપણી લાગણીઓનો આધાર બની ચૂકી છે. આ વાત અત્યારે એટલે યાદ આવી કે ગત એક-બે માસના સમયમાં આપણે ચોતરફ ગરમી ગરમીના પોકારો સાંભળીને કાન પાકી ગયા.
- Advertisement -
ભરબપોરે દૂરથી આવતો કોઈ બાઈક સવાર કે વટેમાર્ગુ રસ્તામાં ક્યાંક ઘટાદાર વૃક્ષ જુએ તો થોડો પો’રો ખાવા જરૂૂર ઉભો રહી જાય. અને તેના છાંયડે ઊભો રહી, પરસેવો લૂછતી વખતે કેટલો હાશકારો અનુભવે છે. કોઈક તો કદાચ વૃક્ષ વાવનારને મનોમન આશીર્વાદ પણ આપતા હોય છે. પરંતુ છેવટે તો આપણને સૌને કોઈ બીજાની વસ્તુ લઈને વાપરવાની ટેવ પડી ગઈ છે. અને બીજાની સુખ-સગવડો અંગે વિચારવાનું કદાચ સાવ ભુલાઈ જ ગયું છે. જેવા વૃક્ષ નીચેથી ચાલતા થયા એવા તરત જ વૃક્ષની એ સારપને, તેના અસ્તિત્વને ભૂલી જઈએ છીએ.
પહેલાના સમયમાં ખેડૂતો વહેલી સવારે પોતાનું કૃષિકર્મ કરે અને બપોરના થોડો સમય ખેતરના શેઢે બાપદાદાએ વાવેલ કોઈ વૃક્ષના છાંયે આરામ કરતા. આજે વધારાના બે ચાસની લ્હાયમાં શેઢાનાં ઝાડવાં શહીદ થઇ રહ્યા છે. શહેરોની સોબતે હવે તો કેટલાય ગામડાઓમાં પણ હવે મોટા-ઘટાદાર વૃક્ષોને શોધવાં પડે છે. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે ? ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે રોડની આજુબાજુની કે સરકારી ખરાબાની જમીનમાં આવેલ નાનીમોટી ટેકરીઓને આપણે નિર્વસ્ત્ર કરી દીધી છે. પાનખરમાં કુદરતી રીતે પાંદડાની માયા ઉતારતા યોગી જેવા વૃક્ષોની માયાથી આપણે તો સાવ વૈરાગી જ બની ગયા.
વૃક્ષ એ તો પરોપકાર અને સહાનુભૂતિનું સાકાર રૂૂપ છે. જેનામાં વૃક્ષ માટે પ્રીતિ નથી એનામાં જીવન પ્રત્યે પ્રીતિ જ નથી એવું મારું અંગત માનવું છે. મિત્રો, એક અવસર આવી રહ્યો છે પોતાની જાતને માણસ હોવાની પ્રતીતિ કરાવવાનો. આ વખતે ચોમાસામાં કમસે કમ એક વૃક્ષ તો ચોક્કસ વાવીશું અને ઉછેરીશું. પર્યાવરણના જતન માટે ફળાઉ, વગડાઉ, ઓસડીયા કે સુશોભન માટેનું અથવા કોઈપણ પ્રકારનું એક વૃક્ષ વાવીને આગામી પેઢી માટે જીવનનો વારસો સજીવન રાખવાનો પ્રયાસ કરીશું.