ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશિયલ ગ્રુપના વિનોદભાઈ ચાંડેગરા, લલીતભાઈ વરૂની એક યાદીમાં નવરાત્રી મહોત્સવ નિમિતે વીવાહ ફાર્મ ખાતે જ્ઞાતિજનો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રોજ બરોજ જ્ઞાતિજનોને ઉપયોગી બનવાના શુભ સંદેશઓ સાથે કંઈક ને કંઈક નવા વિચારોથી મયુર ભાવેશભાઈ ચાંડેગરાએ ભગવાન ભોળાનાથની પ્રતિકૃતિ બનાવેલ તેમજ અવની અશ્વીનભાઈ વાઢેર દ્વારા સરસ મજાના પેન્સિલ વર્કના ચિત્રો બનાવી સુશોભિત કરવામાં આવેલા છે. વિશેષમાં ભાવેશભાઈ ખોલીયાએ જણાવેલ હતું કે, જેમ સોનામાં સુગંધ ભળે તેમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
- Advertisement -
જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી પૂજન કરી રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય ના.પ્રા. જીલ્લા શિક્ષણાધિકારી રમેશભાઈ જેઠવા તથા જ્ઞાતિ અગ્રણીઓ અતુલભાઇ વિસાવાડિયા, પી.એ.ટાંક, ભગવાનજીભાઈ વાળા, હરસુખભાઈ ચાંડેગરા સહિતના લોકોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ આતકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેમાન પદે ડો.ધવલ ગોહિલ, ડો.પ્રતીક ગોહિલ, ડો.ચિંતન મોરી, ડો.વીજય ભાલોડીયા, ડો.નિમીષ હીગરાજીયા, ડો.પ્રશાંત ગવાણીયા, ડો.પ્રતીક ટાંક, ડો.ચિરાગ માકડીયા, મનસુખભાઈ વાજા તથા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સમીર દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્ત દાતાશ્રીઓ દ્વારા 34 બોટલ રક્તનું દાન કરીને રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરેલ હતું. આ તમામ રક્તદાતા શ્રીઓને જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા સુંદર મજાની ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી.