By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    8 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું ‘બેન્ગાલ ફાઇલ્સ’ જોવા જેવી છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શું ‘બેન્ગાલ ફાઇલ્સ’ જોવા જેવી છે?
Author

શું ‘બેન્ગાલ ફાઇલ્સ’ જોવા જેવી છે?

Khaskhabar Editor
Last updated: 2025/09/09 at 5:00 PM
Khaskhabar Editor 1 month ago
Share
15 Min Read
SHARE

સૌરભ શાહ

‘બેન્ગાલ ફાઇલ્સ’ કોઈ કાળે મુસ્લિમવિરોધી ફિલ્મ નથી

- Advertisement -

આ ફિલ્મમાં મુસ્લિમ નેતાઓએ પોતાના સમર્થકોને ઉશ્કેરીને કરાવેલા હિન્દુવિરોધી કારસ્તાનોનું બયાન છે જે ઐતિહાસિક સત્ય છે

હિન્દી સિનેમાની દુનિયામાં આટલી બોલ્ડ ફિલ્મ હજુ સુધી નથી બની. આટલી ટ્રુથફુલ ફિલ્મ હજુ સુધી નથી જોઈ. આટલી હાર્ડ હિટીંગ ફિલ્મ હજુ સુધી નથી આવી.
સ્વામી સચ્ચિદાનંદે દાયકાઓ પહેલાં ‘વીરતા પરમો ધર્મ’નું નવું સૂત્ર આપણને આપ્યું તેની પાછળનાં કારણો કદાચ આ ફિલ્મમાં બતાવેલાં તથ્યો હોઈ શકે છે.
વિવેક રંજન અગ્નિહોત્રીએ ફરી એકવાર પાંચમાંથી પાંચ સ્ટાર આપવા પડે એવી ફિલ્મ બનાવી છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ અને ‘વેક્સિન વોર’ એક વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે અને ગઈકાલે રિલીઝ થયેલી ‘બેન્ગાલ ફાઈલ્સ’ એક કરતાં વધારે વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે.
આ ફિલ્મ ચોંકાવનારી છે, થડકાવનારી છે. શું ખરેખર 1946માં બંગાળમાં આવું બન્યું હતું? ખરેખર આજની તારીખે પણ મમતા બેનરજીના બંગાળમાં આવું બની રહ્યું છે? આવા પ્રશ્ર્નો તમને ફિલ્મ જોતાં જોતાં જો ડગલેને પગલે થતા રહે તો એનો જવાબ જાણી લો: હા.
વિવેક અગ્નિહોત્રીએ એક દળદાર ફાઈલ તૈયાર કરી છે જે ટૂંક સમયમાં પુસ્તક રૂપે રિલીઝ થશે. આ ફાઇલમાં ફિલ્મની દરેકે દરેક ઘટના વિશેના દસ્તાવેજી પુરાવા છે. વિવેકે આ ફાઈલ સેન્સર બોર્ડમાં ‘બેન્ગાલ ફાઈલ્સ’ મોકલી ત્યારે બોર્ડના સભ્યોને આ પુરાવાઓ આપીને ફિલ્મને રિલીઝ માટેની મંજૂરી મેળવી હતી. માટે જો તમને ફિલ્મ જોતાં જોતાં આવા પ્રશ્ર્નો થાય કે પછી કોઈ ચિબાવલા ફિલ્મ રિવ્યુઅર આવા પ્રશ્ર્નો પોતાના રિવ્યુમાં ખડા કરે તો તમારે ફિલ્મમાં દેખાડવામાં આવેલી સચ્ચાઈ પ્રત્યે શંકાશીલ થવાની કોઈ જરૂર નથી.
‘બેન્ગાલ ફાઈલ્સ’ માં બેઝિઝક મમતા બેનરજીના બંગાળમાં થઈ રહેલી બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓની વાત છે. એમને બનાવટી આધાર, બનાવટી મતદાતા આઈડી કાર્ડ અને બનાવટી પાસપોર્ટ બનાવી આપનારા સરકાર સાથે સાંઠગાંઠ ધરાવતા દલાલોનો પણ ઉલ્લેખ છે. બંગાળની ડેમોગ્રાફી બદલાઈ રહી છે- હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, એમની કતલ થઈ રહી છે, તેઓ બીજે નાસી જાય એવી પરિસ્થિતિ ખુદ ત્યાંની સરકાર જ સર્જી રહી છે. સામે પક્ષે બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદને ખુલ્લી મૂકીને અગણિત મુસલમાનોને બંગાળમાં વસાવવામાં આવી રહ્યા છે, ત્યાંની સરકાર પોતાની વોટ બેન્કમાં જંગી ઉમેરો થાય એવું દેશવિરોધી કાવતરું કરી રહી છે. એપ્રિલ 2025માં બંગાળના મુર્શીદાબાદમાં વક્ફને લગતા નવા કાનૂનના વિરોધના બહાને જે હિંસા ભડકાવવામાં આવી તેવી જ હિંસા 1946માં ઝીણા અને સુહરાવર્દીએ ડાયરેક્ટ એક્શન ડેના નામે કલકત્તા અને નોઆખલીમાં આચરી હતી.
‘બેન્ગાલ ફાઈલ્સ’ વર્તમાન અને ભૂતકાળની આ ઘટનાઓને સામસામે મૂકી આપે છે. ક્યારેક તમે લાચાર બનીને ફિલ્મનાં દ્રશ્યો જોતા રહો છો, ક્યારેક ગુસ્સામાં મુઠ્ઠી ભીડો છો, ક્યારેક તમારા મોઢામાંથી ‘શાબાશ’ નીકળી જાય છે, ક્યારેક તમારી આંખ ભીની થઈ જાય છે, ક્યારેક હિન્દુઓએ ભોગવેલી યાતનાના દ્રશ્ર્યો જોઈને તમારી આંખ મીંચાઈ જાય છે, કમકમાં છૂટી જાય છે.
ફિલ્મમાં કોઈપણ સારી ફિલ્મની જેમ અનેક પ્રતીકો છે. ભારતી બેનરજી ભારતમાતાનું પ્રતીક છે જેના પર આઝાદી પહેલાં ખૂબ અત્યાચાર થયા પછી હવે એની યાદદાશ્ર્ત ઝાંખી થઈ ગઈ છે. એના હાથ પર મુસ્લિમોએ ચાકુથી મુસ્લિમ નામ ખોદી નાખ્યું છે- આયેશાજાન. પલ્લવી જોષી આ પાત્ર ભજવે છે.
મિથુન ચક્રવર્તીની જીભ કાપી/બાળી નાખવામાં આવી છે, એનું પુરુષ અંગ કાપીને એને નપુંસક બનાવી દેવામાં આવે છે, એ બહાવરો થઈને ભટક્યા કરે છે. મિથુનદા ભારતના લાચાર હિન્દુ નાગરિકનું પ્રતીક છે.
જસ્ટિસ બેનરજી આદર્શવાદી છે, પ્રામાણિક છે, ગાંધીવાદી છે, ખુમારીવાળા સેક્યુલર છે, ન્યાયતંત્રમાં અખૂટ વિશ્ર્વાસ ધરાવે છે. મુસ્લિમોનું ટોળું, એનો સરદાર, જસ્ટિસ બેનરજીના આદર્શો, એના સેક્યુલરિઝમની જે વલે કરે છે તે જોઈને ભારતની ખોખલી બિનસાંપ્રદાયિકતામાં વિશ્ર્વાસ ધરાવતા નાગરિકોની આંખ ખુલી જશે.
1946માં મુસ્લિમોએ કલકત્તા-નોઆખલીને નવા બની રહેલા પાકિસ્તાનમાં ભેળવી દેવા હિન્દુઓની કત્લેઆમ કરી, રાજ્યના મુસ્લિમ મુખ્યપ્રધાને અને નવા પાકિસ્તાનના જન્મદાતાએ મળીને આ કત્લેઆમ કરાવી. કલકત્તા પાકિસ્તાનને મળે એવી યોજના નિષ્ફળ ગઈ કારણ કે બે દિવસ ચાલેલા હિંસાના તાંડવને રોકવા ગોપાલ પાઠા ( મુખરજી) નામનો મા ભારતીનો એક સાચો સિપાહી ઉભો થયો. એણે કલકત્તાના હિન્દુઓને સંગઠિત કર્યા. સૌએ સાથે મળીને ‘ઇંટનો જવાબ પથ્થર’થી આપવાનું શરૂ કર્યું. સુહરાવર્દી અને ઝીણાએ ઘૂંટણિયે પડીને અમનની ઝંડી ફરકાવવાનો ઢોંગ કર્યો અને તેઓ જેહાદનું મેદાન ખસેડીને નોઆખાલી લઈ ગયા જ્યાં હિન્દુઓ માત્ર 20 ટકા હતા. 80 ટકા મુસ્લિમોએ હિન્દુઓનું જાતિ નિકંદન કર્યું. નોઆખલી પૂર્વ પાકિસ્તાનને મળ્યું. આજે એ બાંગ્લાદેશનો હિસ્સો છે.

‘કાશ્મીર ફાઈલ્સ’ અને ‘વેક્સિન વોર’ એક વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે અને ‘બેન્ગાલ ફાઈલ્સ’ એક કરતાં વધારે વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે

- Advertisement -

યુવાન મુજિબુર રહેમાન સુહરાવર્દીના ડાયરેક્ટ એક્શન ડેનો સક્રિય સાથીદાર હતા. હા, આ એ જ શેખ મુજિબુર રહેમાન જેને ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના હીરો બનાવ્યા અને સત્તાપ્રાપ્તિના ત્રણ જ વર્ષમાં મુજિબુરની સરકારે બાંગ્લાદેશમાં એવો આતંક મચાવ્યો કે ભારતમાં 1975 ઇમરજન્સી લાગુ પડી તે વર્ષની 15મી ઓગસ્ટની પરોઢે મુજિબુરની અને એમના મોટા ભાગના પરિવારની એમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી.
તે વખતના કલકત્તા અને નોઆખાલીને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે હજારો હિન્દુઓની કતલ થઈ. આજના બંગાળમાં આવું થતું નથી. બંગાળને-કલકત્તાને પાકિસ્તાનમાં ભેળવી દેવાની કોઈ પ્રવૃત્તિ થતી નથી, ખુદ બંગાળ-કલકત્તાને પાકિસ્તાન બનાવવાની પેરવી થઈ રહી છે. આવું સત્ય ઉજાગર કરતી ફિલ્મને મમતા બેનરજી બંગાળમાં રિલીઝ થવા દે?
વક્ફના નવા કાનૂનને ખોટી રીતે મુસ્લિમવિરોધી ગણાવવામાં આવ્યો અને મમતા બેનરજીએ જાહેર કર્યું કે કેન્દ્ર સરકારનો કાયદો બંગાળમાં લાગુ નહીં પડે! 2025ની 8મી એપ્રિલે મમતાના બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના ઉમરપુરમાં વક્ફના સુધરેલા કાયદા વિરુદ્ધ દેખાવો શરૂ થયા અને 11 તથા 12 એપ્રિલે આ દેખાવો હિંસક બન્યા, કોમી રમખાણોમાં પલટાયા જે આ દેખાવોનો મૂળ આશય હતો. ‘સિમિ’ અને ‘પીએફઆઈ’ જેવા બાન થયેલા આતંકવાદી સંગઠનોનો એમાં હાથ હતો એવું કલકત્તા હાઇકોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ અને નાગરિકી હક્ક માટે લડતાં સંગઠનોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે. આ કોઈ આપોઆપ થયેલાં તોફાનો નહોતાં, યોજનાપૂર્વક થયેલાં રમખાણો હતાં જેમાં મુસ્લિમોએ હિન્દુઓની હત્યા કરી. જે મુસ્લિમ માર્યા ગયા તે પોલીસની ગોળીથી મર્યા. મુસ્લિમોએ પોલીસને પણ ડરાવ્યા. 18 પોલિસો ઘાયલ થયા. હિન્દુઓએ મુર્શીદાબાદ છોડીને નજીકના માલદા જિલ્લામાં આશરો લીધો. કેટલાકે તો રાજ્ય જ છોડી દીધું, ઝારખંડમાં જતા રહ્યા. કાશ્મીરમાં પંડિતોને ભગાડી મૂકવામાં આવતા એવું જ આજના બંગાળમાં થઈ રહ્યું છે જે 1946ના બંગાળમાં પણ થયું હતું.
બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ લાખોની સંખ્યામાં બંગાળમાં આવી ગયા છે. એમની પાસે પોતાનું ભારતીય નાગરિકત્વ પુરવાર કરવાના દસ્તાવેજો પણ આવી ગયા છે. શું આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે આવેલા મુસ્લિમોને બંગાળની સરકાર રોજીરોટી આપી શકશે? ના. એમાંના ઘણા લોકો હવે બીજા રાજ્યોમાં પ્રસરી જશે. અમદાવાદના ચંડોળા તળાવમાં વર્ષોથી વસી ચૂકેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની બસ્તીને સાફ કરતાં ગુજરાત સરકારની નાકે ફીણ આવી ગયાં હતાં. મમતા બેનરજીની મહેરબાનીથી રોજ હજારો બાંગ્લાદેશીઓ આજની તારીખે પણ ઘુસી રહ્યા છે. તેઓ ગુજરાતની જ નહીં મહારાષ્ટ્રથી માંડીને ભારતના અનેક રાજ્યોમાં પ્રસરીને દરેક શહેરની, દરેક રાજ્યની ડેમોગ્રાફી બદલવાના જીતોડ પ્રયત્નો કરશે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને આ બાબતે ઑલરેડી લાલબત્તી ધરી જ છે અને એને રોકવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે.
‘બેન્ગાલ ફાઈલ્સ’ આવી જ લાલબત્તી ધરનારી ફિલ્મ છે. અત્યાર સુધી હિન્દી સિનેમામાં ક્રિએટિવ લિબર્ટીના નામે ઘણીવાર તથ્યો-હકીકતોને પોતાની સગવડ મુજબ તોડીમરોડીને સત્યને મોળું અને મધુરું બનાવી દેવામાં આવતું. ‘બેન્ગાલ ફાઈલ્સ’માં સત્યની કડવાશને યથાતથ રાખવામાં આવી છે.
એટલે જ આ ફિલ્મને વાંકદેખાઓ પ્રોપગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે. ‘માચીસ’માં આતંકવાદીઓને જસ્ટિફાય કરવામાં આવ્યા ત્યારે શું કોઈએ કહેલું કે ગુલઝારે એજન્ડાવાળી કે પ્રોપગેન્ડા ફિલ્મ બનાવી છે? વિધુ વિનોદ ચોપરાની ‘મિશન કાશ્મીર’ અને ‘શિકારા’ને કોઈએ પ્રોપગેન્ડા ફિલ્મ કહી હતી? બેઉ કાશ્મીરના આતંકવાદને જસ્ટિફાય કરતી ફિલ્મો હતી. ‘રોઝા’, ‘ફિઝા’, ‘ફના’ અને ‘પરઝાનિયા’થી માંડી ‘માય નેમ ઇઝ ખાન’ સુધીની (મણિ રત્નમની ‘બોમ્બે’ સહિતની) ફિલ્મો ભારતના હિન્દુઓને ખોટી રીતે ચીતરતી ફિલ્મો હતી. કોઈએ કહ્યું કે એ પ્રોપગેન્ડા ફિલ્મો હતી?
અને જ્યારે વિવેક અગ્નિહોત્રી મુસ્લિમોના એક વર્ગ દ્વારા હિન્દુ સમાજ પર થયેલા અત્યાચારોની હકીકતો યથાતથ તથા તમારી સમક્ષ રજૂ કરે છે ત્યારે તમને પ્રોપગેન્ડા ફિલ્મ લાગે છે? જો લાગતી હોય તો એ પુરવાર કરે છે કે તમારા લોહીમાં હિન્દુનું લોહી નથી વહેતું, સેક્યુલરિઝમનું લીલું લોહી વહે છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં આ નથી, પેલું નથી, લાંબી છે, ટૂંકી છે, આના ઠેકાણાં નથી, તેના ઠેકાણાં નથી, એક સ્ટાર કે બે સ્ટારને જ લાયક છે એવો અપપ્રચાર કરીને કેટલાક ચોક્કસ ગુજરાતી અને બિનગુજરાતી ફિલ્મ સમીક્ષકોએ અગ્નિહોત્રીના આ પવિત્ર હવનમાં હાડકાં નાખવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ફિલ્મપ્રેમીઓ પોતાને તટસ્થ અને નિરપેક્ષ તરીકે પ્રોજેક્ટ કરવા વખાણોની વચ્ચે બે લાઈનો ટીકાની કે ટીકાની વચ્ચે બે લાઈનો વખાણની લખીને પ્રેક્ષકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છે.
‘બેન્ગાલ ફાઈલ્સ’ લાલબત્તી ધરનારી ફિલ્મ છે, અત્યાર સુધી હિન્દી સિનેમામાં ક્રિએટિવ લિબર્ટીના નામે ઘણીવાર તથ્યો-હકીકતોને પોતાની સગવડ મુજબ તોડીમરોડીને સત્યને મોળું અને મધુરું બનાવી દેવામાં આવતું, ‘બેન્ગાલ ફાઈલ્સ’માં સત્યની કડવાશને યથાતથ રાખવામાં આવી છે

વક્ફના નવા કાનૂનને ખોટી રીતે મુસ્લિમવિરોધી ગણાવવામાં આવ્યો અને મમતા બેનરજીએ જાહેર કર્યું કે કેન્દ્ર સરકારનો કાયદો બંગાળમાં લાગુ નહીં પડે!

હિન્દુ પ્રજા ભીરુ છે એવું કહેવાય છે. આપણી સમજદારી, આપણી સહનશીલતાને ભીરુતા ગણી લેવામાં આવી છે. રાષ્ટ્રના સળગતા પ્રશ્ર્નોને હેડઓન લઈને વિધર્મીઓનો ખોફ ક્યાં વહોરી લેવો, આપણે તો આપણી રોજીરોટી-પ્રતિષ્ઠા સાચવીને બેસી રહેવાનું હોય, કોઈની સાથે માથાકૂટ કરીશું તો આપત્તિ ઊભી થશે, જોખમો આવશે, જિંદગીમાં વિઘ્નો નડશેઆવી માનસિકતા મોટા ભાગના (બધા નહીં, મોટા ભાગના) હિન્દુઓની છે. ગુજરાતીઓની તો છે જ છે. 2014 પછી માહોલ બદલાયો છે. સુખી, પ્રતિષ્ઠિત અને વગદાર નાગરિકો પણ હવે રાષ્ટ્રના પ્રશ્ર્નો વિશે ખુલ્લેઆમ પ્રગટ રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. આવું લખું છું કારણ કે મેં કાલે જ આનું ઉત્તમ ઉદાહરણ જોયું.
‘બેન્ગાલ ફાઇલ્સ’ હું ગઈકાલે ફર્સ્ટ ડે ફસ્ટ શોમાં જોવા જવાનો હતો. કયા થિયેટરમાં ટિકિટ બુક કરું તે નક્કી થાય તે પહેલાં મને સાંજે સાડા પાંચ વાગ્યે વરલીના પેલેડિયમમાં આવેલા પીવીઆરના સ્ક્રીન નંબર 5માં યોજાયેલા પ્રાઇવેટ શોનું આમંત્રણ મળ્યું. આ શો મુંબઈના ટોચના નેત્ર-ચિકિત્સક ડો. કુલીન કોઠારીએ ગોઠવ્યો હતો. મોરારીબાપુથી માંડીને શાહરુખ ખાન સુધીના મહાનુભાવોની આંખની કાળજી એમણે લીધી છે. મુંબઈના અનેક ધનપતિઓનો સાથ લઈને અને પોતાના ગાંઠના ઉમેરીને એમણે અત્યાર સુધીમાં અમુક લાખ ગરીબોની મફત સારવાર પણ પોતાના ફાઉન્ડેશન દ્વારા કરી છે. આ બધું તમને એટલા માટે જણાવવાનું કે કુલીનભાઈની કક્ષાએ પહોંચેલી વ્યક્તિ આવા પ્રશ્ર્નો વિશે ભાગ્યે જ જાહેરમાં ગળું ખોંખારીને બોલે. કોઈને ખબર પડશે તો પોતાની પ્રતિષ્ઠા, વગ કે અન્ય બાબતોને વિધ્નસંતોષીઓ જોખમમાં મુકશે એવો ડર આ કક્ષાની સેલિબ્રિટીને રહે એ સ્વાભાવિક છે. એમણે પોતાના ઘરના પ્રાઇવેટ થિયેટરમાં પાંચ-પચીસ જણને બોલાવીને આ ફિલ્મ દેખાડવાને બદલે જાહેરમાં શો ગોઠવ્યો. આ એમની નૈતિક હિંમતનો પુરાવો છે. રાષ્ટ્ર માટેનું કામ કરવામાં ડરવાનું ના હોય.
ડો. કુલીન કોઠારીના આ હાઉસફુલ શોમાં અંદાજે 300 ગુજરાતી અને બિન ગુજરાતી પ્રેક્ષકો હતા. આમાંના અડધો અડધ પ્રેક્ષકો એવા હતા જેઓ કુલીનભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું આમંત્રણ ના હોત તો ક્યારેય ‘બેન્ગાલ ફાઈલ્સ’ જેવી (‘પ્રોપગેન્ડા’) ફિલ્મ જોવા ગયા જ ના હોત.
આપણે પણ આ જ કરવાનું છે. આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને, આપણી પ્રતિષ્ઠા-વગ વગેરેને દાવ પર લગાડીને, જે સાચું છે તેને સાથ આપવાનો છે બુલંદ અવાજે સાથ આપવાનો છે, ગાંઠના પૈસા ખર્ચીને સાથ આપવાનો છે. આ વીકએન્ડમાં જ ફિલ્મ જોવા જવાનું છે અને સાથે બને એટલા મિત્રો-સ્વજનો-પરિવારજનો-પડોશીઓ-ઓફિસ કલિગ્સને પણ લઈ જવાના છે. ખાસ કરીને કોલેજીયનોને આ ફિલ્મ બતાવવા વિનંતી.
વક્ફનો સુધારેલો કાયદો કે પછી સીએએ અને એનઆરસી મુસ્લિમવિરોધી નથી. આમ છતાં કેટલાક દેશદ્રોહી તત્વો મુસ્લિમ પ્રજાને ઉશ્કેરવા આ કાયદાઓ મુસ્લિમવિરોધી છે એવો અપપ્રચાર કરે છે. આ જ તત્વો તમને કહેશે કે ‘બેન્ગાલ ફાઇલ્સ’ મુસ્લિમવિરોધી છે.
‘બેન્ગાલ ફાઇલ્સ’ કોઈ કાળે મુસ્લિમવિરોધી નથી. એમાં મુસ્લિમ નેતાઓએ પોતાના સમર્થકોને ઉશ્કેરીને કરાવેલા હિન્દુવિરોધી કારસ્તાનોનું બયાન છે જે ઐતિહાસિક સત્ય છે. આવા બનાવોને રજૂ કરતી વખતે જો તમે મુસ્લિમોના વાંકને છાવરો તો તે મુસ્લિમ અપીઝમેન્ટ છે, મુસ્લિમોની આળપંપાળ કરવા બરાબર છે. ‘બેન્ગાલ ફાઇલ્સ’ મુસ્લિમોના (કે પછી અગાઉની કેટલીક ફિલ્મોમાં જેમ આતંકવાદીઓ માટે કરવામાં આવતું એવા) અપીઝમેન્ટ માટે નથી બનાવવામાં આવી એટલે એનો અર્થ કાંઈ એવો નથી કે એ મુસ્લિમવિરોધી ફિલ્મ છે. જ્યાં એ કોમનોએમના રાજનેતાઓનો, એમના ગુંડાઓનો, એમના સમર્થકોનોવાંક છે તેને ઉજાગર કરવામાં નોર્મલી હિન્દી ફિલ્મવાળા ડરતા હોય છે, વિવેક અગ્નિહોત્રીએ આવો કોઈ ડર રાખ્યા વિના સત્ય તમારી સામે રજૂ કરવાની હિંમત દેખાડી છે.
ફિલ્મ જોતી વખતે આપણે ચાંપલા રિવ્યુઅર જેવા નથી બનવાનું કે અહીં આ નથી, ત્યાં તે નથી. કોઈ ખોડખાંપણ શોધવાને બદલે વિવેકે બહાદુરીપૂર્વક જાનનું જોખમ લઈને બનાવેલી ફિલ્મમાં રજૂ થતી દૃશ્ર્યાવલિઓને સમજવાની છે. જે સત્ય આપણાં પાઠ્યપુસ્તકો તૈયાર કરનારા ડાબેરી મુસ્લિમપરસ્ત ઇતિહાસકારો-શિક્ષણકારોએ આપણાથી છુપાવ્યું તેને સિલ્વર સ્ક્રીન પર રજૂ થતાં જોવાનું છે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાઓ કોણે શરૂ કરી, કોણ એનો ભોગ બન્યું-બની રહ્યું છે એ વિશેનો આ સાડાત્રણ કલાકનો માસ્ટર ક્લાસ છે.
વિવેક અગ્નિહોત્રી કંઈ કરણ જોહર નથી. તમને ગલગલિયાં કરતી ફિલ્મો બનાવીને કરોડો રૂપિયા કમાઈ શકે એવી સર્જનાત્મક અને ટેક્નિકલ ક્ષમતા વિવેક અગ્નિહોત્રી પાસે છે. પણ એમનો ઉદ્દેશ ભારતની પ્રજાની આંખ ઉઘાડવાનો છે. ભારતની સમસ્યાઓ કોણે કેવી રીતે સર્જી એ વિશે તેઓ ફિલ્મના માધ્યમથી, રિસર્ચ કરેલી સ્ટોરી-સ્ક્રીન પ્લેના માધ્યમથી, તમને બે વાત કહેવા માગે છે.
‘બેન્ગાલ ફાઈલ્સ’ જેવી બેધડક વાત કરતી ફિલ્મથી ગુજરાતી જ નહીં ભારતની દરેક ભાષાના નપાવટ ઉકરડાઓ તમને પ્રકાશમાંથી ઊંડા અંધારામાં ધકેલી દેવાના ધમપછાડા કરશે, કરી રહ્યા છે.

વિવેક અગ્નિહોત્રી કંઈ કરણ જોહર નથી, તમને ગલગલિયાં કરતી ફિલ્મો બનાવીને કરોડો રૂપિયા કમાઈ શકે એવી સર્જનાત્મક અને ટેક્નિકલ ક્ષમતા વિવેક અગ્નિહોત્રી પાસે છે, પણ એમનો ઉદ્દેશ્ય ભારતની પ્રજાની આંખ ઉઘાડવાનો છે
વાસ્તે, ફરી એકવાર, સાવધાન.

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: Bengal Files
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સદાદિયાનાં સંગઠનનું શાળા નં.20-ઇમાં ગેરકાયદે કાર્યાલય
Next Article સૌરાષ્ટ્રની નામાંકિત સિમેન્ટ ફેક્ટરીમાંથી કોલસા ચોરી કરવામાં (ભોળા) ભાઈનો રોલ શું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?