જૂનાગઢની વ્યથા મુદ્દે ટૂંકમાં ઘણું કહી ગયા CM
વોંકળા દબાણ સહિત ભુગર્ભ ગટર અને ખરાબ રોડ મુદે મંચ પર ચર્ચા કરતા સીએમ: નેતા અને તંત્ર કેટલી ગંભીરતા લેશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અનેક વિદ કાર્યક્રમાં ઉપસ્થીત રહીને કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યા હતા.
જેમા જૂનાગઢ શહેરમાં વરસાદના પાણીથી થયેલ તારાજીના કારણે વોકળા પરના દબાણોનો મુદ્દો ચર્ચામા રહ્યો હતો તેની સાથે શહેરમાં ચાલતા ભુગર્ભ ગટરના કામના લીધે રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળતાં જે બાબતે મુખ્યમંત્રીએ ટાઉનહોલના મંચ પર જાહેરમાં ચર્ચા કરી હતી
ગઇકાલ પધારેલ મુખ્યમંત્રીએ મંચ પરથી હસતા ચહેરે વોકળા પર થયેલ દબાણ મુદે કલેક્ટર તેમજ કમિશનર સાથે મેયર અને ડે.મેયર ને મંચ પરથી માર્મિક ટકોર કરી હતી તેની સાથે ભુગર્ભ ગટર માટે રાજ્ય સરકારે ઘણું કર્યુ છે અને વેહલું કામ પુર્ણ થાય અને શહેરનાં રસ્તા વેહલી તકે સારા બને તેવી પણ શહેરીજનો હૈયા ધારણ આપી હતી આમ શહેરીજનો ઘણા સમયથી ભૂગર્ભ ગટર સાથે બિસ્માર રસ્તા મુદે પરેશાન છે એવા સમયે મુખ્યમંત્રીએ ખુલ્લા મંચ પર મુકત મને ચર્ચા કરતા અધુરા કામને વેગ મળશે અને દિવાળી પેહલા સારા રસ્તાનું નિર્માણ થાય તેવી આશા જાગી છે
ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સીએમ દ્વારા જૂનાગઢ શહેરને 19 વર્ષ મહાનગર પાલિકા ને થયા ત્યારે હવે તો શહેર જેવું લાગવું જોઇએ તેવી પણ વાત કરી હતી.
આમ શહેરની મુખ્ય સમસ્યા વિશે ઘણું ટુંકમાં પણ જાજુ કહી દીધું હતુ હવે તંત્ર અને ચૂંટાયેલ પ્રતિનિધિ કેટલી ગંભીરતા સાથે સીએમની મળેલી સુચનાનું પાલન કરેછે તે જોવાનું રહ્યુ.
- Advertisement -
ગિરનારને મળેલી 114 કરોડની ભેટનું કામ વહેલું શરૂ થાય તેવી આશા
જૂનાગઢ ગરવો ગઢ ગિરનારની ઘણી સમસ્યા જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક રૂ.114 કરોડના ખર્ચે ગીરનારની કાયા પલટ કરવાં માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગીરનાર પર્વત પર પાણી સાથે બેઠક વ્યવસ્થા અને સીડીનો જીર્ણોધાર થાય તેવાં પ્રયાસો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થઇ રહ્યા છે એવા સમયે ગીરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી અને ગીરનાર પર્વત પરના પરીસર આસપાસનો નજારો જોયો હતો ત્યારે હવે ગીરનાર પર્વતની કાયાપલટ વેહલી તકે થસે તેવું સૌ કોઇ આશા રાખી રહ્યા છે.