ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોનાની નેઝલ વેકિસનના પરીક્ષણ આગામી ચાર મહિનામાં પુરા કરી લેવાશે. કંપની તેને બુસ્ટર ડોઝ રસી તરીકે રજુ કરશે. કંપનીનાં ઉચ્ચ પદસ્થ સુત્રો અનુસાર નેઝલ વેકિસનના પહેલા અને બીજા પરીક્ષણ થઈ ચુકયા છે. ચાર મહિનામાં ત્રીજા ચરણના પરીક્ષણ પુરા કર્યા બાદ કંપની લાયસન્સ માટે આવેદન કરશે.
કંપનીનું કહેવુ છે કે નેઝલ વેકિસન શરીરમાં રોગ પ્રતિકારક પ્રણાલીને ઉતેજીત કરે છે.આઈજીજી અને ટીસેલ પ્રતિક્રિયાઓને અસરહીન કરે છે. ઈન્ટ્રનેઝલ વેકિસન સંસ્કમણનાં સ્થળ (નાકના મ્યુકોસા)માં સંક્રમણ અને સંચરણ બન્નેને રોકે છે. જયારે ઈન્જેકશનવાળી રસી સંક્રમણને રોકી નથી શકતી જોકે, તે ગળાની નીચે સંક્રમણને પહોંચવા નથી દેતુ.