છેલ્લા ત્રણેક મહિના થયા બેથી ત્રણ દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
હાલ ખેડૂતોને રવીપાક માટે વાવેતરની સીઝન ચાલુ છે ,ખેડૂતો રવીપાકમાં ઘઉં, ચણા, ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવતેર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત,જંતુનાશક દવાઓના છટકાવની કામગીરી કરવાની હોય છે જેમાં કામગીરી કરતા કરતા સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિના થી આહાબા સિમ વિસ્તારમાં બે થી ત્રણ દીપડાના આટાફેરા વધતા ખેડૂતોમાં ભયની દહેશત ફેલાઈ છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ઘરાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આહાબા સિમ વિસ્તારમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે
- Advertisement -
જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે હિંસક દિપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલાં આ હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોમાં માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી વીરપુરની સિમ વિસ્તારમાં દિપડાની દહેશતથી ખેડૂતોએ તેમજ વીરપુર ગ્રામ પંચાયત દ્વારા પણ જેતપુર ફોરેસ્ટના આરએફઓ પરેશભાઈ મોરડીયાને જાણ કરી હતી. આરએફઓ મોરડીયાએ પોતાની ફોરેસ્ટ ટીમના રામભાઈ મકવાણા તેમજ નટુભાઈ સહિતના વન વિભાગના કર્મચારીઓ તરત જ વીરપુરની આહાબા સીમમાં આવી ખેતરોમા દીપડાના પગલાંઓની છાપની તપાસ શરૂ કરી હતી અને આરએફઓ પરેશભાઈ મોરડીયાના માર્ગદર્શન હેઠળ આ દીપડાઓને પકડવા પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.