By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા: ડિંગુચા ગામના પરિવારને મોતને ઘાટ ઉતારનાર ‘ડર્ટી હેરી’ને 10 વર્ષની સજા
    14 hours ago
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    18 hours ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    18 hours ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    19 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    19 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
    13 hours ago
    પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
    13 hours ago
    વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે
    14 hours ago
    દેશમાં કોરોનાના 1828 એક્ટિવ કેસ, 15નાં મોત
    14 hours ago
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    2 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    2 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    4 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    18 hours ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    4 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    4 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    19 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    5 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ કે મીઠું ઝેર?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > મધ કે મીઠું ઝેર?
AuthorTushar Dave

મધ કે મીઠું ઝેર?

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલ

તુષાર દવે

જો તમે આરોગ્યવર્ધન માટે કે ઔષધી તરીકે નિયમિત પણે મધનું સેવન કરતા હોવ અને પતંજલિ, ડાબર કે ઝંડુ જેવી કંપનીનું મધ વાપરીને એની શુદ્ધતા અંગે નિશ્ચિત હોવ તો સાવધાન થઈ જજો. CSE (સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ)ના ટેસ્ટમાં આ ત્રણેય સહિત 13 કંપનીઓના નમૂના ફેલ થયા છે. CSE ના રિપોર્ટ મુજબ એકત્ર કરવામાં આવેલા નમૂનાઓમાં પૈકી 77 ટકામાં સુગર સીરપની ભેળસેળના પ્રમાણ મળ્યાં છે અને સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર એ ત્રણ જ બ્રાન્ડ એવી છે જેમના નમુના આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનંસ સ્પેક્ટ્રોસ્કોપી (ગખછ) દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. જોકે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે, એમની કંપનીનું મધ ઋજજઅઈંના 100 પરિમાણો પર ખરું ઉતર્યું છે.100+ Honey Pictures & Images | Download Free Photos on Unsplash

Contents
પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલતુષાર દવેભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટસેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાકભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવુંડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છેભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગમાત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસમધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?જે સળગે એ મધ શુદ્ધ જ હોય?શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?વિશ્વના પાંચ સૌથી મોંઘા મધઈકારિયાનું ગ્રીક હની 16 હજાર રૂપિયાનું 920 ગ્રામમ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલોકામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલોન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલોએલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

ભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટ

ચોંકાવનારી બાબત તો એ છે કે આ ભેળસેળમાં ચાઈનિઝ કનેક્શન પણ સામે આવી રહ્યું છે. અહેવાલો મુજબ અલીબાબા જેવા ચાઈનિઝ પોર્ટલ પર એવા સીરપ વેંચાઈ રહ્યાં છે જે મધની શુદ્ધતાનો ટેસ્ટ પાસ કરાવી શકે. ચાઈનિઝ કંપનીઓ ભારતમાં ફ્રૂક્ટોઝના નામે આવા સીરપ સપ્લાય કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો દાવો છે કે આ ભેળસેળ 2003 અને 2006માં સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં જે ભેળસેળ સામે આવી હતી એના કરતાં પણ ખતરનાક છે.

- Advertisement -

12 Amazing Beauty Uses For Honey To Benefit Skin, Hair, and Nails

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાક

CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે એક જર્મન લેબમાં થયેલા મધની શુદ્ધતાના પરિક્ષણમાં ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, એપિસ હિમાલયન અને હિતકારી જેવી બ્રાન્ડ્સના નમૂના ફેલ રહ્યાં છે. 22 નમૂનાઓ પૈકી માત્ર 5 જ નમૂના તમામ ટેસ્ટમાં પાસ થયા અને 13 બ્રાન્ડ્સમાંથી માત્ર 3 બ્રાન્ડ્સના નમૂના તમામ પરિક્ષણમાં શુદ્ધ સાબિત થયાં.

ભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જણાવે છે કે બજારમાં મોટેભાગે ભેળસેળિયું મધ વેંચાઈ રહ્યું છે. એવું મધ ખાનારા લોકો મધ ઓછું અને ખાંડ (શબ્દસ:) વધુ ખાઈ રહ્યાં છે. એનાથી તો કોવિડ-19નું જોખમ વધી જાય. કારણ કે ખાંડ તો અલ્ટિમેટલી ઓબેસિટી સાથે જોડાયેલો મામલો છે. ગયા વર્ષે ઋજજઅઈંએ આયાતકારો અને રાજ્યોના ખાદ્ય કમિશરોને ચેતવણી પણ આપી હતી કે ગોલ્ડન સીરપ, ઈનવર્ટ સુગર સીરપ અને રાઈસ સીરપને આયાત કરીને તે મધમાં ભેળવવામાં આવે છે.

- Advertisement -

Honey's Eternal Shelf Life, Explained | Discover Magazine

ડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છે

મધનું એલ્ટ્રેશન કરનારાઓ એમાં સુગર કેમિકલ્સ ભેળવતાં હોય છે. જે માણસના લિવર, હાર્ટ કે આંતરડા પર ઈફેક્ટ કરે છે. વળી કેટલીક કંપનીઓ તો એને ટ્રાન્સપરન્ટ બનાવવા અન્ય સિન્થેટિક્સ પણ વાપરતી હોય છે.

ભેળસેળિયા મધમાં વપરાંતા આર્ટિફિશિયલ ફ્રૂક્ટોઝ-ગ્લુકોઝ (મધના ત્રણ મુખ્ય તત્વો પૈકીના બે) તેમજ કલર કેમિકલ્સ દરેક માટે નુકસાનકારક છે. ભારતમાં મોટેભાગે મધનો ઉપયોગ દવામાં થતો હોય છે. વળી, ડાયાબિટિક વ્યક્તિઓ તો એને ખાંડ વગરનું માનીને બેફામ ખાતાં હોય અને ભૂલમાં પોતાના શરીરમાં સુગર જ ઓરી રહ્યાં હોય એટલે ડાયાબિટિક વ્યક્તિઓ માટે તો ભેળસેળિયું મધ એ કોઈ ઝેરથી કમ નથી.

ભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગ

દર્શન ભાલારા કહે છે કે, ‘મધનો નીચો ભાવ જ એમાં ભેળસેળનું સૌથી મોટું કારણ છે. કેટલીક બ્રાન્ડેડ કહેવાતી કંપનીઓ 280 રૂપિયે કિલોના ભાવે પણ મધ વેંચે છે. સાહેબ, તમે મધ તો છોડો ઘરે ખાંડની કિલો ચાસણી બનાવો તો પણ એની પડતર તમને દોઢસોથી બસ્સો રૂપિયા થાય! એ સંજોગોમાં જો કોઈ તમને 280 રૂપિયે મધ વેંચતું હોય તો એ શુદ્ધ કેવી રીતે હોવાનું? અને ખાંડ તો બહુ મોંઘી પડે, ભેળસેળ કરનારાઓ તો 20થી 50 રૂપિયે કિલો હોય એ તત્વો મધમાં ભેળવતા હોય છે. મધના ભાવ અમુક લોકો તળિયે લઈ ગયા હોવાનું એક કારણ એ પણ છે કે એમાં સરકારનું કોઈ રેગ્યુલેશન નથી. નથી સરકાર કોઈ ભાવ નિયત કરતી, નથી ખરીદતી. માટે અમે તો મધધારામાં મોટેભાગે રિટેલ જ વેપાર કરીએ છીએ અને શુદ્ધતા માટે અમને મોં માંગ્યા દામ પણ મળે છે પરંતુ જો કોઈ મોટી બ્રાન્ડ અમારી પાસેથી મધ ખરીદવા ઈચ્છતી હોય તો ભાવ એ નક્કી કરે. કારણ કે સરકારનું કોઈ રેગ્યુલેશન નથી.

માત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસ

જૂન-જૂલાઈ અને ઓગસ્ટ મધમાખીનો વિક પીરિયડ હોય છે, ફૂલોની સિઝન ન હોય એ સમયગાળામાં મધમાખીનું અસ્તિત્વ ટકાવવા એને કંઈક ફિડિંગ કરાવવું પડે. એ પીરિયડમાં ટકવા માટે મધમાખી પાઉડર ફોર્મમાં મધ તૈયાર કરતી હોય છે. જે બી પોલોન તરીકે ઓળખાય છે. એની કિંમત કિલોની 1500થી 2000 રૂપિયા હોય છે. એ કોસ્ટ નીચી લાવવા મધમાખીનો ઉછેર કરનારાઓ કેટલાક એને બી પોલોનના બદલે સીધુ ખાંડનું જ ફિડિંગ કરાવતા હોય છે. ખાંડનું ફિડિંગ કરતી મધમાખી મધમાં આપણને એ ગુણધર્મો ક્યાંથી આપવાની જે તત્વો માત્ર ફૂલના કુદરતી તત્વોમાંથી જ મળે છે? માટે સસ્તું મધ ખાનારાઓ શબ્દસ: મધના નામે ખાંડ ખાઈ રહ્યાં હોય છે.

મધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?

વર્ષોથી મધના ઉત્પાદનના વ્યવસાયમાં રહેલા દર્શનભાઈ સ્પષ્ટ કહે છે કે લેબોરેટરી ટેસ્ટિંગ વિના મધની શુદ્ધતા પારખવી સામાન્ય માણસ માટે ઓલમોસ્ટ ઈમ્પોસિબલ છે. ઘરગથ્થુ નુસખાઓ અને માન્યતાઓના આધારે મધની શુદ્ધતા કે અશુદ્ધતા નક્કી ન કરવી જોઈએ. મધ સંપૂર્ણ આહાર છે. એ ક્યારેય દરેક જગ્યાએ એકસરખું ન મળે. એના જાડા-પાતળા હોવા કે અલગ સ્વાદ-સુગંધ હોવાનો આધાર એ જેમાંથી બન્યું હોય એ ફૂલના તત્વો પર રહેલો હોય છે. આપણા સમાજમાં મધ અંગે અનેક માન્યતાઓ-ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.

શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?

એક માન્યતા એવી છે કે જે જામી જાય એ મધ અશુદ્ધ હોય. એની પાછળનો તર્ક એવો છે કે જો જામી જાય તો એમાં ચાસણી ભેળવેલી હોય. આ તર્ક ખોટો એટલા માટે છે કે ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને 150 ડિગ્રી હિટ આપવી પડે. ત્યારે એ ચાસણી થાય. એ ચાસણી જામી જાય પછી એને તમે ફરી 150 ડિગ્રી તાપમાને ગરમ કરો ત્યારે એ ફરીથી ચાસણી થાય. જ્યારે મધના કિસ્સામાં તો એવું છે કે જામેલા મધને તમે થોડા દિવસ અગાસીમાં તડકે મુકો એટલે ફરી એ લિક્વિડ સ્વરુપમાં આવી જાય છે. મધના જામવા કે ન જામવાનું કારણ એ મધ મધમાખીએ જેના અર્કમાંથી એ મધ બનાવ્યું હોય એ ફૂલ હોય છે. જે ફૂલમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય એ ફૂલના અર્કમાંથી મધમાખીએ બનાવેલું મધ જામી જાય એ કુદરતી છે. જેમ કે ધાણાનું મધ. સરસવનું મધ પણ જામી જાય. મધનો ગુણધર્મ એ છે કે એ કુદરતી છે. એટલે કુદરતી વાતાવરણના ફેરફારની એના પર અસર થવાની જ.

જે સળગે એ મધ શુદ્ધ જ હોય?

સાચુ મધ સળગે પણ ખરું અને ન પણ સળગે. એના સળગવા કે ન સળગવાનો આધાર એની શુદ્ધતા કે અશુદ્ધિ નહીં, પણ એનો પૂળો અને એને ઉતારવાની પદ્ધતિ હોય છે. મધમાખીનો પૂળો એટલે કે વેક્સ મુળત: જ્વલનશીલ પદાર્થ છે. પૂળામાંથી નીચોવીને કાઢેલા મધમાં પૂળાનો ભાગ આવે એટલે એ સળગે. જ્યારે નીચોવવાના બદલે ઝાટકીને ઉતાર્યું હોય અને પછી આછા કપડાંમાં ગાળી લીધું હોય એ મધ ન સળગે.

શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?

દર્શન ભાલારા કહે છે કે, શુદ્ધ મધ પાંચસો-સાતસો રૂપિયે કિલોથી સસ્તું આપવું કોઈને પોસાય નહીં. જો એનાથી સસ્તુ કે અડધા ભાવે કોઈ મધ વેંચતું હોય તો એની ગુણવત્તા ચોક્કસપણે શંકાના ઘેરામાં જ રહેવાની.

વિશ્વના પાંચ સૌથી મોંઘા મધ

ઈકારિયાનું ગ્રીક હની
16 હજાર રૂપિયાનું 920 ગ્રામ

ગ્રીક ટાપુ ઈકારિયાના મધનો જાર અંદાજે 16 હજાર રૂપિયે કિલો વેંચાય છે. જેમાં 920 ગ્રામ મધ આવે. આ ટાપુ પૌરાણીક કાળથી હિલિંગ માટે જાણીતો છે. અહીંની ડાર્ક બ્રાઉન રંગની મધમાખીઓ હાઈ-ક્વોલિટીની માનવામાં આવે છે. જેઓ હર્બલ્સ, પાઈન ટ્રી અને ટાપુની અન્ય વનસ્પતિઓના રસમાંથી મધ બનાવે છે.

મ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલો

સ્પેનના El Bierzo જિલ્લાની મધમાખીઓ દ્વારા ઉત્પાદિત આ મધ પણ રેર ક્વોલિટીમાં આવે છે.
હલાલ સર્ટિફાઈડ આ મધ મુસ્લિમોમાં ખુબ લોકપ્રિય છે. 11 હજાર રૂપિયે કિલો વેંચાતુ આ મધ એક સમયે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ મધ હતું

કામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલો

કામોત્તેજક મનાતા આ મધની એટલી બધી માંગ રહે છે કે અમેરિકામાં તે ઓલમોસ્ટ 73 હજાર રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. આ મધ તેના મેડિકલ ઉપયોગ માટે અને આરોગ્યવર્ધક તરીકે જાણીતું છે. સિદ્ર હનિના પણ અનેક પ્રકાર છે જે પૈકી સૌથી મોંઘુ આ રોયલ યમન છે. યમન અને સાઉદી અરેબિયામાં સિદ્રના વૃક્ષના તત્વોમાંથી મધમાખીઓ આ જે મધ બનાવે છે તે હજારો વર્ષોથી ઔષધીઓમાં વપરાય છે.

ન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલો

સંતાનોત્પત્તિ માટે ફાયદાકારક મનાતું અને હાઈએસ્ટ રેટિંગ ધરાવતું આ મધ ધ ટ્રૂ હનિ કંપની બનાવે છે. આ મધની દરેક બેંચમાં માત્ર 1 હજાર જાર તૈયાર થાય છે.

એલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

પઈશ્વરના સાચા અમૃતથ તરીકે જાણીતું આ મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. એલ્વિશ હનિ ખુબ જાડું અને સોનેરી રંગનું હોય છે. જે તેને ખુબ જ મૂલ્યવાન બનાવે છે. આ મધ તુર્કીની કેટલીક ગુફાઓમાંથી મળી આવે છે. આ પૈકીની સૌથી ઊંડી ગુફાની ઊંડાઈ પૃથ્વીથી 1800 મિટર છે. આ મધ મોંઘુ હોવાનું કારણ એ પણ છે કે એને લાવવા માટે પર્વતારોહકોની આખી ટુકડીને ગુફામાં ઉતારવી પડે છે.

You Might Also Like

યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?

ભાગ્ય v/s પરિશ્રમ કોણ જીતશે?

L-1 યા EB-5

કુછ ઇસ તરહ સે મૈને જીવન સજા લિયા, હર બાર એક નયા ચહેરા લગા લિયા

દાસના દુશ્મન હરિ કોઈ દી હોઇ નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશ ના અર્થતંત્રને મજબૂત બનાવશે IT કંપનીઓ, ઈન્ફોસિસ આપશે 55,000 નોકરીઓ
Next Article નાઇટ કર્ફ્યૂ હવે 10ને બદલે 9 વાગ્યાથી થઈ શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
EDનો ડેપ્યુટી ડાયરેક્ટર લાંચ લેતા CBIના હાથે ઝડપાયો
જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ
RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ભાગ્ય v/s પરિશ્રમ કોણ જીતશે?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

L-1 યા EB-5

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?