By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    9 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    11 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    11 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    9 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    11 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    11 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    11 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    9 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    10 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ કે મીઠું ઝેર?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > મધ કે મીઠું ઝેર?
AuthorTushar Dave

મધ કે મીઠું ઝેર?

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલ

તુષાર દવે

જો તમે આરોગ્યવર્ધન માટે કે ઔષધી તરીકે નિયમિત પણે મધનું સેવન કરતા હોવ અને પતંજલિ, ડાબર કે ઝંડુ જેવી કંપનીનું મધ વાપરીને એની શુદ્ધતા અંગે નિશ્ચિત હોવ તો સાવધાન થઈ જજો. CSE (સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ)ના ટેસ્ટમાં આ ત્રણેય સહિત 13 કંપનીઓના નમૂના ફેલ થયા છે. CSE ના રિપોર્ટ મુજબ એકત્ર કરવામાં આવેલા નમૂનાઓમાં પૈકી 77 ટકામાં સુગર સીરપની ભેળસેળના પ્રમાણ મળ્યાં છે અને સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર એ ત્રણ જ બ્રાન્ડ એવી છે જેમના નમુના આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનંસ સ્પેક્ટ્રોસ્કોપી (ગખછ) દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. જોકે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે, એમની કંપનીનું મધ ઋજજઅઈંના 100 પરિમાણો પર ખરું ઉતર્યું છે.100+ Honey Pictures & Images | Download Free Photos on Unsplash

Contents
પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલતુષાર દવેભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટસેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાકભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવુંડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છેભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગમાત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસમધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?જે સળગે એ મધ શુદ્ધ જ હોય?શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?વિશ્વના પાંચ સૌથી મોંઘા મધઈકારિયાનું ગ્રીક હની 16 હજાર રૂપિયાનું 920 ગ્રામમ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલોકામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલોન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલોએલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

ભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટ

ચોંકાવનારી બાબત તો એ છે કે આ ભેળસેળમાં ચાઈનિઝ કનેક્શન પણ સામે આવી રહ્યું છે. અહેવાલો મુજબ અલીબાબા જેવા ચાઈનિઝ પોર્ટલ પર એવા સીરપ વેંચાઈ રહ્યાં છે જે મધની શુદ્ધતાનો ટેસ્ટ પાસ કરાવી શકે. ચાઈનિઝ કંપનીઓ ભારતમાં ફ્રૂક્ટોઝના નામે આવા સીરપ સપ્લાય કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો દાવો છે કે આ ભેળસેળ 2003 અને 2006માં સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં જે ભેળસેળ સામે આવી હતી એના કરતાં પણ ખતરનાક છે.

- Advertisement -

12 Amazing Beauty Uses For Honey To Benefit Skin, Hair, and Nails

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાક

CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે એક જર્મન લેબમાં થયેલા મધની શુદ્ધતાના પરિક્ષણમાં ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, એપિસ હિમાલયન અને હિતકારી જેવી બ્રાન્ડ્સના નમૂના ફેલ રહ્યાં છે. 22 નમૂનાઓ પૈકી માત્ર 5 જ નમૂના તમામ ટેસ્ટમાં પાસ થયા અને 13 બ્રાન્ડ્સમાંથી માત્ર 3 બ્રાન્ડ્સના નમૂના તમામ પરિક્ષણમાં શુદ્ધ સાબિત થયાં.

ભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જણાવે છે કે બજારમાં મોટેભાગે ભેળસેળિયું મધ વેંચાઈ રહ્યું છે. એવું મધ ખાનારા લોકો મધ ઓછું અને ખાંડ (શબ્દસ:) વધુ ખાઈ રહ્યાં છે. એનાથી તો કોવિડ-19નું જોખમ વધી જાય. કારણ કે ખાંડ તો અલ્ટિમેટલી ઓબેસિટી સાથે જોડાયેલો મામલો છે. ગયા વર્ષે ઋજજઅઈંએ આયાતકારો અને રાજ્યોના ખાદ્ય કમિશરોને ચેતવણી પણ આપી હતી કે ગોલ્ડન સીરપ, ઈનવર્ટ સુગર સીરપ અને રાઈસ સીરપને આયાત કરીને તે મધમાં ભેળવવામાં આવે છે.

- Advertisement -

Honey's Eternal Shelf Life, Explained | Discover Magazine

ડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છે

મધનું એલ્ટ્રેશન કરનારાઓ એમાં સુગર કેમિકલ્સ ભેળવતાં હોય છે. જે માણસના લિવર, હાર્ટ કે આંતરડા પર ઈફેક્ટ કરે છે. વળી કેટલીક કંપનીઓ તો એને ટ્રાન્સપરન્ટ બનાવવા અન્ય સિન્થેટિક્સ પણ વાપરતી હોય છે.

ભેળસેળિયા મધમાં વપરાંતા આર્ટિફિશિયલ ફ્રૂક્ટોઝ-ગ્લુકોઝ (મધના ત્રણ મુખ્ય તત્વો પૈકીના બે) તેમજ કલર કેમિકલ્સ દરેક માટે નુકસાનકારક છે. ભારતમાં મોટેભાગે મધનો ઉપયોગ દવામાં થતો હોય છે. વળી, ડાયાબિટિક વ્યક્તિઓ તો એને ખાંડ વગરનું માનીને બેફામ ખાતાં હોય અને ભૂલમાં પોતાના શરીરમાં સુગર જ ઓરી રહ્યાં હોય એટલે ડાયાબિટિક વ્યક્તિઓ માટે તો ભેળસેળિયું મધ એ કોઈ ઝેરથી કમ નથી.

ભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગ

દર્શન ભાલારા કહે છે કે, ‘મધનો નીચો ભાવ જ એમાં ભેળસેળનું સૌથી મોટું કારણ છે. કેટલીક બ્રાન્ડેડ કહેવાતી કંપનીઓ 280 રૂપિયે કિલોના ભાવે પણ મધ વેંચે છે. સાહેબ, તમે મધ તો છોડો ઘરે ખાંડની કિલો ચાસણી બનાવો તો પણ એની પડતર તમને દોઢસોથી બસ્સો રૂપિયા થાય! એ સંજોગોમાં જો કોઈ તમને 280 રૂપિયે મધ વેંચતું હોય તો એ શુદ્ધ કેવી રીતે હોવાનું? અને ખાંડ તો બહુ મોંઘી પડે, ભેળસેળ કરનારાઓ તો 20થી 50 રૂપિયે કિલો હોય એ તત્વો મધમાં ભેળવતા હોય છે. મધના ભાવ અમુક લોકો તળિયે લઈ ગયા હોવાનું એક કારણ એ પણ છે કે એમાં સરકારનું કોઈ રેગ્યુલેશન નથી. નથી સરકાર કોઈ ભાવ નિયત કરતી, નથી ખરીદતી. માટે અમે તો મધધારામાં મોટેભાગે રિટેલ જ વેપાર કરીએ છીએ અને શુદ્ધતા માટે અમને મોં માંગ્યા દામ પણ મળે છે પરંતુ જો કોઈ મોટી બ્રાન્ડ અમારી પાસેથી મધ ખરીદવા ઈચ્છતી હોય તો ભાવ એ નક્કી કરે. કારણ કે સરકારનું કોઈ રેગ્યુલેશન નથી.

માત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસ

જૂન-જૂલાઈ અને ઓગસ્ટ મધમાખીનો વિક પીરિયડ હોય છે, ફૂલોની સિઝન ન હોય એ સમયગાળામાં મધમાખીનું અસ્તિત્વ ટકાવવા એને કંઈક ફિડિંગ કરાવવું પડે. એ પીરિયડમાં ટકવા માટે મધમાખી પાઉડર ફોર્મમાં મધ તૈયાર કરતી હોય છે. જે બી પોલોન તરીકે ઓળખાય છે. એની કિંમત કિલોની 1500થી 2000 રૂપિયા હોય છે. એ કોસ્ટ નીચી લાવવા મધમાખીનો ઉછેર કરનારાઓ કેટલાક એને બી પોલોનના બદલે સીધુ ખાંડનું જ ફિડિંગ કરાવતા હોય છે. ખાંડનું ફિડિંગ કરતી મધમાખી મધમાં આપણને એ ગુણધર્મો ક્યાંથી આપવાની જે તત્વો માત્ર ફૂલના કુદરતી તત્વોમાંથી જ મળે છે? માટે સસ્તું મધ ખાનારાઓ શબ્દસ: મધના નામે ખાંડ ખાઈ રહ્યાં હોય છે.

મધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?

વર્ષોથી મધના ઉત્પાદનના વ્યવસાયમાં રહેલા દર્શનભાઈ સ્પષ્ટ કહે છે કે લેબોરેટરી ટેસ્ટિંગ વિના મધની શુદ્ધતા પારખવી સામાન્ય માણસ માટે ઓલમોસ્ટ ઈમ્પોસિબલ છે. ઘરગથ્થુ નુસખાઓ અને માન્યતાઓના આધારે મધની શુદ્ધતા કે અશુદ્ધતા નક્કી ન કરવી જોઈએ. મધ સંપૂર્ણ આહાર છે. એ ક્યારેય દરેક જગ્યાએ એકસરખું ન મળે. એના જાડા-પાતળા હોવા કે અલગ સ્વાદ-સુગંધ હોવાનો આધાર એ જેમાંથી બન્યું હોય એ ફૂલના તત્વો પર રહેલો હોય છે. આપણા સમાજમાં મધ અંગે અનેક માન્યતાઓ-ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.

શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?

એક માન્યતા એવી છે કે જે જામી જાય એ મધ અશુદ્ધ હોય. એની પાછળનો તર્ક એવો છે કે જો જામી જાય તો એમાં ચાસણી ભેળવેલી હોય. આ તર્ક ખોટો એટલા માટે છે કે ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને 150 ડિગ્રી હિટ આપવી પડે. ત્યારે એ ચાસણી થાય. એ ચાસણી જામી જાય પછી એને તમે ફરી 150 ડિગ્રી તાપમાને ગરમ કરો ત્યારે એ ફરીથી ચાસણી થાય. જ્યારે મધના કિસ્સામાં તો એવું છે કે જામેલા મધને તમે થોડા દિવસ અગાસીમાં તડકે મુકો એટલે ફરી એ લિક્વિડ સ્વરુપમાં આવી જાય છે. મધના જામવા કે ન જામવાનું કારણ એ મધ મધમાખીએ જેના અર્કમાંથી એ મધ બનાવ્યું હોય એ ફૂલ હોય છે. જે ફૂલમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય એ ફૂલના અર્કમાંથી મધમાખીએ બનાવેલું મધ જામી જાય એ કુદરતી છે. જેમ કે ધાણાનું મધ. સરસવનું મધ પણ જામી જાય. મધનો ગુણધર્મ એ છે કે એ કુદરતી છે. એટલે કુદરતી વાતાવરણના ફેરફારની એના પર અસર થવાની જ.

જે સળગે એ મધ શુદ્ધ જ હોય?

સાચુ મધ સળગે પણ ખરું અને ન પણ સળગે. એના સળગવા કે ન સળગવાનો આધાર એની શુદ્ધતા કે અશુદ્ધિ નહીં, પણ એનો પૂળો અને એને ઉતારવાની પદ્ધતિ હોય છે. મધમાખીનો પૂળો એટલે કે વેક્સ મુળત: જ્વલનશીલ પદાર્થ છે. પૂળામાંથી નીચોવીને કાઢેલા મધમાં પૂળાનો ભાગ આવે એટલે એ સળગે. જ્યારે નીચોવવાના બદલે ઝાટકીને ઉતાર્યું હોય અને પછી આછા કપડાંમાં ગાળી લીધું હોય એ મધ ન સળગે.

શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?

દર્શન ભાલારા કહે છે કે, શુદ્ધ મધ પાંચસો-સાતસો રૂપિયે કિલોથી સસ્તું આપવું કોઈને પોસાય નહીં. જો એનાથી સસ્તુ કે અડધા ભાવે કોઈ મધ વેંચતું હોય તો એની ગુણવત્તા ચોક્કસપણે શંકાના ઘેરામાં જ રહેવાની.

વિશ્વના પાંચ સૌથી મોંઘા મધ

ઈકારિયાનું ગ્રીક હની
16 હજાર રૂપિયાનું 920 ગ્રામ

ગ્રીક ટાપુ ઈકારિયાના મધનો જાર અંદાજે 16 હજાર રૂપિયે કિલો વેંચાય છે. જેમાં 920 ગ્રામ મધ આવે. આ ટાપુ પૌરાણીક કાળથી હિલિંગ માટે જાણીતો છે. અહીંની ડાર્ક બ્રાઉન રંગની મધમાખીઓ હાઈ-ક્વોલિટીની માનવામાં આવે છે. જેઓ હર્બલ્સ, પાઈન ટ્રી અને ટાપુની અન્ય વનસ્પતિઓના રસમાંથી મધ બનાવે છે.

મ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલો

સ્પેનના El Bierzo જિલ્લાની મધમાખીઓ દ્વારા ઉત્પાદિત આ મધ પણ રેર ક્વોલિટીમાં આવે છે.
હલાલ સર્ટિફાઈડ આ મધ મુસ્લિમોમાં ખુબ લોકપ્રિય છે. 11 હજાર રૂપિયે કિલો વેંચાતુ આ મધ એક સમયે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ મધ હતું

કામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલો

કામોત્તેજક મનાતા આ મધની એટલી બધી માંગ રહે છે કે અમેરિકામાં તે ઓલમોસ્ટ 73 હજાર રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. આ મધ તેના મેડિકલ ઉપયોગ માટે અને આરોગ્યવર્ધક તરીકે જાણીતું છે. સિદ્ર હનિના પણ અનેક પ્રકાર છે જે પૈકી સૌથી મોંઘુ આ રોયલ યમન છે. યમન અને સાઉદી અરેબિયામાં સિદ્રના વૃક્ષના તત્વોમાંથી મધમાખીઓ આ જે મધ બનાવે છે તે હજારો વર્ષોથી ઔષધીઓમાં વપરાય છે.

ન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલો

સંતાનોત્પત્તિ માટે ફાયદાકારક મનાતું અને હાઈએસ્ટ રેટિંગ ધરાવતું આ મધ ધ ટ્રૂ હનિ કંપની બનાવે છે. આ મધની દરેક બેંચમાં માત્ર 1 હજાર જાર તૈયાર થાય છે.

એલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

પઈશ્વરના સાચા અમૃતથ તરીકે જાણીતું આ મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. એલ્વિશ હનિ ખુબ જાડું અને સોનેરી રંગનું હોય છે. જે તેને ખુબ જ મૂલ્યવાન બનાવે છે. આ મધ તુર્કીની કેટલીક ગુફાઓમાંથી મળી આવે છે. આ પૈકીની સૌથી ઊંડી ગુફાની ઊંડાઈ પૃથ્વીથી 1800 મિટર છે. આ મધ મોંઘુ હોવાનું કારણ એ પણ છે કે એને લાવવા માટે પર્વતારોહકોની આખી ટુકડીને ગુફામાં ઉતારવી પડે છે.

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશ ના અર્થતંત્રને મજબૂત બનાવશે IT કંપનીઓ, ઈન્ફોસિસ આપશે 55,000 નોકરીઓ
Next Article નાઇટ કર્ફ્યૂ હવે 10ને બદલે 9 વાગ્યાથી થઈ શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?