સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા હોય એમને અટકાવવા ન જોઈએ: VHP
લોકોનુ સમર્થન મળશે તેમ રૂષિ ભારતી બાપુએ જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં બાગેશ્વર ધામના દરબારને VHPનો ટેકો મળ્યો છે. જેમાં ટઇંઙના પ્રાંત અધ્યક્ષ રાજુભાઈ ઠાકરે નિવેદન આપ્યું છે કે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા હોય એમને અટકાવવા ન જોઈએ. દરેક હિન્દુ સંગઠનોએ સાથે આવવુ જોઈએ.
ઘરમાં ચોરી થાય તો બાબા શોધવા જાય એ તર્ક યોગ્ય નથી. સંસ્કૃતિને જાગૃત કરવાનું કામ થવુ જોઈએ. બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. જેમાં વીએચપીએ ટેકો જાહેર કર્યો છે. આ દરબાર ભરવવો જ જોઈએ. સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તેમને અટકાવવા જોઇએ નહી. દરેક હિંદુ સંગઠનોએ સાથે આવવું જોઈએ. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીના લોક દરબારને સનાતન ધર્મનો ટેકો મળ્યો છે.
રૂષિ ભારતી બાપુએ સંદેશ ન્યુઝ સાથે વાતચીત કરી છે. જેમાં જણાવ્યું છે કે તમામ સંત મહંતો એ ટેકો આપવો જોઈએ. સનાતન ધર્મના ફેલાવા માટે આગળ આવે તો તેને સ્વિકારવો જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રી જો સત્ય હશે તો લોકોનુ સમર્થન મળશે તેમ રૂષિ ભારતીએ જણાવ્યું છે. તેમજ જણાવ્યું છે કે જો દંભ હશે તો લોકો નહી સ્વિકારે.
બાબા બાગેશ્ર્વરને RCCના CEO પુરૂષોત્તમ પીપરીયાની ખૂલ્લી ચેલેન્જ
આગામી સમયમાં તા.1 અને 2 જૂનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાશે. જેને લઈને વિવાદ સર્જાયો છે. સહકારી આગેવાન અને કોમર્શિયલ કો.ઓ. બેંકના ઈઊઘ પુરૂષોત્તમભાઇ પીપળીયાએ ધીરેન્દ્ર શાષાીને ચેલેન્જ ફેંકી છે અને કહ્યું છે કે જો તેઓ રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી, કોના ઇશારે આવે છે તે જણાવે તો હું 5 લાખનું ઇનામ આપીશ. ત્યારે ધીરેન્દ્રશાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ, રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરૂષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.