જૂનાગઢ શહેરમાં રામનવમી પર્વે બે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
રામનવમીના પાવન પર્વે ધાર્મિક સંગઠનો દ્વારા શહેરમાં અનેરો શણગાર
સામાજિક સંસ્થા દ્વારા ઠંડા શરબત, છાશ સાથે પ્રસાદીનું આયોજન
ભગવાન શ્રીરામની ઝાંખી અનેે વિવિધ ફ્લોટ સાથે શોભાયાત્રા નીકળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આજે જૂનાગઢ સહીત સોરઠ ભરમાં માતાજી મંદિરોમાં આજે હવન અષ્ઠમી પર્વે હવન સાથે ધાર્મિક કાર્યક્રોમો સાથે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું તેની સાથે મહાપ્રસાદ અને માતાજીને વિશેષ શૃંગાર સાથે મહાઆરતી સાથે આઠમની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે આવતીકાલે રામનવમી પર્વની ઉજવણી કરવા સનાતન હિન્દૂ ધર્મના સંગઠનો દ્વારા પ્રભુ શ્રીરામના જન્મોત્સવના વધામણાં કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને શહેરના વિવિધ રાજમાર્ગો કમાનોથી શુશોભિત કરી ભગવા રંગે રંગાયા છે. અને સામાજિક સંસ્થા દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ શહેરમાં રામનવમી પર્વે બે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષોથી યોજાતી રામનવમીની એક શોભાયાત્રા ઉપરકોટ સ્થિત આવેલ રામજી મંદિરથી બપોરે પ્રસ્થાન કરશે જેમાં શ્રીરામ ભગવાનની ઝાંખી કરાવતા 35 જેટલા ફલોટ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા ઉપકોટથી પ્રસ્થાન કરીને દીવાનચોક, પંચહાટડી ચોકથી એમજી રોડ થઈને કાળવા ચોકથી આગળ સંપન્ન થશે આ શોભાયાત્રામાં વિવિશ ધાર્મિક સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વધામણાં કરવામાં આવશે તેમજ અલગ અલગ અલગ સ્થળો પર ઠંડી છાશ અને ઠંડા શરબત સાથે પ્રસાદીનું આયોજન પણ કરાયું છે.આ વિશાળ શોભાયાત્રા જોવા શહેરીજનો ખુબ મોટી સંખ્યામાં જોડાય છે. અને રામનવમીની ભવ્ય ઉજવણી કરે છે. શહેરમાં પ્રથમ વખત સનાતન હિન્દૂ એકતા સમિતિ ઝાંઝરડા રોડ દ્વારા પ્રભુ શ્રીરામના જન્મોત્સવ પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ભવ્ય શોભાયાત્રા ઝાંઝરડા ગામમાં આવેલ રામજી મંદિરથી સાંજે 4 વાગ્યા આસપાસ પ્રસ્થાન કરશે જયારે શોભાયાત્રા પ્રસ્થાન પેહલા નંદરાયજી ગૌશાળા સેવક મંડળ દ્વારા હનુમાનજીના સુંદર કાંડના પાઠનું આયોજન પૂર્ણ થયા બાદ શોભાયાત્રા શરુ થશે આ શોભાયાત્રામાં 10 જેટલા ફ્લોટ સાથે શ્રીરામ ભગવાનની ઝાંખી સાથે નીકળશે આ રામનવમીના પાવન પ્રસંગે ઝાંઝરડા ગામથી ઝાંસીરાણી સર્કલ ચોક સુધી શુશોભન કરવામાં આવ્યું છે. રોડ પર વિવિધ કામનો ભગવા રંગથી સજાવામાં આવી છે. તેમજ શ્રીરામની સનાતન ધર્મની ધ્વજા સાથે રોડ શણગારવામાં આવ્યો છે. આ શોભાયાત્રા સિદ્ધનાથ મંદિર ખાતે મોડી સાંજે પૂર્ણ થશે.
- Advertisement -
30 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ, હાથી, ઘોડા સાથે ભવ્ય શણગાર
ઝાંઝરડા રોડન સનાતન હિન્દૂ એકતા સમિતિના યુવકો દ્વારા પ્રભુ શ્રીરામના જન્મોત્સવને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી થાય તેના માટે શોભાયાત્રાનું આયોજન કરાયું છે ત્યારે રોડ પર સિદ્ધનાથ મંદિર પાસે 30 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સાથે હાથી અને ઘોડાનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ ડીજેના તાલે સમગ્ર રોડ જય જય શ્રીરામના નામે ગુંજી ઉઠશે તેવું આયોજન કરાયું છે.ત્યારે આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં જોડાવા માટે સનાતન હિન્દૂ એકતા સમિતિના યુવકો દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને જોડાવા અપીલ કરી છે.