જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં કૃષિ મંત્રી સહભાગી બન્યા
રાજ્યના 42 જેટલા અગાહીકારોનું જુદી જુદી રીતે પૂર્વ અનુમાન
જૂનના પ્રથમ સપ્તાહમાં સારા વરસાદ બાદ વાવણી થશે
અગાહીકારોએ જુલાઈ મહિનામાં વાવાઝોડાની આગાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આજરોજ પ્રતિ વર્ષની વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્યના 50 જેટલા આગાહી કારોએ વરસાદના વરતારો જુદી જુદી રીતે કર્યો હતો. જેમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી જેમાં ભડલી વાક્યો, પશુ – પક્ષીની ચેસ્ટ, પવનની દીશા, આકાશી નજારો, પવનની દિશા અને જ્યોતિષ શાસ્ત્ર સહીતને લઈને વરસાદનું પૂર્વ અનુમાન કરવામાં આવ્યું હતું.
કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી આગામી વર્ષનું ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે આજરોજ કૃષિ યુનિ.ખાતે સમગ્ર રાજ્ય ભરના 50 જેટલા આગાહી કારો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં જોડાયા હતા અને અલગ અલગ રીતે આગાહી કરવામાં આવી હતી.પરિસંવાદમાં અગાહીકારો દ્વારા ભડલી વાક્ય, નક્ષત્ર, પશુ પક્ષીની ચેસ્ટા, ખગોળ વિજ્ઞાન સહીત વિવિધ ગતિવિધિને ધ્યાને રાખીને પૂર્વાનુમાન મુજબ આગાહી કરવામાં આવે છે. અને તમામનો ડેટા તૈયાર કરી આગામી સમયમાં ચોમાસુ કેવું રહેશે તેની સાથે વાવઝોડા સહીતની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષા વિજ્ઞાન મંડળ સાથે જોડાયેલા આગાહીકારો આકાશમાં ગર્ભ બંધાતા તેના નિરીક્ષણો, વનસ્પતિના નિરીક્ષણો, પશુ પક્ષીઓની ચેષ્ટાઓ, કીડી, મકોડા અને માખીઓનું હલનચલન, હવામાનમાં ભેજ, ગરમી ઠંડીની અસર, ભડલી વાક્ય અને જ્યોતિષ વિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરે છે.
આ વિજ્ઞાન વર્ષા મંડળ પરિસંવાદમાં રાજ્યના 50 જેટલા અગાહીકારો જુદી જુદી રીતે આગાહી કરી હતી જેમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થશે તેવું પૂર્વાનુમાન કરી આગાહી કરી હતી તેમજ જૂનના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થશે અને ત્યાર બાદ ધરતી પુત્રો વાવણી કરશે તેમજ 55 ઇંચ જેટલો વરસાદ પડશે અને જુલાઈ મહિનામાં વાવાઝોડાનું પણ અનુમાન બાંધવામાં આવ્યું છે. તેની નવરાત્રીમાં પણ પાછોતરો વરસાદ પડશે જે કપાસના પાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ હતી આમ સારા વરસાદને ખેડૂતોને ખુબ ફાયદો થશે તેવું પૂર્વાનુમાન લાગવામાં આવ્યું હતું તેમજ ગત વર્ષની સાચી આગાહી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પરિસંવાદને ખુલ્લો મુકતા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, આપણી સંસ્કૃતિના ભાગરૂપ વરસાદની આગાહી માટેના પરંપરાગત જ્ઞાનનો વારસો ખેડૂતો માટે માર્ગદર્શક અને ઉપયોગી તો છે જ. આ સાથે આપણું પરંપરાગત જ્ઞાન જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. મંત્રીએ વર્ષા વિજ્ઞાન મંડળને પરંપરાગત જ્ઞાનને સાચવી રાખવા અને તેના જતન માટે પણ વિશેષ અભિનંદન આપ્યા હતા. ઉપરાંત આ પરંપરાગત જ્ઞાનના વાહકોને આવનારી પેઢીને આપવા અનુરોધ કર્યો હતો. કૃષિ મંત્રીએ વધુ ઉમેર્યું કે, ગત વર્ષના વરસાદની 5 જેટલા આગાહીકારોની 100 ટકા આગાહી સાચી પડી છે, ત્યારે ખરેખર આ પરંપરાગત જ્ઞાનના વાહકો અભિનંદનના અધિકારી છો. તેમણે એમ પણ કહ્યું કે, ખેડૂતો અને લોકહિતમાં પરંપરાગત આ જ્ઞાનનો વારસોના જતન માટે રાજ્યનો કૃષિ વિભાગ સંપૂર્ણ સહકાર આપશે.