આમલીના વૃક્ષનો દરેક ભાગ ન તો કેવળ તેના સમૃદ્ધ પોષક તત્વો થકી ચિકિત્સામાં ઉપયોગી છે બલ્કે, ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે
ગુજરાતીમાં આપણે જેને આંબલી – આમલી અને હિન્દીમાં જેને ઈમલી કહેવામાં આવે છે તે લેગ્યુમીનોસા ફાબાસી પરિવારની એક વનસ્પતિ છે..જો કે આમલીને આવા વિદેશી ભાષાના શબ્દ સાથે સાંકળવી આપણને ગમશે નહી..કારણ કે આમલી આપણા બચપણથી આપણી સાથીદાર છે..નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા…થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી .આપણા ઘણા ખરા વ્યંજનો સાથે તેનું એક ખાસ કોમ્બિનેશન .તેમ છતાં યે આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આમલી મૂળભૂત રીતે આફ્રિકાના જંગલનું વૃક્ષ છે. અંગ્રેજીમાં તેને ટેમારીન્ડ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આમલી એક ફળનું ઝાડ છે. ભારત સિવાયના પણ અનેક દેશોમાં હજારો વર્ષથી તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો આવ્યો છે. આમલીનું વૃક્ષ ખાસ કરીને ભારતીય ઉપખંડ, આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરીયા અને મોટાભાગના ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. પેટમાં દુખાવો, ઝાડા અને મરડો, કેટલાક બેક્ટેરીયલ ચેપ અને પેટના કૃમિ જેવી તકલીફો, ઘા રૂઝાવવા, કબજિયાત અને શરીરના વિવિધ ભાગોમાં થતી બળતરાના ઈલાજ માટે કરવામાં આવે છે. તે જરૂરી એવા મોટાભાગના એમિનો એસિડ્સ અને ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્રોત છે. અને તેથી જ તે એન્ટિબાયોટિક, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવેનોમિક્સ, એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ, એન્ટિમેલેરિયલ, કાર્ડિયોપ્રોટેક્ટીવ, હેપેટોપ્રોટેક્ટીવ, એન્ટિસ્થેમેટિક, રેચક અને એન્ટિ-હાયપરલિપિડેમિક ક્ષમતા ધરાવે છે. તે અનેક રોગની સારવારમાં સફળ પરિણામ આપે છે. કુપોષણથી પીડાતા દર્દીઓ માટે તે એક ઉમદા પોષણ છે. તે સસ્તી છે અને તેનો ઉપયોગ અતિ સરળ છે. કહેવાતા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં હજુ આજે પણ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં હજુ આજે પણ
- Advertisement -
આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે
પરંપરાગત દેશી ઔષધોનો ઉપયોગ થાય છે અને તેમાં આમલી એક મહત્વનું ઔષધ છે. આમલી એક બારમાસી વૃક્ષ છે. પશ્ચિમ આફ્રિકામાં સેનેગલ, પૂર્વમાં સુદાન અને ઇથોપિયા, દક્ષિણમાં મોઝામ્બિક અને મેડાગાસ્કર સુધી તેનો વિસ્તાર છે. એશિયામાં ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા તથા અમેરિકા, મેક્સિકો, કોસ્ટા રિકા જેવા કેટલાક દેશોમ પણ તે જોવા મળે છે આમલીના વૃક્ષનો દરેક ભાગ (મૂળ,થડ ફળ, પાંદડા) ન તો કેવળ સમૃદ્ધ પોષક તત્વો ધરાવે છે અને તે રીતે ચિકિત્સામાં ઉપયોગમાં લેવાય છે બલ્કે ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે. આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, આમલી ફળ ટ્રિપ્ટોફેન સિવાય તમામ આવશ્યક એમિનો એસિડનો આદર્શ સ્રોત છે. તેના બીમાં પણ એ જ ગુણધર્મો છે. તેથી તે એક મહત્વપૂર્ણ અને સુલભ પ્રોટીન સ્રોત બની રહે છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાની પ્રજામાં પ્રોટીનની ઉણપ એક સર્વ સામાન્ય સમસ્યા છે. ફાયટોકેમિકલ વિશ્લેષણના પરિણામો અનુસાર આમલીમાં ફેટોલિક સંયોજનો જેવા કે કેટેનિન, પ્રોક્આનિડિન બી 2, એપિક્ટીન, ટાર્ટારિક એસિડ, મ્યુસિલેજ, પેક્ટીન, અરબીનોઝ, જાયલોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, યુરોનિક એસિડ અને ટ્રાઇટરપેન છે. કાચી આમલીના પોષક મૂલ્યોની સૂચિ અહી આપવામાં આવી છે.
આમલીના 100 ગ્રામ
દીઠ પોષક મૂલ્ય
ઊક્ષયલિુ 239.00 કેકેલ 12%
કાર્બોહાઇડ્રેટ્સ 62.50 ગ્રામ 40%
પ્રોટીન 2.80 ગ્રામ 5%
કુલ ફિિંં 0.60 ગ્રામ 3%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 5.10 ગ્રામ 13%
વિટામિન્સ
ફોલેટ્સ 14.000 3.5લ 3.5%
નિયાસીન 1.938 મિલિગ્રામ 12.0%
પેન્ટોથેનિક એસિડ 0.143 મિલિગ્રામ 3.0%
પાયરિડોક્સિન 0.066 મિલિગ્રામ 5.0%
થાઇમિન 0.428 મિલિગ્રામ 36.0%
વિટામિન એ 30.000 આઇયુ 1.0%
વિટામિન સી 3.500 મિલિગ્રામ 6.0%
વિટામિન ઇ 0.100 મિલિગ્રામ 1.0%
વિટામિન કે 2.800 2.0લ 2.0%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 28 મિલિગ્રામ 2%
પોટેશિયમ 628 મિલિગ્રામ 13%
ખનીજ
કેલ્શિયમ 74.00 મિલિગ્રામ 7.0%
કોપર 0.86 મિલિગ્રામ 9.5%
આયર્ન 2.80 મિલિગ્રામ 35.0%
મેગ્નેશિયમ 92.00 મિલિગ્રામ 23.0%
ફોસ્ફરસ 113.00 મિલિગ્રામ 16.0%
સેલેનિયમ 1.30 2.0લ 2.0%
જસત 0.10 મિલિગ્રામ 1.0%
ફાયટો પોષક તત્વો
કેરોટિન- ક્ 18 –લ –
ક્રિપ્ટો-ઝેન્થિન-્ર 0 ક્લ –
લ્યુટિન- ઝીઆક્ષાંથીન 0 .લ
- Advertisement -
આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે
લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે, તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે
કેટલાક દેશી ઉપચારક સિવાય આપણે ત્યાં હવે આમલીનો ઉપયોગ સારવાર માટે ખાસ કોઈ કરતું નથી. હા, આમલીની ચટણી આજે પણ આપણે ત્યાં હોટ ફેવરિટ છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં તે એક લોકપ્રિય પીણું પણ છે દેશી દવાઓમાં ત્યાં તેનો ઉપયોગ ઘાના ઉપચાર, પેટના દુખાવા, ઝાડા, મરડો, તાવ, મેલેરિયા અને શ્વાસની સમસ્યાઓમાં થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં તેના ઉપયોગ તેના રેચક અને જાતીય વૃત્તિ ઉત્તેજક દ્રવ્ય તરીકે થાય છે. પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી થાય છે.તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રાના કારણે તેનો ઉપયોગ પેટના દુખાવા, અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવારમાં થાય છે.. આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે. તે એન્ટી માઇક્રોબાયલ છે..તે ક્રૂમી વિરોધી છે.એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ છે..તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે..તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે..તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની તેને ક્ષમતા આપે છે..આ માટે તેની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા
આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
અલ્સરમાંથી મુક્તિ
અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરમાં રાહત
આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.
ઘાવ ઉપર
દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.
હાર્ટ પ્રોબ્લેમ માટે
સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને પિગાળીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિતની સમસ્યાને પણ દૂર કરે છે.
ગળાની સમસ્યા માટે
આમલીના પાંદડાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસમા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાંનું દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.



