અગાઉ આ બીમારી-અમીબિન મેનીંગો એન્સેફેલાઈટીસે 3 બાળકોનો ભોગ લીધેલો
કેરલમાં છેલ્લા કેટલાક સમયથી મગજને ખાઈ જનાર અમીબાના કેસ વધવા લાગ્યા છે. કેરલમાં તેનો ચોથો કેસ બહાર આવ્યો છે. ખરેખર તો કેરલમાં અમીબિક મેનિંગો એન્સેફેલાઈટીસ નામના રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.
- Advertisement -
હવે ઉતરી કેરળ જિલ્લાના પટયોલીનો એક 14 વર્ષનો કિશોર આ રોગનો ભોગ બનતા એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. અમીબિન મેનિંગો એન્સેફેલાઈટીસ એક દુર્લભ બ્રેઈન ઈન્ફેકશન છે.
જે ગંદાપાણીમાં મળી આવતા એક ફ્રી લીવીંગ અમીબાના કારણે થાય છે. મે બાદ રાજયમાં આ બીમારીનો ચોથો કેસ છે. આ બીમારીનો ભોગ બનનારા બાળકો છે જેમાં ત્રણેયના મોત થયા છે.