By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    17 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    2 days ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    3 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    3 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    14 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    17 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    2 days ago
    રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
    2 days ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    7 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ
Hemadri Acharya Dave

ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ

Khaskhabar Editor
Last updated: 2025/09/27 at 4:41 PM
Khaskhabar Editor 7 days ago
Share
18 Min Read
SHARE

ભારતની ધરતી પર શક્તિની આરાધના સદીઓથી એક નિરંતર પ્રવાહની જેમ વહે છે. જ્યાં વૈદિક-પૌરાણિક દેવીઓ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી જેવાં દિવ્ય સ્વરૂપોમાં શાસ્ત્રોના પાને ઝળહળે છે, ત્યાં ગ્રામ્ય લોકદેવીઓ લોકજીવનના હૈયામાં ધબકે છે. આ લોકદેવીઓ એક એવું જીવંત તત્વ છે જે ગામડાંની ધૂળવાળી પગદંડીઓથી લઈને શહેરોના પ્રાંતિય પરિસરો સુધી ગુંજે છે. તેમની કથાઓમાં બલિદાનની ગાથા, શૌર્યનું ગર્વ અને મમતાનો ઉષ્માભર્યો સ્પર્શ સમાયેલો છે. આ દેવીઓ માત્ર ધાર્મિક પ્રતીકો નથી, પરંતુ કુદરત, સમાજ અને સંસ્કૃતિના અખંડ બંધનનું પ્રતિનિધિત્વ કરે છે.

લોકદેવીઓ: શક્તિનું લોકજીવન સાથેની સંવાદિતા
સૌરાષ્ટ્ર/ગુજરાતનાં ગ્રામ્ય સમાજોમાં લોકદેવીઓનું સ્થાન અનન્ય છે. આ દેવીઓ, જેમની ગાથાઓ લોકગીતોમાં ગુંજે છે, ગ્રામ્ય મેળાઓમાં નૃત્ય કરે છે, અને ભક્તોના હૃદયમાં બિરાજે છે, ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરનો આધારસ્તંભ છે. આ દેવીઓ ઘણીવાર કુદરતની શક્તિઓ – જળ, વૃક્ષ, પર્વત, જમીન – સાથે ગાઢ રીતે જોડાયેલી હોય છે. તેમનું સ્વરૂપ ક્યારેક ઉગ્ર રક્ષકનું હોય છે, જે શત્રુઓ અને સંકટોથી બચાવે છે, તો ક્યારેક મમતામયી માતાનું, જે સંતાનોની દરેક પુકારને સાંભળે છે. આ દેવીઓ ઘણીવાર સ્થાનિક નાયિકાઓ, શહીદ સ્ત્રીઓ કે પવિત્ર ગણાતી સ્ત્રીઓના રૂપાંતર તરીકે ઉદ્ભવે છે, જેમની ગાથાઓ લોકગીતો, ભજનો અને જાત્રાઓમાં આજે પણ જીવંત છે. આ દેવીઓની પૂજા શાસ્ત્રીય વિધિ-વિધાનો કરતાં લોકજીવનની સરળતા અને ભાવનાઓ સાથે વધુ ગુંથાયેલી હોય છે. ગામદેવી કે કુલદેવી તરીકે તેમની ભૂમિકા ગામના સામૂહિક ચેતનાને એકસૂત્રે બાંધે છે. રોગચાળો, દુષ્કાળ, વાવાઝોડા કે શત્રુસંકટથી રક્ષણ આપવાની માન્યતા તેમને લોકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવે છે.

- Advertisement -

લોકદેવીઓનું વૈવિધ્ય:
નીચે સૌરાષ્ટ્ર/ગુજરાતના પ્રમુખ લોકદેવીઓની વિગતો આપવામાં આવી છે.

મેલડી માતા:
સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પૂજાતી મેલડી માતા ગામદેવી તરીકે ખૂબ જ પ્રચલિત છે. તે વાવાઝોડા, દુષ્કાળ, રોગચાળો અને શત્રુઓથી રક્ષણદાત્રી છે. મેલડી માતાના મેળાઓ અને જાત્રાઓમાં ભક્તો અખંડ દીવો પ્રગટાવે છે, જે શક્તિ અને શૌર્યનું પ્રતીક છે. તેમનું સ્વરૂપ ગામના સામૂહિક ચેતનાને એકજૂટ કરે છે, અને લોકગીતોમાં તેમની ગાથાઓ ગવાય છે, જે ગ્રામ્ય સંસ્કૃતિની ધબકાર બની રહે છે.મેલડી માતા ગુજરાત અને પશ્ચિમ ભારતની લોક દેવી તરીકે પૂજાય છે. ખેડૂતો અને ગ્રામજનોની રક્ષક આ દેવી શક્તિ અને કરુણાનું પ્રતીક છે.
પૌરાણિક કથા મુજબ, અમરૂવા રાક્ષસ લોકોને ત્રાસ આપતો હતો. દેવી ઉમાએ રક્ષણ માટે પોતાના હાથની ધૂળમાંથી મેલડી માતાને પ્રગટ કર્યા. મેલડી માતાએ રાક્ષસનો વધ કર્યો. દેવી ચામુંડાએ તેમની પરીક્ષા માટે કામરૂપ મોકલ્યા, જ્યાં મેલડી માતાએ દુષ્ટ શક્તિઓને કાળી બકરીમાં રૂપાંતરિત કરી, તેને વાહન બનાવ્યું અને નવ દુર્ગાના આશીર્વાદ મેળવ્યા.બીજી કથામાં, ગામડાઓ આફતો, રોગો અને દુષ્ટ આત્માઓથી પીડાતા હતા. એક સ્વપ્નમાં મેલડી માતા પ્રગટ થયા, જેમણે ગ્રામજનોને મંદિર બનાવવા અને પૂજા કરવા કહ્યું. નાળિયેર, ગોળ, લાલ કાપડ અને ધૂપની પૂજાથી આફતો દૂર થઈ, પાક લહેરાયા અને શાંતિ પાછી આવી.

વિહોત માતા: સંકટ હરણારિણી
ભરૂચ જિલ્લામાં વિરાજમાન વિહોત માતા દલિત અને ગ્રામ્ય સમુદાયોમાં ખાસ માન્યતા ધરાવે છે. તેમને સંકટ હરણારિણી તરીકે ઓળખવામાં આવે છે, જે મુશ્કેલીઓ દૂર કરી ભક્તોને આશ્રય આપે છે. દૈત્યના સંહાર માટે બંનેએ મળીને કાર્ય કર્યું હોવાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિહોત માતા અને મેલડી માતાની એકસાથે પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

આશાપુરા માતા
કચ્છના માતાનાં મઢ ખાતે વિરાજમાન આશાપુરા માતા ભક્તોની આશાઓ પૂર્ણ કરનારી દેવી તરીકે પ્રખ્યાત છે. કચ્છના રાજવંશની કુલદેવી તરીકે તેમનું વિશેષ મહત્વ છે. લાખો યાત્રાળુઓ નવરાત્રી દરમિયાન તેમના દર્શન માટે ઉમટે છે, અને તેમનું મંદિર કચ્છની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું જીવંત કેન્દ્ર છે. આશાપુરા માતા ભક્તોના હૈયામાં આશા અને વિશ્વાસની જ્યોત પ્રગટાવે છે, જે ગામડાંઓથી લઈને શહેરો સુધી ફેલાયેલી છે. આ સિવાય ગુજરાત/સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ તેની પુજા થાય છે

સંતોષી માતા: સુખ અને શાંતિની દેવી:
વીસમી સદીમાં, ખાસ કરીને 1975ની ફિલ્મ જય સંતોષી માતા પછી, સંતોષી માતા ભારતભરમાં લોકપ્રિય બન્યા. તેમની ઉપાસના શુક્રવારે વ્રત અને ગોળ-ચણાના પ્રસાદ સાથે કરવામાં આવે છે. સંતોષી માતા સંતોષ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમની આરાધના આધુનિક યુગમાં પણ લોકદેવી પરંપરાની સજીવતા દર્શાવે છે.

રવેચી માતા:
કચ્છના રાવ ગામમાં વિરાજમાન રવેચી માતા ગામદેવી તરીકે પૂજાય છે. લોકકથા મુજબ, તેઓ એક રાજક્ધયા હતા, જેમણે ગામની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું. મંદિરનું મૂળ નિર્માણ પાંડવકાલીન માનવામાં આવે છે, જ્યારે તેનું પુન:નિર્માણ ઈ.સ. 1821માં કરવામાં આવ્યું.
નવરાત્રી અને ભાદરવા સુદ આઠમના મેળામાં રબારી, ચરણ, આહિર સમુદાયો પરંપરાગત વસ્ત્રોમાં ઉમટે છે. ભક્તો અન્ન, નાળિયેર અને ચુન્દડી અર્પણ કરે છે. રવેચી માતા કચ્છની લોકસંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે, જે લોકગીતો, ગાથાઓ અને ભજનોમાં અમર બની છે.

મોમાઈ માતા (દશામા):
કચ્છના મોમાયમોરા ગામમાં વિરાજમાન મોમાઈ માતા રબારી સમાજની કુલદેવી તરીકે પૂજાય છે. ચાર હાથવાળી આ દેવી ઊંટ કે ઘોડા પર સવાર હોય છે, જેમના હાથમાં ત્રિશૂલ (શક્તિ), તલવાર (વીરતા), કમળ (શુદ્ધતા) અને કવચ (રક્ષણ) હોય છે. તેમનું યુદ્ધપ્રસૂત સ્વરૂપ રબારી સમાજની યોદ્ધા પરંપરા સાથે જોડાયેલું છે.
મોમાઈ માતાનું મંદિર નવરાત્રી દરમિયાન વિશાળ મેળાનું કેન્દ્ર બને છે, જ્યાં ગરબા, ભજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રબારી, જાડેજા, ચાવડા, સોધા, બારાલિયા, ઉદેશ, બારડાઈ બ્રાહ્મણ અને મિસ્ત્રી સમુદાયો તેમને કુલદેવી તરીકે આરાધે છે. મોમાઈ માતાનો મેળો રબારી સમાજની પરંપરાગત વેશભૂષા, ગરબા અને ભજનોથી રંગીન બને છે, જે પશુપાલન અને યોદ્ધા પરંપરાનું જીવંત પ્રતિનિધિત્વ કરે છે.

કનકાઈ માતા:
જૂનાગઢ જિલ્લાના ગિરના ગાઢ જંગલોની વચ્ચે, જ્યાં નદીનો કલકલ વહેતો પ્રવાહ પ્રકૃતિની શાંતિ સાથે વાતો કરે છે, ત્યાં કનકાઈ માતાનું પવિત્ર મંદિર બિરાજે છે. તુલસીશ્યામથી 22 કિલોમીટરના જંગલી માર્ગે પહોંચી શકાતું આ સ્થળ, પ્રકૃતિની લીલાછમ સુંદરતાથી આચ્છાદિત છે. લગભગ 500 વર્ષ જૂનું માનવામાં આવતું આ મંદિર શ્રી કનકેશ્વરી માતાજીનું ધામ છે, જે આરાસુરી અંબાના શક્તિસ્વરૂપે પૂજાય છે.
મંદિરની તળેટીમાં વહેતી નદીનું પાણી દર્શનનો અભિન્ન ભાગ બની રહે છે. લોકમાન્યતા અનુસાર, આ નદીનું પવિત્ર જળ દેવીની શક્તિનું વાહક છે, જે ભક્તોના મનમાં આધ્યાત્મિક શુદ્ધતા અને શાંતિ જગાડે છે. ભુદરજીનું મંદિર અને પાંચ પાળિયાં આ સ્થળની ઐતિહાસિકતા અને લોકશ્રદ્ધાને વધુ ગહન બનાવે છે. આ પાળિયાં, જે ગ્રામ્ય પરંપરાઓમાં વીરતા અને બલિદાનનું પ્રતીક ગણાય છે, દેવીની રક્ષણશક્તિ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. મધ્ય ગિરના ગામડાઓમાં, આ દેવી ગ્રામ્ય જીવનનું કેન્દ્રસ્થાન છે, જે નદી, જંગલ, અને કુદરતી સંસાધનોના રક્ષણ સાથે સંકળાયેલી છે. દૂરદૂરથી ભક્તો આ સ્થળે દર્શન માટે આવે છે.

રાંદલ માતા:
પુરાણોના પવિત્ર પન્નાઓમાં, સૂર્યદેવની પત્ની સંજ્ઞાની કથા એક ગહન આધ્યાત્મિક સંદેશ ધરાવે છે. સૂર્યનું પ્રચંડ તેજ સહન ન કરી શકતાં, સંજ્ઞાએ પોતાની છાયા રચી અને તપસ્યા માટે નીકળી ગઈ. આ છાયા, જે લોકપરંપરામાં રાંદલ અથવા રન્નાદેવી તરીકે પૂજાય છે, ગુજરાતના લોકજીવનમાં સંતાનપ્રાપ્તિ અને ગૃહસુખની દેવી તરીકે સ્થાન પામી છે. પુરાણો અનુસાર, સંજ્ઞાથી યમ અને યમુના જન્મ્યાં, જ્યારે રાંદલ પાસેથી શનિ અને તપતી જેવાં સંતાનોનો જન્મ થયો. વિશ્વકર્માએ સૂર્યના તેજને સમાયોજિત કરી, સંજ્ઞાને પાછી ફરવાનો માર્ગ મોકળો કર્યો, પરંતુ રાંદલનું સ્વરૂપ લોકશ્રદ્ધામાં એક સ્વતંત્ર શક્તિ તરીકે અમર થયું. શાસ્ત્રીય દૃષ્ટિએ, રાંદલ સંજ્ઞાની ‘છાયા’ છે, પરંતુ લોકપરંપરામાં તે એક શક્તિશાળી દેવી છે.
ચારણ જાતિની કેટલીક સ્ત્રીઓને દેવત્વ આપવામાં આવ્યું છે. આવી સ્ત્રીઓને માતા/દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે તેઓ શ્રાપ આપી શકે છે અને ઉપચાર પણ કરી શકે છે.તેમનાં અવસાન પછી પણ જો મોટો અનુયાયી વર્ગ હોય તો તેમને દેવી તરીકે સ્વીકારાય છે. એ જ પરંપરામાં મોગલ મા:
સૌરાષ્ટ્રની ફળદ્રૂપ ધરતી પર, ચારણ, અહીર, અને રબારી સમુદાયોના હૃદયમાં મોગલ માતા એક રક્ષણકારી અને યુદ્ધરૂપી શક્તિ તરીકે બિરાજે છે. તેમના પવિત્ર ધામો-ભિમરાણા, ભગુડા, અને કચ્છનું કાબરાઉ-લોકભક્તિના કેન્દ્રો તરીકે ખ્યાતિ પામ્યા છે. મોગલ માતાની કથાઓ મૌખિક પરંપરાઓ અને લોકગાથાઓમાં સચવાયેલી છે, જે ચારણ સમુદાયની શૌર્ય અને ગૌરવની ગાથાઓ સાથે જોડાયેલી છે. તેમના મંદિરો ગ્રામ્ય મેળાઓનું કેન્દ્ર બની રહે છે. સોનલ મા: આધુનિક યુગની આધ્યાત્મિક નેત્રી
જૂનાગઢના મઢડાગામે 8 જાન્યુઆરી, 1924ના રોજ જન્મેલ સોનલ મા ચારણ અને ગઢવી સમુદાયો સાથે સંકળાયેલા છે સોનલ માએ સામાજિક સેવા, આધ્યાત્મિક જાગૃતિ, અને સંસ્કૃતિના સંરક્ષણ માટે પોતાનું જીવન અર્પણ કર્યું. તેમના કાર્યો ચારણોની શૌર્યગાથાઓ લોકકથાઓના સંરક્ષણ સાથે જોડાયેલા છે, જે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખે છે. નાગલ માતા: સર્પદંશ નિવારક અને રક્ષણકારી દેવી તરીકે માનવામાં આવે છે. તેઓના મંદિરો નાગ અને સર્પ સંરક્ષણ સાથે જોડાયેલા છે.

પીઠડ આઈ:
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલું પીઠડ ગામ પીઠડ આઈનું પવિત્ર ધામ છે. આ મંદિર સ્થાનિક લોકજીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
જોકે, પીઠડ આઈના ઐતિહાસિક ઉદ્ગમ વિશે ચોક્કસ માહિતી મર્યાદિત છે. લોકપરંપરા અનુસાર, પીઠડ આઈ ગ્રામ્ય રક્ષણ અને સમૃદ્ધિની દેવી તરીકે આરાધ્ય છે, જે સ્થાનિક સમુદાયોના આધ્યાત્મિક જીવનનો અભિન્ન હિસ્સો છે.
બહુચર માતા:
બહુચર માતા પાટણ જિલ્લાના બહુચરજી ગામે સ્થિત શક્તિ સ્વરૂપની દેવી છે, જે સ્ત્રી શક્તિ અને ધૈર્યનું પ્રતીક ગણાય છે. ખાસ કરીને હિજડા/તૃતીય લિંગ સમુદાય તેમની પૂજામાં વિશેષ ભક્તિ દર્શાવે છે. ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તેમની આસ્થા ફેલાયેલી છે, અને તેમનું મંદિર ભક્તો માટે મહત્વનું યાત્રાધામ છે.
બુટભવાની:
બુટભવાની ગુજરાતની ગ્રામ્ય લોકદેવી છે, જે ગામડાઓમાં લોકમાન્યતાઓ દ્વારા પૂજાય છે. તેમના મંદિરો ગુજરાતના નાના ગામોમાં આવેલા છે, તેમના ઉત્પત્તિ અંગે દસ્તાવેજી માહિતી ઓછી છે, પરંતુ લોકગીતોમાં તેમની શક્તિ અને કરુણાનું વર્ણન જોવા મળે છે.
બ્રાહ્મણી માતા:
બ્રાહ્મણી માતાનું પ્રાચીન મંદિર ઇટાવા (ઉત્તર પ્રદેશ)માં યમુના કિનારે આવેલું છે. યુપીથી સૌરાષ્ટ્ર આવીને વસેલા કનોજીયા સમુદાયોને કારણે આ દેવીનું પ્રચલન સૌરાષ્ટ્ર/ગુજરાતમાં થયું હોવાનું મનાય છે.સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણી માતા કુલદેવી તરીકે પૂજાય છે.

બ્રાહ્મણી માતા
બ્રાહ્મણી માતાનું પ્રાચીન મંદિર ઇટાવા (ઉત્તર પ્રદેશ)માં યમુના કિનારે આવેલું છે. યુપીથી સૌરાષ્ટ્ર આવીને વસેલા કનોજીયા સમુદાયોને કારણે આ દેવીનું પ્રચલન સૌરાષ્ટ્ર/ગુજરાતમાં થયું હોવાનું મનાય છે.સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણી માતા કુલદેવી તરીકે પૂજાય છે.
ગાત્રાળ મા
ગાત્રાળ મા, જેને ગાત્રાણી કે ગાત્રાજ મા તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતની ગ્રામદેવી છે. શાસ્ત્રોમાં તેમનો ઉલ્લેખ નથી, પરંતુ લોકમાન્યતા અનુસાર તેઓ ગામ અને કુટુંબના રક્ષણ માટે પ્રગટ થયા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમના મંદિરો આવેલા છે, જ્યાં ગામલોકો તેમને દુષ્કાળ, રોગચાળો અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપનારી દેવી માને છે.
ગેલ માતા
ગેલ માતા ગુજરાતની ગ્રામ્ય લોકદેવી છે, જેનો સંબંધ ભાડલા ગામ (ભદ્રપુર) સાથે છે, જે 1800 વર્ષ પહેલાં ડોડીઆ રાજપૂતોની રાજધાની હતું. તેમનું મુખ્ય મંદિર ભાડલામાં આવેલું છે. તેમના ઉત્પત્તિ અંગે ઐતિહાસિક માહિતી ઓછી છે, પરંતુ લોકવાર્તાઓમાં તેમની શક્તિ અને ગામના રક્ષક તરીકેનું મહત્વ વર્ણવાય છે.
હડકાઈ માતા
હડકાઈ માતા સૌરાષ્ટ્રમાં કૂતરાના કરડવાથી (રેબીઝ)થી રક્ષણ આપનારી લોકદેવી છે. ખાસ કરીને દેવિપુજક સમુદાયમાં તેમની પૂજા થાય છે, જે રોગચાળા અને બીમારીઓથી બચાવનારી દેવીઓને માને છે. તેમના મંદિરો ગામડાઓમાં હોય છે, અને ભક્તો નાળિયેર, ફૂલો અને દીવા ચડાવે છે.
હરસિદ્ધિ/સિકોતર/વહાણવટી માતા
સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના બડોદરા ગામ માં વહાણવટી સિકોતર માતાનું મંદિરનું અનેરું મહાત્મ્ય છે આ મંદિર મેશ્વો નદી કિનારે આવેલી એક નાની ટેકરી પર છે જે ખૂબજ પ્રસિદ્ધ છે અત્યારે હાલના સમયમાં તે વહાણવટી યાત્રાધામ તરીકે ઓળખાય છે. બીજું, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હરસિદ્ધિ માં ને હર્શલ, હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે. દરિયાની રક્ષણદાત્રી
ગુજરાતમાં ઠેર ઠેર પૂજાતી સિકોતર માતા દરિયાઈ યાત્રીઓ અને માછીમારોની આસ્થાનું કેન્દ્ર છે. આ દેવી દરિયાની ઉગ્ર શક્તિઓને શાંત કરી, નાવિકોને સુરક્ષિત રાખે છે એવી માન્યતા છે. સિકોતર માતા ગુજરાતના કાંઠાવર્તી સમાજના જીવનનું એક અભિન્ન અંગ છે.
જેતબાઈ મા
જેતબાઈ મા ગુજરાતની લોકદેવી છે, જેનો ઇતિહાસ લોકકથાઓ અને ગ્રામ્ય પરંપરાઓમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં તેમનો ઉલ્લેખ નથી, પરંતુ લોકવાર્તાઓમાં તેઓ દુષ્ટ શક્તિઓથી ગામલોકોનું રક્ષણ કરનારી શક્તિશાળી દેવી તરીકે વર્ણવાય છે. તેમની પૂજા દુ:ખ નિવારણ, સંતાનપ્રાપ્તિ અને કુટુંબના સુખ માટે થાય છે, જે ગ્રામ્ય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે.
જોગણી મા
છિન્નમસ્તા દેવીનું લૌકિક સ્વરૂપ, જોગણી શબ્દને ઘણીવાર યોગિનીના સંદર્ભમાં સમજવામાં આવે છે-એક આધ્યાત્મિક અને રહસ્યમય સ્ત્રી દેવતા, જે તાંત્રિક પરંપરાથી આવે છે. જોગણી માતા ‘માતા ની પછેડી’માં મુખ્ય દેવીઓમાંની એક ગણાય છે, જે ગુજરાતના આંતરિક ભાગોમાં ખાસ કરીને ખાનગી લોકોની દેવી પૂજા માટેની લોક કલા પરંપરા છે. જોગણી મા ગુજરાતની ગ્રામદેવી છે, જે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પૂજાય છે. લોકકથાઓમાં તેમણે રાક્ષસોનો નાશ કરી ગામને બચાવ્યું હોવાનું વર્ણન છે.

કાંધલી મા:
કાંધલી માતા એ મહેર સમાજના કેટલાક ગોત્રના કુળદેવી છે.તેમનું મુખ્ય મંદિર પોરબંદર તાલુકાના કડછ ગામમાં આવેલું છે. મહેર સમાજના લોકો તેમને પોતાના સંરક્ષક અને શક્તિનું પ્રતીક માને છે અને તેમની પૂજા કરે છે. આ ઉપરાંત તેઓ અનેક સમુદાય-સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલા છે.

શીતલા માતા:
શીતલા માતા ગુજરાતની લોકદેવી છે. શીતલા સાતમે ઠંડા ભોજનનો નૈવેદ્ય ચડે છે, અને રસોઈ ન બનાવવાની પરંપરા છે. લોકવાર્તાઓમાં તેમને રોગથી બચાવનારી દેવી ગણવામાં આવે છે, અને શીતલા સાતમના મેળાઓ ઉત્સાહથી ઉજવાય છે.

વેરાઈ માતા:
વેરાઈ માતા મુખ્યત્વે ચૌધરી સમાજના કુળદેવી તરીકે પૂજાય છે, પરંતુ અન્ય સમાજોના લોકો પણ તેમને શ્રદ્ધાથી પૂજે છે. વેરાઈ માતાને શક્તિ, સમૃદ્ધિ અને સંરક્ષણનું પ્રતીક માનવામાં આવે છે.વારાહીનું લોકપરંપરામાં પૂજાતુ સ્વરૂપ છે લોકકથાઓમાં તેમજ ગુજરાતની લોક સંસ્કૃતિ અને આસ્થાનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે.

રાણકી રુડકી માતા:
સૌરાષ્ટ્રમાં રાણકી રુડકી માતા એક લોકદેવી તરીકે ઉપાસવામાં આવે છે, જે ખાસ કરીને ગામની રક્ષા અને કુદરતી આપત્તિઓથી બચાવ માટે લોકોમાં માન્ય છે. લોકવાર્તાઓ અને લોકગીતોમાં તેને શક્તિશાળી સ્ત્રીરૂપ દેવી તરીકે દર્શાવવામાં આવે છે, જે વન્યપ્રાણીઓ, દુશ્મન અથવા અન્ય ખતરાઓથી ગામને સુરક્ષિત રાખે છે. વ્રત, આરતી અને લોકગાયન દ્વારા તેની પૂજા કરવી પરંપરા છે, જે પ્રાચીન સમયમાં ગ્રામીણ સમાજના માનસિક અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ રહી છે.

મેહુલ માતા:
મેહુલ માતા પણ સૌરાષ્ટ્રની લોકપરંપરાની એક શક્તિશાળી સ્ત્રીરૂપ દેવિ છે, જે મુખ્યત્વે પરિવારોની સુખ-શાંતિ, ફસલની સુરક્ષા અને ઘરની સમૃદ્ધિ માટે ઉપાસવામાં આવે છે. લોકગીતોમાં અને વાર્તાઓમાં મેહુલ માતાને કુટુંબ અને ગામને રક્ષણ આપવા માટેની શક્તિ ધરાવતી દર્શાવવામાં આવે છે. વ્રત, લોકગાયન અને દૈનિક ઉપાસનાના માધ્યમથી લોકો તેમની આદરણીય પૂજા કરે છે, અને આ પરંપરા આજ સુધી લોકજીવનમાં જીવંત છે.

જસુ માતા: એકલતા અને કુળ રક્ષણની દેવી
જસુ માતા ગુજરાતની ઉત્તર ભાગમાં પૂજાયેલી લોક દેવી છે, જેને એકલ માતા કે જસુદા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કથા આદિવાસી અને ગ્રામીણ સમુદાયોની છે. એક કિવદંતી અનુસાર, જસુ માતા એક એકલી સ્ત્રી હતી, જે પોતાના પરિવારને દુષ્ટ આત્માઓથી બચાવવા માટે પ્રગટ થઈ. તેમના ગામમાં આફતો આવતી, પરંતુ તેમની પૂજાથી શાંતિ આવી. તેઓ કુળદેવી તરીકે લગ્ન અને ગૃહપ્રવેશમાં પૂજાય છે. ગુજરાતના ચારણ લોકગીતોમાં તેમની વાર્તાઓ છે, જે માતા દેવીની પૂજાને દર્શાવે છે. તેમને લાલ વસ્ત્ર અને ત્રિશૂળ સાથે ચિત્રિત કરવામાં આવે છે, અને તેમની પૂજા ગ્રામીણ જીવનની મુશ્કેલીઓથી રાહત આપે છે.

વરૂડી માતા:
વરૂડી માતા ગુજરાતની લોકધર્મમાં એક પ્રસિદ્ધ દેવી છે, જેને રક્ષા અને સહાયની દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમની પ્રાગટ્ય કથા કાલાવડ નજીકના ધુળસીયા ગામ સાથે જોડાયેલી છે, જ્યાં સાંખડા ચારણને સ્વપ્નમાં માતાએ જણાવ્યું કે તે તેમના ઘરમાં દીકરી રૂપે અવતરી છે. સ્થાનિક લોકો તેના ચમત્કારને લઈને તેને પૂજવા લાગ્યા, જે પછી વરુડી માતા તરીકે લોકમાં વિખ્યાત થઈ. આજ પણ ધુળસીયા મંદિર ભાવિકોનું આશ્રયસ્થાન છે.

ખોડીયાર માતા:
ખોડીયાર માતાની પૂજા ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં થાય છે. તેમને માત્રધાર્મિક દેવી જ નહીં, પરંતુ એક સંરક્ષક અને પાલનહાર તરીકે પણ જોવામાં આવે છે. ખેડૂતો પાકની વાવણી અને લણણી પહેલાં તેમની પૂજા કરે છે. માછીમારો અને પશુપાલકો પણ પોતાની આજીવિકાની સુરક્ષા માટે તેમની પ્રાર્થના કરે છે. આ દેવીના મંદિરો મોટાભાગે નદી કિનારે કે તળાવ પાસે જોવા મળે છે, જે તેમના જળ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. આમ, ખોડીયાર માતા માત્ર એક પૂજનીય દેવી જ નથી, પરંતુ ગ્રામીણ સમાજની આસ્થા, સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે.

રંગુન માતા, માતરી મા, લીંબોચ ભવાની, ખંભલાઈમા, મચ્છુમા / મચ્છોમા પણ ગુજરાતમાં લોકમાતા / ગ્રામ્ય દેવી તરીકે પૂજાય છે

 

You Might Also Like

રાવણ એક, પ્રતિભા અનેક

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

ડિમ્પલ ભાનુશાળી: રાઈઝિંગ સ્ટાર ઓફ ફેશન ઇન્ડસ્ટ્રી ફ્રોમ ફાઇનાન્સ ટુ ફેશન

શ્રાદ્ધ પર્વ અને પૂર્વજ સન્માનની વૈશ્ર્વિક પરંપરાઓ: એક વિસ્તૃત સાંસ્કૃતિક અધ્યયન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

TAGGED: Folk Goddesses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉજળી ખાંડના કાળા કામ : ખાંડના 5 શિકાર
Next Article પાટડીમાં આયોજિત નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં ફેરિયાઓએ લાભ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

રાવણ એક, પ્રતિભા અનેક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

ડિમ્પલ ભાનુશાળી: રાઈઝિંગ સ્ટાર ઓફ ફેશન ઇન્ડસ્ટ્રી ફ્રોમ ફાઇનાન્સ ટુ ફેશન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?