By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    21 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    24 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    24 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Kinnar Acharya

છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 5:03 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

કોલકાતા દૂષ્કર્મ જેવો અત્યાચાર આખા દેશમાં દર્દીઓ પર પ્રતિપળ થયા કરે છે

ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે

- Advertisement -

કોલકાતામાં બનેલી ઘટના ખરેખર દુ:ખદ છે. આંચકાજનક, સ્તબ્ધ કરી દેનારી અને રડાવી દે તેવી છે. પશ્ર્ચિમ બંગાળનો આ કિસ્સો સ્પષ્ટપણે દૂષ્કર્મ, વિકૃતિનો છે. પિશાચીવૃત્તિ તેમાં દેખાઈ આવે છે. આ પાપની અત્યંત કડક સજા- ફાંસી ગુનેગારોને મળવી જોઈએ એવું લગભગ બધાં માને છે. મહિલા પર રૅપ અને હત્યા તો બહુ દૂરની વાત છે, સભ્ય સમાજમાં આંખોથી કે વાણીથી થતી બીભત્સ છેડતી પણ હરગીઝ સ્વીકાર્ય ન હોય. શુક્રવાર, તારીખ 16 ઓગસ્ટે ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલયએ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને સૂચના આપી કે, ડૉકટર અથવા નર્સિંગ સ્ટાફ પર કોઈપણ પ્રકારના જુલ્મ, હાથચાલાકી થાય તો તેની પોલીસ ફરિયાદ છ કલાકની અંદર નોંધાવવી. મંત્રાલયએ કહ્યું છે કે, તાજેતરમાં દેશભરમાં ડૉકટર્સ અને નર્સિંગ સ્ટાફ સાથે ગંભીર ઝઘડાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
આરોગ્ય મંત્રાલય પણ આકરાં પાણીએ છે અને ચારેક લાખ મેમ્બર્સ ધરાવતું સંગઠન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પણ એકદમ ક્રોધિત છે. તેઓ દેશભરમાં રેલીઓ કાઢી રહ્યાં છે, ઈમરજન્સી સિવાયની બધી જ આરોગ્ય સેવાઓ તેમણે ઠપ કરી દીધી છે. એમનો ગુસ્સો વાજબી પણ છે. કોલકાતાની ઘટના ધ્રુજાવી દે તેવી છે. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ તો થથરી જ ઉઠે પરંતુ સંવેદનહિન મનુષ્ય ય હચમચી જાય.

પણ એક ગ્રાહક તરીકે, આરોગ્ય સેવાના ઉપભોક્તા તરીકે, મેડીક્લેઈમનું પચાસેક હજારનું પ્રીમિયમ ભરતા વીમાધારક તરીકે, પેશન્ટ તરીકે મારા મનમાં કેટલાંક સવાલો છે. આમ તો આ બધાં પ્રશ્ર્નો નિત્ય દિલ-દિમાગમાં ઉછળતાં રહે છે પરંતુ ઈંખઅની અદ્ભુત સક્રિયતા જોઈને તેનાં પર લખવાનું સૂઝ્યું.

સવાલ નંબર એક: હાલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જે હદે એક્ટિવ છે- તેટલું જ સક્રિય મેડિકલ નીગ્લિજન્સનાં કિસ્સાઓમાં શા માટે હોતું નથી? ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખવાની, એક આંખને બદલે બીજી ચીરી નાંખવાની, પેટમાં કાતર કે રૂનાં પૂમડાં રહી જવાની ઘટના દેશમાં લગભગ દરરોજ બને છે. અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાની, ડૉકટરની બેદરકારીથી સામૂહિક અંધાપો આવી જવાની ઘટનાઓ પણ અનેક વખત નોંધાઈ છે. ઇંઈંટ પોઝિટિવ પેશન્ટનું લોહી અન્ય દર્દીને ચડાવી દેવાના કિસ્સાઓ અનેક વખત નોંધાયા છે. ડૉકટર્સની અણઆવડતથી અને બેદરકારીથી અગણિત લોકો લકવાગ્રસ્ત થયા છે. આવા દુ:ખદ કિસ્સાઓનો કોઈ પાર નથી. આવી ઘટનાઓની સંખ્યા એટલી છે કે, તેનો રેકર્ડ રાખવો પણ શક્ય નથી.

- Advertisement -

આવા એકપણ કિસ્સામાં ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશનને રેલી કાઢીને પીડિતને ન્યાય અપાવવાનું યોગ્ય ન લાગ્યું? જે-તે ડૉકટર કે નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે બે કલાકની પ્રતીક હડતાલ કરવાનું પણ શું યોગ્ય ન લાગ્યું? જો આવા બનાવ વખતે આપણે એકપણ વખત ફરજ નિભાવી ન હોય તો આ વખતે હક્ક પણ ન માંગો. છેવટે આટલાં ભણતરનો ફાયદો શો? દિમાગ ડેવલપ જ ન થાય અને અંતરાત્મા જાગૃત ન થાય એવું એજ્યુકેશન મેળવવું એ પણ નિરક્ષરતા જ છે.

પ્રશ્ર્ન બીજો: ભારતમાં અન-ઍથિકલ પ્રેક્ટિસ કરનારા ડૉકટર્સની ટકાવારી કેટલી? લગભગ નેવું ટકા. ખોટાં ઓપરેશનો સજેસ્ટ કરવા, ચોક્કસ કંપનીઓની જ દવા દર્દીઓને લખી આપવી, ધરાહાર ક્ધટેન્ટ આધારિત પ્રિસ્ક્રિપ્શન ન આપવું, જેનેરિક મેડિસિન્સ અંગે દર્દીઓના દિમાગમાં ઝેર ઠાલવવું. આ બધી ગેરરીતિ શું કોઈ મહાન-વણઉકલ્યું રહસ્ય છે? મારા એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મિત્ર કહેતાં હોય છે કે, ફાર્મા કંપનીની બે-ચાર હજારની ગિફ્ટ માટે પણ અમૂક ડૉકટર્સ મરતા હોય છે. એવાં ડૉકટર્સ- જેની રોજની પ્રેક્ટિસ લાખોમાં હોય છે.

મુદ્દો ત્રીજો: અમારા જ અખબારે રાજકોટના પીડિયાટ્રિશિયન ડૉ. હિરેન મશરૂના કૌભાંડો અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ રાજકોટના અગ્રણી દૈનિકે વિગતવાર, પુરાવા સાથે આખી અહેવાલમાળા છાપી. ડૉ. મશરૂને કરોડોનો દંડ થયો. અપરાધ તેણે કબૂલ કર્યાં. એ સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ મેડિકલ કમિશને શું કર્યું? શું ડૉ. મશરૂનું લાયસન્સ રદ કરાવવા કોઈ કાર્યવાહી થઈ? કોઈ ધરણાં? કોઈ રેલી? હડતાલ? કંઈપણ? ના. કશું જ નહીં. ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન-ગુજરાતના પ્રમુખ પણ રાજકોટના જ છે. ડૉ. ભરત કાકડિયા. આ મહાશય ઊગઝ સર્જન છે- તેમની લબાડવૃત્તિનો અને બેદરકારી, બેજવાબદાર પ્રેક્ટિસનો જાત અનુભવ છે. આવા હોદ્દેદારો અન્ય ડૉકટર્સ પર કશીક પ્રતિક્રિયા આપે તો તેમનો દૂષિત અંતરાત્મા તેમને ડંખે.

ડૉ. મશરૂનો ગુનો ગંભીર હતો. એ સરકારી યોજનાનો ગેરલાભ લેવા, બાળકોને વધુ સમય એડમિટ રાખવા રિપોર્ટ સાથે ચેડાં કરતો હતો. સેંકડો બાળકોને તેણે બીમારી વગર પણ અઠવાડિયાઓ સુધી હૉસ્પિટલમાં ગોંધી રાખ્યા, બાળકોના પરિવારજનોને માનસિક, શારિરીક, આર્થિક કષ્ટ આપ્યું. શું આ ઘટનાની ઈન્ટેન્સિટી, તેની તીવ્રતા પેલી કોલકાતાની ઘટના કરતા ઓછી છે? રાજકોટના અન્ય એક પીડિયાટ્રિશિયને બાલસખા યોજનાનો ભરપૂર ગેરલાભ લીધો, શહેરની ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ગયા વર્ષે જેટલી ડીલિવરી થઈ, તેમાંથી 97% હાઈરિસ્ક ડીલિવરી તરીકે ખપાવાઈ- જેથી સરકાર પાસેથી વધુ પૈસા ખંખેરી શકાય. મોટી હૉસ્પિટલોમાં દર્દીને લઈ જઈએ ત્યારે પહેલો સવાલ એ હોય છે કે, ‘મેડિક્લેઈમ છે?’ શા માટે, એ આપણને ખ્યાલ જ છે. દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં?

ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે. આ મુદ્દે કેટલાં કલાકમાં નાગરિકોએ એફ.આઈ.આર. નોંધાવવી જોઈએ? શું પોલીસ આવી ફરિયાદ નોંધવા તૈયાર થશે? આખો ઘાણવો દાઝી ગયો છે. સરકારથી લઈને મીડિયા, કોર્પોરેટ્સ, બ્યુરોક્રસી… બધે જ ગેરરીતિ, કૌભાંડો છે. પરંતુ ડૉકટર્સના અભિગમ, નીતિમત્તાનો સીધો સંબંધ લોકોના સ્વાસ્થ્ય સાથે અને જિંદગી સાથે છે. આ બાબતે દેશમાં જવાબદારી, જવાબદેહી નથી. કોઈ રિસ્પોન્સિબલ નથી, કોઈ આન્સરેબલ નથી. આ પણ કોલકાતા દૂષ્કર્મ કાંડ જેવી જ વિભિષિકા છે. નિત્ય, પ્રતિદિન, પ્રતિપળ આકાર લેતી મહાદૂર્ઘટના.

લખવા જેવું ઘણું છે. પરંતુ આજની છેલ્લી વાત: ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે. દર્દીઓના સગાનાં તોફાન, તોછડાંઈની વાતો અમે પોતે પણ અવારનવાર છાપીએ છીએ. પરંતુ પત્રકાર તરીકે હું સ્વીકારું છું કે, ડૉકટર અને નર્સિંગ સ્ટાફની તોછડાઈ-નફ્ફટાઈની વાતો ધરબાયેલી જ રહે છે. રોજની લાખોની પ્રેક્ટિસ કરતાં ડૉકટર્સને પણ ફૂટી ગયેલા દેશી તમંચા જેવી રિસેપ્શનિસ્ટ રાખતા મેં જોયા છે. અસ્સલ ડોકરી જેવી આ છોકરીઓ મોટાભાગે સેડિસ્ટ હોય છે, બોલવા-ચાલવાનું, વ્યવહારનું ભાન હોતું નથી. નામ નોંધનારી બાઈ મોટાભાગે કર્કશા હોય છે. નર્સિંગસ્ટાફ ભાગ્યે જ ક્યારેક માયાળુ હોય છે. ડાકટરોની ફરજ છે કે, આવી માનસિક ડોશીયુંને મેડિકલ ક્ષેત્રનું પાયાનું જ્ઞાન (સ્મીત, માયાળુ સ્વભાવ, સાર-સંભાળ વગેરે) આપે. છ કલાકમાં ફરિયાદ જેવો એક નિયમ અહીં પણ હોવો જોઈએ : નર્સિંગ સ્ટાફમાં ક્વૉલિફાઈડ લોકો જ રાખવા અને બાકીના સ્ટાફ માટે લઘુત્તમ લાયકાત: ગ્રેજ્યુએશન. ચાલો ડૉકટર મિત્રો અને નર્સિંગ સ્ટાફના દોસ્તો, એક દેશવ્યાપી આંદોલન આ બધી બાબતો માટે પણ થઈ જાય.

દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં? ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે

You Might Also Like

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

હડતાળ

તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા

ચેન્નઈ’સ ચટનીઝ: ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડનું ઑફિશિયલ સરનામું

TAGGED: Kolkata Doctor Murder Case
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝાલાવાડમાં કલકત્તાની ઘટનાના પડઘા પડ્યા: તમામ હૉસ્પિટલની ઓપીડી બંધ
Next Article શબ્દોનો સ્વાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Kinnar Acharya

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?