By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    1 day ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    1 day ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    1 day ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Kinnar Acharya

છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 5:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

કોલકાતા દૂષ્કર્મ જેવો અત્યાચાર આખા દેશમાં દર્દીઓ પર પ્રતિપળ થયા કરે છે

ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે

- Advertisement -

કોલકાતામાં બનેલી ઘટના ખરેખર દુ:ખદ છે. આંચકાજનક, સ્તબ્ધ કરી દેનારી અને રડાવી દે તેવી છે. પશ્ર્ચિમ બંગાળનો આ કિસ્સો સ્પષ્ટપણે દૂષ્કર્મ, વિકૃતિનો છે. પિશાચીવૃત્તિ તેમાં દેખાઈ આવે છે. આ પાપની અત્યંત કડક સજા- ફાંસી ગુનેગારોને મળવી જોઈએ એવું લગભગ બધાં માને છે. મહિલા પર રૅપ અને હત્યા તો બહુ દૂરની વાત છે, સભ્ય સમાજમાં આંખોથી કે વાણીથી થતી બીભત્સ છેડતી પણ હરગીઝ સ્વીકાર્ય ન હોય. શુક્રવાર, તારીખ 16 ઓગસ્ટે ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલયએ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને સૂચના આપી કે, ડૉકટર અથવા નર્સિંગ સ્ટાફ પર કોઈપણ પ્રકારના જુલ્મ, હાથચાલાકી થાય તો તેની પોલીસ ફરિયાદ છ કલાકની અંદર નોંધાવવી. મંત્રાલયએ કહ્યું છે કે, તાજેતરમાં દેશભરમાં ડૉકટર્સ અને નર્સિંગ સ્ટાફ સાથે ગંભીર ઝઘડાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
આરોગ્ય મંત્રાલય પણ આકરાં પાણીએ છે અને ચારેક લાખ મેમ્બર્સ ધરાવતું સંગઠન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પણ એકદમ ક્રોધિત છે. તેઓ દેશભરમાં રેલીઓ કાઢી રહ્યાં છે, ઈમરજન્સી સિવાયની બધી જ આરોગ્ય સેવાઓ તેમણે ઠપ કરી દીધી છે. એમનો ગુસ્સો વાજબી પણ છે. કોલકાતાની ઘટના ધ્રુજાવી દે તેવી છે. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ તો થથરી જ ઉઠે પરંતુ સંવેદનહિન મનુષ્ય ય હચમચી જાય.

પણ એક ગ્રાહક તરીકે, આરોગ્ય સેવાના ઉપભોક્તા તરીકે, મેડીક્લેઈમનું પચાસેક હજારનું પ્રીમિયમ ભરતા વીમાધારક તરીકે, પેશન્ટ તરીકે મારા મનમાં કેટલાંક સવાલો છે. આમ તો આ બધાં પ્રશ્ર્નો નિત્ય દિલ-દિમાગમાં ઉછળતાં રહે છે પરંતુ ઈંખઅની અદ્ભુત સક્રિયતા જોઈને તેનાં પર લખવાનું સૂઝ્યું.

સવાલ નંબર એક: હાલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જે હદે એક્ટિવ છે- તેટલું જ સક્રિય મેડિકલ નીગ્લિજન્સનાં કિસ્સાઓમાં શા માટે હોતું નથી? ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખવાની, એક આંખને બદલે બીજી ચીરી નાંખવાની, પેટમાં કાતર કે રૂનાં પૂમડાં રહી જવાની ઘટના દેશમાં લગભગ દરરોજ બને છે. અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાની, ડૉકટરની બેદરકારીથી સામૂહિક અંધાપો આવી જવાની ઘટનાઓ પણ અનેક વખત નોંધાઈ છે. ઇંઈંટ પોઝિટિવ પેશન્ટનું લોહી અન્ય દર્દીને ચડાવી દેવાના કિસ્સાઓ અનેક વખત નોંધાયા છે. ડૉકટર્સની અણઆવડતથી અને બેદરકારીથી અગણિત લોકો લકવાગ્રસ્ત થયા છે. આવા દુ:ખદ કિસ્સાઓનો કોઈ પાર નથી. આવી ઘટનાઓની સંખ્યા એટલી છે કે, તેનો રેકર્ડ રાખવો પણ શક્ય નથી.

- Advertisement -

આવા એકપણ કિસ્સામાં ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશનને રેલી કાઢીને પીડિતને ન્યાય અપાવવાનું યોગ્ય ન લાગ્યું? જે-તે ડૉકટર કે નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે બે કલાકની પ્રતીક હડતાલ કરવાનું પણ શું યોગ્ય ન લાગ્યું? જો આવા બનાવ વખતે આપણે એકપણ વખત ફરજ નિભાવી ન હોય તો આ વખતે હક્ક પણ ન માંગો. છેવટે આટલાં ભણતરનો ફાયદો શો? દિમાગ ડેવલપ જ ન થાય અને અંતરાત્મા જાગૃત ન થાય એવું એજ્યુકેશન મેળવવું એ પણ નિરક્ષરતા જ છે.

પ્રશ્ર્ન બીજો: ભારતમાં અન-ઍથિકલ પ્રેક્ટિસ કરનારા ડૉકટર્સની ટકાવારી કેટલી? લગભગ નેવું ટકા. ખોટાં ઓપરેશનો સજેસ્ટ કરવા, ચોક્કસ કંપનીઓની જ દવા દર્દીઓને લખી આપવી, ધરાહાર ક્ધટેન્ટ આધારિત પ્રિસ્ક્રિપ્શન ન આપવું, જેનેરિક મેડિસિન્સ અંગે દર્દીઓના દિમાગમાં ઝેર ઠાલવવું. આ બધી ગેરરીતિ શું કોઈ મહાન-વણઉકલ્યું રહસ્ય છે? મારા એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મિત્ર કહેતાં હોય છે કે, ફાર્મા કંપનીની બે-ચાર હજારની ગિફ્ટ માટે પણ અમૂક ડૉકટર્સ મરતા હોય છે. એવાં ડૉકટર્સ- જેની રોજની પ્રેક્ટિસ લાખોમાં હોય છે.

મુદ્દો ત્રીજો: અમારા જ અખબારે રાજકોટના પીડિયાટ્રિશિયન ડૉ. હિરેન મશરૂના કૌભાંડો અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ રાજકોટના અગ્રણી દૈનિકે વિગતવાર, પુરાવા સાથે આખી અહેવાલમાળા છાપી. ડૉ. મશરૂને કરોડોનો દંડ થયો. અપરાધ તેણે કબૂલ કર્યાં. એ સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ મેડિકલ કમિશને શું કર્યું? શું ડૉ. મશરૂનું લાયસન્સ રદ કરાવવા કોઈ કાર્યવાહી થઈ? કોઈ ધરણાં? કોઈ રેલી? હડતાલ? કંઈપણ? ના. કશું જ નહીં. ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન-ગુજરાતના પ્રમુખ પણ રાજકોટના જ છે. ડૉ. ભરત કાકડિયા. આ મહાશય ઊગઝ સર્જન છે- તેમની લબાડવૃત્તિનો અને બેદરકારી, બેજવાબદાર પ્રેક્ટિસનો જાત અનુભવ છે. આવા હોદ્દેદારો અન્ય ડૉકટર્સ પર કશીક પ્રતિક્રિયા આપે તો તેમનો દૂષિત અંતરાત્મા તેમને ડંખે.

ડૉ. મશરૂનો ગુનો ગંભીર હતો. એ સરકારી યોજનાનો ગેરલાભ લેવા, બાળકોને વધુ સમય એડમિટ રાખવા રિપોર્ટ સાથે ચેડાં કરતો હતો. સેંકડો બાળકોને તેણે બીમારી વગર પણ અઠવાડિયાઓ સુધી હૉસ્પિટલમાં ગોંધી રાખ્યા, બાળકોના પરિવારજનોને માનસિક, શારિરીક, આર્થિક કષ્ટ આપ્યું. શું આ ઘટનાની ઈન્ટેન્સિટી, તેની તીવ્રતા પેલી કોલકાતાની ઘટના કરતા ઓછી છે? રાજકોટના અન્ય એક પીડિયાટ્રિશિયને બાલસખા યોજનાનો ભરપૂર ગેરલાભ લીધો, શહેરની ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ગયા વર્ષે જેટલી ડીલિવરી થઈ, તેમાંથી 97% હાઈરિસ્ક ડીલિવરી તરીકે ખપાવાઈ- જેથી સરકાર પાસેથી વધુ પૈસા ખંખેરી શકાય. મોટી હૉસ્પિટલોમાં દર્દીને લઈ જઈએ ત્યારે પહેલો સવાલ એ હોય છે કે, ‘મેડિક્લેઈમ છે?’ શા માટે, એ આપણને ખ્યાલ જ છે. દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં?

ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે. આ મુદ્દે કેટલાં કલાકમાં નાગરિકોએ એફ.આઈ.આર. નોંધાવવી જોઈએ? શું પોલીસ આવી ફરિયાદ નોંધવા તૈયાર થશે? આખો ઘાણવો દાઝી ગયો છે. સરકારથી લઈને મીડિયા, કોર્પોરેટ્સ, બ્યુરોક્રસી… બધે જ ગેરરીતિ, કૌભાંડો છે. પરંતુ ડૉકટર્સના અભિગમ, નીતિમત્તાનો સીધો સંબંધ લોકોના સ્વાસ્થ્ય સાથે અને જિંદગી સાથે છે. આ બાબતે દેશમાં જવાબદારી, જવાબદેહી નથી. કોઈ રિસ્પોન્સિબલ નથી, કોઈ આન્સરેબલ નથી. આ પણ કોલકાતા દૂષ્કર્મ કાંડ જેવી જ વિભિષિકા છે. નિત્ય, પ્રતિદિન, પ્રતિપળ આકાર લેતી મહાદૂર્ઘટના.

લખવા જેવું ઘણું છે. પરંતુ આજની છેલ્લી વાત: ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે. દર્દીઓના સગાનાં તોફાન, તોછડાંઈની વાતો અમે પોતે પણ અવારનવાર છાપીએ છીએ. પરંતુ પત્રકાર તરીકે હું સ્વીકારું છું કે, ડૉકટર અને નર્સિંગ સ્ટાફની તોછડાઈ-નફ્ફટાઈની વાતો ધરબાયેલી જ રહે છે. રોજની લાખોની પ્રેક્ટિસ કરતાં ડૉકટર્સને પણ ફૂટી ગયેલા દેશી તમંચા જેવી રિસેપ્શનિસ્ટ રાખતા મેં જોયા છે. અસ્સલ ડોકરી જેવી આ છોકરીઓ મોટાભાગે સેડિસ્ટ હોય છે, બોલવા-ચાલવાનું, વ્યવહારનું ભાન હોતું નથી. નામ નોંધનારી બાઈ મોટાભાગે કર્કશા હોય છે. નર્સિંગસ્ટાફ ભાગ્યે જ ક્યારેક માયાળુ હોય છે. ડાકટરોની ફરજ છે કે, આવી માનસિક ડોશીયુંને મેડિકલ ક્ષેત્રનું પાયાનું જ્ઞાન (સ્મીત, માયાળુ સ્વભાવ, સાર-સંભાળ વગેરે) આપે. છ કલાકમાં ફરિયાદ જેવો એક નિયમ અહીં પણ હોવો જોઈએ : નર્સિંગ સ્ટાફમાં ક્વૉલિફાઈડ લોકો જ રાખવા અને બાકીના સ્ટાફ માટે લઘુત્તમ લાયકાત: ગ્રેજ્યુએશન. ચાલો ડૉકટર મિત્રો અને નર્સિંગ સ્ટાફના દોસ્તો, એક દેશવ્યાપી આંદોલન આ બધી બાબતો માટે પણ થઈ જાય.

દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં? ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે

You Might Also Like

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ

TAGGED: Kolkata Doctor Murder Case
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝાલાવાડમાં કલકત્તાની ઘટનાના પડઘા પડ્યા: તમામ હૉસ્પિટલની ઓપીડી બંધ
Next Article શબ્દોનો સ્વાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Kinnar Acharya

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Kinnar Acharya

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?