કોલકાતા દૂષ્કર્મ જેવો અત્યાચાર આખા દેશમાં દર્દીઓ પર પ્રતિપળ થયા કરે છે
ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે
- Advertisement -
કોલકાતામાં બનેલી ઘટના ખરેખર દુ:ખદ છે. આંચકાજનક, સ્તબ્ધ કરી દેનારી અને રડાવી દે તેવી છે. પશ્ર્ચિમ બંગાળનો આ કિસ્સો સ્પષ્ટપણે દૂષ્કર્મ, વિકૃતિનો છે. પિશાચીવૃત્તિ તેમાં દેખાઈ આવે છે. આ પાપની અત્યંત કડક સજા- ફાંસી ગુનેગારોને મળવી જોઈએ એવું લગભગ બધાં માને છે. મહિલા પર રૅપ અને હત્યા તો બહુ દૂરની વાત છે, સભ્ય સમાજમાં આંખોથી કે વાણીથી થતી બીભત્સ છેડતી પણ હરગીઝ સ્વીકાર્ય ન હોય. શુક્રવાર, તારીખ 16 ઓગસ્ટે ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલયએ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને સૂચના આપી કે, ડૉકટર અથવા નર્સિંગ સ્ટાફ પર કોઈપણ પ્રકારના જુલ્મ, હાથચાલાકી થાય તો તેની પોલીસ ફરિયાદ છ કલાકની અંદર નોંધાવવી. મંત્રાલયએ કહ્યું છે કે, તાજેતરમાં દેશભરમાં ડૉકટર્સ અને નર્સિંગ સ્ટાફ સાથે ગંભીર ઝઘડાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
આરોગ્ય મંત્રાલય પણ આકરાં પાણીએ છે અને ચારેક લાખ મેમ્બર્સ ધરાવતું સંગઠન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પણ એકદમ ક્રોધિત છે. તેઓ દેશભરમાં રેલીઓ કાઢી રહ્યાં છે, ઈમરજન્સી સિવાયની બધી જ આરોગ્ય સેવાઓ તેમણે ઠપ કરી દીધી છે. એમનો ગુસ્સો વાજબી પણ છે. કોલકાતાની ઘટના ધ્રુજાવી દે તેવી છે. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ તો થથરી જ ઉઠે પરંતુ સંવેદનહિન મનુષ્ય ય હચમચી જાય.
પણ એક ગ્રાહક તરીકે, આરોગ્ય સેવાના ઉપભોક્તા તરીકે, મેડીક્લેઈમનું પચાસેક હજારનું પ્રીમિયમ ભરતા વીમાધારક તરીકે, પેશન્ટ તરીકે મારા મનમાં કેટલાંક સવાલો છે. આમ તો આ બધાં પ્રશ્ર્નો નિત્ય દિલ-દિમાગમાં ઉછળતાં રહે છે પરંતુ ઈંખઅની અદ્ભુત સક્રિયતા જોઈને તેનાં પર લખવાનું સૂઝ્યું.
સવાલ નંબર એક: હાલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જે હદે એક્ટિવ છે- તેટલું જ સક્રિય મેડિકલ નીગ્લિજન્સનાં કિસ્સાઓમાં શા માટે હોતું નથી? ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખવાની, એક આંખને બદલે બીજી ચીરી નાંખવાની, પેટમાં કાતર કે રૂનાં પૂમડાં રહી જવાની ઘટના દેશમાં લગભગ દરરોજ બને છે. અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાની, ડૉકટરની બેદરકારીથી સામૂહિક અંધાપો આવી જવાની ઘટનાઓ પણ અનેક વખત નોંધાઈ છે. ઇંઈંટ પોઝિટિવ પેશન્ટનું લોહી અન્ય દર્દીને ચડાવી દેવાના કિસ્સાઓ અનેક વખત નોંધાયા છે. ડૉકટર્સની અણઆવડતથી અને બેદરકારીથી અગણિત લોકો લકવાગ્રસ્ત થયા છે. આવા દુ:ખદ કિસ્સાઓનો કોઈ પાર નથી. આવી ઘટનાઓની સંખ્યા એટલી છે કે, તેનો રેકર્ડ રાખવો પણ શક્ય નથી.
- Advertisement -
આવા એકપણ કિસ્સામાં ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશનને રેલી કાઢીને પીડિતને ન્યાય અપાવવાનું યોગ્ય ન લાગ્યું? જે-તે ડૉકટર કે નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે બે કલાકની પ્રતીક હડતાલ કરવાનું પણ શું યોગ્ય ન લાગ્યું? જો આવા બનાવ વખતે આપણે એકપણ વખત ફરજ નિભાવી ન હોય તો આ વખતે હક્ક પણ ન માંગો. છેવટે આટલાં ભણતરનો ફાયદો શો? દિમાગ ડેવલપ જ ન થાય અને અંતરાત્મા જાગૃત ન થાય એવું એજ્યુકેશન મેળવવું એ પણ નિરક્ષરતા જ છે.
પ્રશ્ર્ન બીજો: ભારતમાં અન-ઍથિકલ પ્રેક્ટિસ કરનારા ડૉકટર્સની ટકાવારી કેટલી? લગભગ નેવું ટકા. ખોટાં ઓપરેશનો સજેસ્ટ કરવા, ચોક્કસ કંપનીઓની જ દવા દર્દીઓને લખી આપવી, ધરાહાર ક્ધટેન્ટ આધારિત પ્રિસ્ક્રિપ્શન ન આપવું, જેનેરિક મેડિસિન્સ અંગે દર્દીઓના દિમાગમાં ઝેર ઠાલવવું. આ બધી ગેરરીતિ શું કોઈ મહાન-વણઉકલ્યું રહસ્ય છે? મારા એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મિત્ર કહેતાં હોય છે કે, ફાર્મા કંપનીની બે-ચાર હજારની ગિફ્ટ માટે પણ અમૂક ડૉકટર્સ મરતા હોય છે. એવાં ડૉકટર્સ- જેની રોજની પ્રેક્ટિસ લાખોમાં હોય છે.
મુદ્દો ત્રીજો: અમારા જ અખબારે રાજકોટના પીડિયાટ્રિશિયન ડૉ. હિરેન મશરૂના કૌભાંડો અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ રાજકોટના અગ્રણી દૈનિકે વિગતવાર, પુરાવા સાથે આખી અહેવાલમાળા છાપી. ડૉ. મશરૂને કરોડોનો દંડ થયો. અપરાધ તેણે કબૂલ કર્યાં. એ સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ મેડિકલ કમિશને શું કર્યું? શું ડૉ. મશરૂનું લાયસન્સ રદ કરાવવા કોઈ કાર્યવાહી થઈ? કોઈ ધરણાં? કોઈ રેલી? હડતાલ? કંઈપણ? ના. કશું જ નહીં. ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન-ગુજરાતના પ્રમુખ પણ રાજકોટના જ છે. ડૉ. ભરત કાકડિયા. આ મહાશય ઊગઝ સર્જન છે- તેમની લબાડવૃત્તિનો અને બેદરકારી, બેજવાબદાર પ્રેક્ટિસનો જાત અનુભવ છે. આવા હોદ્દેદારો અન્ય ડૉકટર્સ પર કશીક પ્રતિક્રિયા આપે તો તેમનો દૂષિત અંતરાત્મા તેમને ડંખે.
ડૉ. મશરૂનો ગુનો ગંભીર હતો. એ સરકારી યોજનાનો ગેરલાભ લેવા, બાળકોને વધુ સમય એડમિટ રાખવા રિપોર્ટ સાથે ચેડાં કરતો હતો. સેંકડો બાળકોને તેણે બીમારી વગર પણ અઠવાડિયાઓ સુધી હૉસ્પિટલમાં ગોંધી રાખ્યા, બાળકોના પરિવારજનોને માનસિક, શારિરીક, આર્થિક કષ્ટ આપ્યું. શું આ ઘટનાની ઈન્ટેન્સિટી, તેની તીવ્રતા પેલી કોલકાતાની ઘટના કરતા ઓછી છે? રાજકોટના અન્ય એક પીડિયાટ્રિશિયને બાલસખા યોજનાનો ભરપૂર ગેરલાભ લીધો, શહેરની ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ગયા વર્ષે જેટલી ડીલિવરી થઈ, તેમાંથી 97% હાઈરિસ્ક ડીલિવરી તરીકે ખપાવાઈ- જેથી સરકાર પાસેથી વધુ પૈસા ખંખેરી શકાય. મોટી હૉસ્પિટલોમાં દર્દીને લઈ જઈએ ત્યારે પહેલો સવાલ એ હોય છે કે, ‘મેડિક્લેઈમ છે?’ શા માટે, એ આપણને ખ્યાલ જ છે. દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં?
ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે. આ મુદ્દે કેટલાં કલાકમાં નાગરિકોએ એફ.આઈ.આર. નોંધાવવી જોઈએ? શું પોલીસ આવી ફરિયાદ નોંધવા તૈયાર થશે? આખો ઘાણવો દાઝી ગયો છે. સરકારથી લઈને મીડિયા, કોર્પોરેટ્સ, બ્યુરોક્રસી… બધે જ ગેરરીતિ, કૌભાંડો છે. પરંતુ ડૉકટર્સના અભિગમ, નીતિમત્તાનો સીધો સંબંધ લોકોના સ્વાસ્થ્ય સાથે અને જિંદગી સાથે છે. આ બાબતે દેશમાં જવાબદારી, જવાબદેહી નથી. કોઈ રિસ્પોન્સિબલ નથી, કોઈ આન્સરેબલ નથી. આ પણ કોલકાતા દૂષ્કર્મ કાંડ જેવી જ વિભિષિકા છે. નિત્ય, પ્રતિદિન, પ્રતિપળ આકાર લેતી મહાદૂર્ઘટના.
લખવા જેવું ઘણું છે. પરંતુ આજની છેલ્લી વાત: ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે. દર્દીઓના સગાનાં તોફાન, તોછડાંઈની વાતો અમે પોતે પણ અવારનવાર છાપીએ છીએ. પરંતુ પત્રકાર તરીકે હું સ્વીકારું છું કે, ડૉકટર અને નર્સિંગ સ્ટાફની તોછડાઈ-નફ્ફટાઈની વાતો ધરબાયેલી જ રહે છે. રોજની લાખોની પ્રેક્ટિસ કરતાં ડૉકટર્સને પણ ફૂટી ગયેલા દેશી તમંચા જેવી રિસેપ્શનિસ્ટ રાખતા મેં જોયા છે. અસ્સલ ડોકરી જેવી આ છોકરીઓ મોટાભાગે સેડિસ્ટ હોય છે, બોલવા-ચાલવાનું, વ્યવહારનું ભાન હોતું નથી. નામ નોંધનારી બાઈ મોટાભાગે કર્કશા હોય છે. નર્સિંગસ્ટાફ ભાગ્યે જ ક્યારેક માયાળુ હોય છે. ડાકટરોની ફરજ છે કે, આવી માનસિક ડોશીયુંને મેડિકલ ક્ષેત્રનું પાયાનું જ્ઞાન (સ્મીત, માયાળુ સ્વભાવ, સાર-સંભાળ વગેરે) આપે. છ કલાકમાં ફરિયાદ જેવો એક નિયમ અહીં પણ હોવો જોઈએ : નર્સિંગ સ્ટાફમાં ક્વૉલિફાઈડ લોકો જ રાખવા અને બાકીના સ્ટાફ માટે લઘુત્તમ લાયકાત: ગ્રેજ્યુએશન. ચાલો ડૉકટર મિત્રો અને નર્સિંગ સ્ટાફના દોસ્તો, એક દેશવ્યાપી આંદોલન આ બધી બાબતો માટે પણ થઈ જાય.
દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં? ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે