નાણામંત્રીએ ગયા અઠવાડિયે લોકસભામાંથી આવકવેરા બિલ, 2025 ના પહેલાના સંસ્કરણને પાછું ખેંચી લીધું હતું. આવકવેરા કાયદા, 1961 ને બદલનાર આ બિલ, આ વર્ષની શરૂઆતમાં 13 ફેબ્રુઆરીએ સંસદના નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સુધારેલા આવકવેરા બિલ 2025નું અનાવરણ કરવા માટે તૈયાર છે, જેમાં પસંદગી સમિતિના 285 સૂચનોનો સમાવેશ કરવામાં આવશે. આ નવા કાયદાનો ઉદ્દેશ્ય કર પ્રક્રિયાઓને સરળ બનાવવા અને અગાઉની ખામીઓને દૂર કરવાનો છે, જે ભારતમાં આવકવેરા લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી શકે છે.
ભારતીય કર માળખામાં ફેરફાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે, નવું આવકવેરા બિલ, 2025 આજે લોકસભામાં તમામ સુધારાઓ સાથે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે. પસંદગી સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા 285 સુધારા આ નવા બિલમાં સમાવવામાં આવશે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ સુધારાઓને મંજૂરી આપી હતી. આ નવું બિલ લગભગ 63 વર્ષ જૂના આવકવેરા કાયદા, 1961ને બદલશે.
- Advertisement -
ચાલો જાણીએ કે આ નવું બિલ તેનાથી કેટલું અને કેટલું અલગ છે.
સરળ આવકવેરા બિલ, જે 1961ના આવકવેરા કાયદાના લગભગ અડધા કદનું છે, લોકસભામાં રજૂ થનાર નવા બિલમાં કુલ શબ્દોની સંખ્યા 2.6 લાખ શબ્દો કરવામાં આવી છે, જે વર્તમાન આવકવેરા કાયદાના 5.12 લાખ શબ્દો કરતા ઘણી ઓછી છે. તેમાં કલમોની સંખ્યા 536 છે, જ્યારે વર્તમાન કાયદામાં 819 કલમો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નવા આવકવેરા બિલમાં ઘણા ફેરફારો છે, જેમાં ટેકનિકલ સુધારાઓ અને વધુ સારા ક્રોસ-રેફરન્સિંગનો સમાવેશ થાય છે. તેના ડ્રાફ્ટ પર ખર્ચવામાં આવેલા સમય અને પ્રયત્નોની ટીકાના જવાબમાં, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, તેના પર અગાઉ કરવામાં આવેલ કાર્ય વ્યર્થ નહીં જાય. આ પ્રસ્તાવમાં વિલંબનું એક મુખ્ય કારણ ભાજપના સાંસદ બૈજયંત પાંડાની આગેવાની હેઠળની સંસદીય પસંદગી સમિતિના વ્યાપક સૂચનો હતા.
- Advertisement -
કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે, જ્યારે સંસદીય સમિતિ અનેક પ્રસ્તાવિત સુધારાઓ સાથે અહેવાલ રજૂ કરે છે અને તેમાંથી ઘણા સ્વીકારવામાં આવે છે, ત્યારે પ્રમાણભૂત પ્રક્રિયા મૂળ બિલને પાછું ખેંચીને તેનું સુધારેલું સંસ્કરણ રજૂ કરવાની છે. તેમણે કહ્યું કે, દરેક સુધારા માટે ત્રણ અલગ અલગ દરખાસ્તો જરૂરી છે, જે અવ્યવહારુ છે જ્યારે 285 થી વધુ ફેરફારોની ભલામણ કરવામાં આવે છે, જેમાં 32 મોટા ફેરફારોનો સમાવેશ થાય છે. ‘બિલ પાછું ખેંચવાનો અને ફરીથી રજૂ કરવાનો હેતુ સમય બચાવવા, કાયદાકીય સ્પષ્ટતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો છે.’
પહેલા કરતા સરળ અને ઓછા વિભાગો
નોંધનીય છે કે, આવકવેરા બિલ 2025 13 ફેબ્રુઆરી 2025 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની તપાસ માટે ભાજપના સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં 31 સભ્યોની પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. તેણે 285 સૂચનો આપ્યા હતા અને ગયા મહિને 21 જુલાઈ 2025 ના રોજ તેનો અહેવાલ રજૂ કર્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે સુધારેલું નવું કર બિલ, 2025 રજૂ કરવા જઈ રહ્યા છે, જે 1961ના આવકવેરા બિલનું સ્થાન લેશે. તેમાં પહેલા કરતા ઓછા વિભાગો હશે અને તે પહેલા કરતા ઘણી સરળ ભાષામાં હશે.
નવા બિલમાં જે જોગવાઈઓ શામેલ થવાની અપેક્ષા છે તેમાં શુદ્ધ ધાર્મિક ટ્રસ્ટોને અનામી દાન પર પ્રતિબંધ મૂકવાનો, સામાજિક સેવાઓ પૂરી પાડતા ટ્રસ્ટોને બાકાત રાખવાનો, કરદાતાઓને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ પછી કોઈ પણ દંડ વિના TDS રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.
નવા કરવેરા બિલમાં આ મોટા ફેરફાર જોવા મળશે
જો આપણે અન્ય મોટા ફેરફારો પર નજર કરીએ તો, નવું કરવેરા બિલ અત્યાર સુધી લાગુ કરાયેલા 1961 ના આવકવેરા કાયદાના કદ કરતાં અડધું છે. બિલમાં હવે 816 ને બદલે 536 કલમો છે અને તે ખાસ કરીને મુકદ્દમા ઘટાડવા માટે સરળ ભાષામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા FAQ અનુસાર, આ નવા બિલમાં શબ્દોની સંખ્યા હાલના કાયદાના 5.12 લાખની સરખામણીમાં હવે 2.6 લાખ થઈ ગઈ છે. આ ઉપરાંત, જો આપણે કલમો વિશે વાત કરીએ, તો તેમની સંખ્યા પણ 819 થી ઘટાડીને 536 કરવામાં આવી છે, જ્યારે પ્રકરણો પણ 47 થી ઘટાડીને 23 કરવામાં આવ્યા છે.
પસંદગી સમિતિએ સૂચનો આપ્યા
કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું. જે કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યુ હતું. આ પછી બિલને પસંદગી સિમિત પાસે મોકલવામાં આવ્યું હતું. આ માટે ભાજપના સાંસદ બૈજયંત પાંડાની આગેવાની હેઠળ 31 સભ્યોની પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ બિલની તપાસ કરીને 285 સૂચનો આપ્યા છે. આ ઉપરાંત સમિતિએ 21 જુલાઈ 2025ના રોજ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.




