ભારતની સીમાઓને અભેદ કરવાની તૈયારી ચાલી રહી છે. 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર પર ફેન્સીંગ લગાવવામાં આવશે. આ વાત ખુદ ગૃહ મંત્રી અમિત શાહે જણાવી છે. તેની સાથે એક પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. 10 કિમીની વાડ મણિપુરના મોરેહમાં લાગી ચુકી છે.
તેમણે જણાવ્યું કે, સરકાર દેશની સીમાઓની કિલ્લેબંધી કરવા જણ રહી છે. તેને અભેદ્ય બનાવી રહી છે. જેના પર સતત કામ ચાલુ છે. એક્સ પ્લેટફોર્મ પર અમિત શાહે લોકોને જાણકારી આપતા આ વાત શેર કરી હતી. ભારત-મ્યાનમાર સીમા પર કુલ 1643 કિમી લાંબી ફેન્સિંગ થઇ રહી છે.
- Advertisement -
આ ફેન્સિંગની સાથે એક લાંબો પેટ્રોલિંગ ટ્રેક બનાવવામાં આવશે, જો કે સીમા પર હાજર સુરક્ષાદળો તેની સુરક્ષા સારી રીતે કરી શકે. દુશ્મનો પર નજર રાખી શકે. કુલ સીમામાંથી મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરના ભાગમાં મોટી વાડ લગાવવામાં આવી છે. Hybrid Surveillance Systemથી વાડ લગાવવા માટે 2 પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
The Modi government is committed to building impenetrable borders.
It has decided to construct a fence along the entire 1643-kilometer-long Indo-Myanmar border. To facilitate better surveillance, a patrol track along the border will also be paved.
Out of the total border length,…
- Advertisement -
— Amit Shah (@AmitShah) February 6, 2024
આ પ્રોજેક્ટ હેઠળ અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાંથી પ્રત્યેકમાં 1 કિમી સીમા પર વાડ લગાવાવમાં આવશે. મણિપુરમાં લગભગ 20 કિમી લાંબી સીમાની વાડ લગાવવાની મંજુરી મળી ગઇ છે. જેના પર જલ્દી જ કામ શરૂ થઇ જશે. પરંતુ આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું સરકાર 6 વર્ષ જુના મુક્ત આવાજાહી કરારને પૂર્ણ કરી નાખશે?
જુનો કરાર ચાલુ રહેશે કે નહીં?
આ કરાર હેઠળ ભારતી-મ્યાનમાર સીમાના આસપાસના રહેવાસીઓને વગર વિઝાએ એક-બીજાની સીમામાં 16 કિલોમીટર સુધી જવાની છુટ મળતી હતી. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, આવી ફેન્સિંગ કરવી લગભગ અસંભવ છે. જેના માટે સંતુલન બનાવવામાં મુશ્કેલી આવી શકે છે.