કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
તાજેતરમાં ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી વિધેયક બહુમતીથી પસાર કર્યું, કોઈને નડે એવી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા એવી વ્યવહારુ વ્યાખ્યા ગુજરાત સરકારે અપનાવી છે
- Advertisement -
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. અનેક અનેક પ્રથાઓ, માન્યતાઓ અને નીતિરીતિઓ આપણે માત્ર ને માત્ર શ્રદ્ધા આધારિત રહીને અપનાવતા હોઈએ છીએ. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.શ્રદ્ધા શબ્દ ભગવદગીતામાં અનેક વાર આવે છે. ભક્તિ શબ્દ પ્રમાણમાં ઓછો આવે છે. શ્રદ્ધા બળવાન છે. સાથે સાથે શ્રીકૃષ્ણ કહે છે કે જેને જ્ઞાન નથી અને શ્રદ્ધા પણ નથી એવો સંશયાત્મા વિનાશ પામે છે. કૃષ્ણ બહુ ટ્રિકથી કહી દે છે કે જો જ્ઞાન હશે તો શ્રદ્ધા નહિ હોય તો પણ ચાલશે. આપણે હવે શ્રદ્ધાથી જ્ઞાન વિજ્ઞાન તરફ પ્રયાણ કરતા લોકો બની ગયા છીએ. બાજરો ખાતા પહેલા એના પોષક તત્વો ગુગલ કરીને નક્કી કરીએ છીએ કે હા યાર બાજરામાં તો બહુ મિનરલ્સ છે.. પણ આપણે આપણા સેંકડો વડવાઓ ઉપર શ્રદ્ધા નથી રાખતા કે એ લોકો બાજરાના રોટલા ખાઈને હાડમારીમા પણ અલમસ્ત રહેતા અને અનેક બાળકો ઉત્પન્ન કરતા. આજે આવા અશ્રદ્ધાવાન યુવાનો નાની વયે હાર્ટ એટેક કે ડિપ્રેશન નો ભોગ બનવા લાગ્યા છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે શ્રદ્ધા ના રાખો , સંશય કરો ‘કોઈનું કીધેલું ના માની લો’.
આ સૂત્ર આજથી 365 વર્ષ અગાઉ સ્થપાયેલી રોયલ સોસાયટી નામની વટવૃક્ષ સમાન સંસ્થાનું છે. આ સંસ્થા આજની તારીખે એટલી જ કાર્યરત છે અને જગતમાં વિજ્ઞાનનો પ્રસાર પ્રચાર કરવાનું કામ એનું છે . તમે વિજ્ઞાન ઉપર વિશ્વાસ મૂકીને વેક્સીન લઇ લો છો અથવા તો બાજરાના પોષક તત્વો ગુગલ કરો છો એની પાછળ આ સંસ્થાએ કરેલ વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર છે. વિજ્ઞાન સંશયમાં માને છે , વિજ્ઞાન શ્રદ્ધા રાખવાની ના પાડે છે. સત્ય તારવવા માટે વિજ્ઞાન “સાયન્ટીફિક મેથોડોલોજી” નામની એક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા અંતર્ગત કોઈપણ બાબતને સાયન્સની એરણે સાબિત થવા માટે ગાણિતિક અને પ્રયોગિક એમ બેય રીતે સાબિત થવું પડે. ઝાડ પરથી સફરજન નીચે પડે તે પ્રાયોગિક સાબિતી થઇ કે ગુરુત્વાઆકર્ષણ છે પણ એમ વિજ્ઞાન માને નહીં. ઝાડ ઉપરથી ફળ નીચે પડ્યું એની ગાણિતિક થિયરી પણ આપવી પડે. થિયરી અને પ્રેક્ટિકલ એમ બેય રીતે જયારે કોઈ બાબત ખરી ઉતરે ત્યારે વિજ્ઞાન એને “સિધ્ધાંત” (હફૂ) તરીકે માન્યતા આપે છે, આથી આઈંસ્ટાઈને આપેલી થિયરી હજુ થિયરી છે “લો(હફૂ)” અર્થાત સિદ્ધાંત નથી. કેમકે એની પ્રાયોગિક પુષ્ટિ પૂર્ણ રીતે થવાની બાકી છે. સાયન્ટિફિક મેથોડોલોજી રોયલ સોસાયટીના સ્થાપક સર ફ્રાન્સિસ બેકને આપેલી છે. આજે આપણે શ્રદ્ધાને બદલે વિજ્ઞાનને આધારે નિર્ણય લેતા થવા લાગ્યા છીએ. વિજ્ઞાન આથી ઈશ્વરને સ્પષ્ટ્ રીતે નથી સ્વીકારતું.
કેમકે ઈશ્વરનું અસ્તિત્વ સાયન્ટિફિક મેથોડોલોજી વડે સાબિત કરવું અશક્ય છે. તે ના તો ગાણિતિક રીતે સાબિત થઇ શકે અને ના તો પ્રયોગ કરો એમાં એ(ઈશ્વર) હાજરી પુરાવે. બેય રીતે ઈશ્વરની સાબિતી મળે પછી વિજ્ઞાન ગળું ખોંખારીને ઈશ્વરને પોતાની માન્યતા આપે. પણ એ કદી બને એમ નથી કેમકે ઈશ્વરનું રૂપ અગમ્ય અચિંત્ય છે. આદિ શંકરાચાર્ય કહી ગયા કે ઊટડ વાશ્ર્નટ ડયૃણ ઇમ ઘળરુટ અધ્ઢર્ળીં અર્થાત જેમ હાથીનું વર્ણન અંધ લોકો કરે એમ આપણે આપણી લિમિટેડ ઇન્દ્રિયો વડે ઈશ્વરને પામી શકીએ છીએ.આદિ શંકરાચાર્ય નો કહેવાનો અર્થ એમ કે ઈશ્વરને જાણી કે સમજી શકવું અશક્ય છે. આથી હિન્દૂ સહીત તમામ ધર્મોમાં એ બાબતે એક મત છે કે જો ઈશ્વરને માનો છો તો શ્રદ્ધાપૂર્વક જ માનવું પડશે કેમકે વૈજ્ઞાનિક રીતે ઇશ્વર સાબિત થઇ શકે એમ નથી. પણ એક પ્રોબ્લેમ છે. ઈશ્ર્વર ઉપર શ્રદ્ધા રાખવાની વાત કરવી સહેલી છે પણ ખરેખર શ્રદ્ધા રાખવી અઘરી બાબત છે. માણસ વિપત્તિમાં મુકાય ત્યારે ચિંતા અને ભયથી ગ્રસિત થઇ જાય છે , હવે જો એને ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદધા હોય તો એણે શામાટે ભયભીત કે ચિંતિત થવું જોઈએ?
- Advertisement -
આમ, માણસ ક્યારેય ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી શકતો નથી. માણસ હમેશા શ્રદ્ધા અને સંશય વચ્ચે ક્યાંક ઝૂલતો રહે છે. ઘડીક શ્રદ્ધા રાખે પણ તરતજ સંશયો એને ઘેરી લે છે. મોટાભાગના નાસ્તિકો એટલે જ નાસ્તિક બન્યા હોય છે કે એમને જગતમાં જોવા મળતા દુ:ખ પીડા હિંસા છેતરપીંડી વગેરેને કારણે ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય છે. ભગતસિંહ એક ક્રાંતિકારી હતા જેમણે લખ્યું છે કે આ જગતમાં જે દુ:ખો પીડા અને હિંસાની ભરમાર છે એ જોતા મને નથી લાગતું કે કોઈ ઈશ્વર હોય. જાણીતા બ્રોડકાસ્ટર સર ડેવિડ એટર્નબરો જેમના પ્રકૃતિને લગતા ટીવી પ્રોગ્રામ ખુબ જાણીતા છે એમને પૂછવામાં આવ્યું કે તમે તો પ્રકૃતિના અનેક રંગ જોયા છે , તમે ઈશ્વર ઉપર શ્રદધા રાખતા હશોને ? સર ડેવિડ એટનબરો એ ઉત્તર આપ્યો કે “મેં બહુરંગી પતંગિયા જોયા છે અને આફ્રિકામાં એક દરિદ્ર બાળકની આંખમાં ઘૂસીને એને અંધ બનાવી દેતો કીડો પણ જોયો છે , હું નથી માનતો કે ઈશ્વર હોય કે જે કોઈને અંધ બની જવા દે” જગતમાં જોવા મળતી વિષમતાઓને કારણે શ્રદ્ધા રાખવી અઘરું બનતું જાય છે.આથી ધર્મોએ સ્વર્ગ અને નર્કની , જહન્નમ અને જન્નતની , હેવન અને હેલની કલ્પનાઓ કરી છે. સ્વર્ગ એક એવું સ્થાન હોય જ્યા બધું બરાબર હોય. નકરું સુખ અને આનંદ હોય. કોઈ દુ:ખ કે કોઈ ગમગીની નહી. નર્ક એનાથી વિરુદ્ધ. જૈન શૈવ અને બૌદ્ધ મત કહે છે કે સ્વર્ગ નર્ક માનસિક અવસ્થાઓ છે. ખરેખર સ્વર્ગ કે નર્ક નામના સ્થાન કશે છે નહિ. જાણીતા બહુશ્રુત વિદ્વાન રેને દ કાર્ટે નું એક વાક્ય બહુ જાણીતું છે ” ઈં વિંશક્ષસ , વિંયયિરજ્ઞયિ ઈં ફળ ” અર્થાત “હું વિચારું છું એટલે મારું અસ્તિત્વ છે” . કાર્ટે નો કહેવાનો અર્થ એમ કે હું જ્યારે ઇન્દ્રિયોથી મળતા ડેટા થકી શ્રદ્ધાપૂર્વક એને સાચો માનીને એના પર વિચાર શરુ કરૂ છું ત્યારે જ મારું અસ્તિત્વ પ્રગટ થાય છે. સરકાર જ્યારે રૂપિયા છાપે છે એમાં કોઈ શક્તિ નથી હોતી પણ લોકોએ સરકાર ઉપર મુકેલી શ્રદ્ધા એ રૂપિયાને શક્તિશાળી બનાવે છે.બાકી તે કાગળના પત્તા સિવાય કશું નથી. શ્રદ્ધા મોટું બળ છે. તે કદી નિરાશ નથી કરતી. હા સંશય રાખવો પડે જેથી શ્રદ્ધાના સ્વર્ગની બોર્ડર ક્રોસ કરીને અંધશ્રદ્દધાના નર્કમાં ના પડી જવાય.