By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    15 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    16 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    16 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    12 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    15 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    16 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    15 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    14 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    14 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
AuthorRajesh Bhatt

પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! 

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

વાસ્તુમાં રંગો પંચતત્ત્વોની ઊર્જાને સંતુલિત કરવામાં ઘણાં સહાયરૂપ થતાં હોય છે. દરેક રંગ શીતળ (ઠંડો), ગરમ કે તટસ્થ પ્રકૃત્તિ ધરાવે છે તેથી ઘરમાં પ્રવૃત્તિ અનુસાર કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો તે માટે તમારા નિષ્ણાંતની સલાહને અનુસરી ચોક્કસ લાભ મેળવી શકાય. જેમ કે ગયા સપ્તાહે ચર્ચા થયા મુજબ બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ દાંપત્ય જીવનમાં અશાંતિ સર્જી શકે છે. આમ પણ ઘરની અંદરની બાજુ ડાર્ક કે ઘાટા કલરનો વધારે ઉપયોગ કરવો સલાહભર્યું નથી. ઘણાં લોકો ઘરમાં એક જ ડાર્ક કલરની થીમ પૂરા ઘરમાં લગાવતાં હોય છે જે બરાબર નથી.

Contents
લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ લીલો (ગ્રીન)કાળો રંગપીળો રંગપીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. સફેદ રંગબ્લ્યુ રંગ ઓરેન્જ (નારંગી) રંગગુલાબી રંગલીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છેમંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

જેવી રીતે ભોજનમાં આપણને વિવિધ વાનગીઓ સ્વાદ અને આનંદ આપે છે તેમ ઘરમાં દરેક રંગનો દિવાલ પર, ફર્નીચર કે કલાકૃતિમાં સારી ઊર્જાને આકર્ષવામાં ઉપયોગ કરી શકાય છે. ઈજિપ્ત, યુરોપિયન દેશો તથા ચાઈનામાં પણ રંગોના માધ્યમથી શારીરિક અને મનોચિકિત્સાની સારવારની પદ્ધતિઓ અમલમાં હતી. પાછલા લેખમાં વાસ્તુ અને કલર અનુસંધાનમાં લાલ કલર વિશે ચર્ચાઓ કરી હતી. આ અંકમાં આપણે લાલ જેવા જ બીજા મહત્ત્વના કલર વિશે સમજીએ.

- Advertisement -

The Meaning of Colors in Cultures Around the World

લીલો (ગ્રીન)

લીલો રંગ ઉત્તર દિશા અને બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે. લીલો રંગ હિલીંગ માટે સૌથી સારો રંગ છે. બીમાર વ્યક્તિને ઝડપથી રિકવરીમાં સહાયરૂપ છે. પહેલાંના સમયમાં એટલે જ હોસ્પિટલમાં કપડાં તથા પડદાઓમાં ગ્રીન કલર ઘણો જોવા મળતો હતો. લીલો રંગ એ પ્રકૃત્તિ અને વિકાસ સાથે સંબંધ ધરાવે છે. લીલા રંગમાં પરિસ્થિતિઓને બેલેન્સ કરવાનો ગુણ છે. વારંવાર આવતાં ગુસ્સાને ક્ધટ્રોલ કરવામાં ગ્રીન (લીલો) કલર ઉપયોગી છે. આર્થિક લાભ મેળવવા આ રંગનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ પર રહેલી લીલી લાઈટ પણ આપણને આગળ વધવાની સંજ્ઞા આપે છે. મનુષ્યને ભરપૂર ઓક્સિજન અને ફળો આપતાં વૃક્ષો લીલા રંગના છે. કોઈ પણ વસ્તુના પ્રસાર કે વિસ્તાર કરવામાં ગ્રીન કલર મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઘર કે ઓફિસમાં લીલો રંગ દિવાલ પર કે ફર્નીચરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોય તો ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.

કાળો રંગ

કાળો રંગ એ ગ્રહોમાં શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે તેથી કાળા રંગથી ઘણાં લોકો ગભરાતા હોય છે તથા જીવનમાં લગભગ બધી જગ્યાએ કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. વાસ્તવમાં જીવનમાં દરેક રંગનું ચોક્કસ મહત્ત્વ છે તથા દરેક રંગની જરૂરિયાત પણ એટલી જ છે. ફક્ત આપણે એ રંગ કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે, તેના માટે વિવેક બુદ્ધિનોઉપયોગ કરવાનો છે, ફેશનની દુનિયામાં કાળો રંગ ખૂબ જ ફેવરિટ રહ્યો છે. કેમ કે કાળો રંગ ઊર્જાને પોતાની તરફ આકર્ષે છે તેથી ઘર ડિઝાઈન કરતી વખતે ઘણાં લોકો બધું જ ઈન્ટિરિયર બ્લેક કલર કરવાનું પસંદ કરતાં હોય છે. કોઈ પણ રંગ વધારે માત્રામાં વાપરવાથી આપણે ઊર્જાની ગતિને અસંતુલિત કરીએ છીએ અને નુકસાન કરતાં હોઈએ છીએ, તેથી કાળા રંગનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો. નજર ન લાગે તે માટે આ રંગનો ઉપયોગ થતો હોય છે. બાળક સુંદર કે દેખાવડું હોય તો માતા બાળકને કાળા કાજળનું ટપકું લગાવે છે જેથી નજર ન લાગે. તેવી જ રીતે ઘર કે ઓફિસમાં પણ મર્યાદિત પ્રમાણમાં કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ કરી શકાય છે. કાળા કલરનો વધુ પડતો ઉપયોગ અસ્થિરતા તથા તણાવ વધારે છે તથા જીવનમાં ચડાવ-ઉતારની પરિસ્થિતિઓ સર્જે છે.

- Advertisement -

પીળો રંગ

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે. ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણો પવિત્રતા ધરાવતો આ કલર છે. ઘણાં લોકો ગુરુ મહારાજની કૃપા મેળવવા પીળા વસ્ત્રો રોજિંદા જીવનમાં ધારણ કરતાં હોય છે અથવા પીળા કલરના હળદર, ચંદન કે કેસરનું તિલક અને ચંદન કરતાં હોય છે. પીળો રંગ એ પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલો હોવાથી સ્થિરતાનો રંગ છે. રોજબરોજના જીવનમાં આપણે ફ્લોરીંગમાં ક્રીમ, બ્રાઉન, આઈવરી કલરનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પીળો રંગ સ્થિરતા સાથે સલામતી અને સમૃદ્ધિમાં પણ સહાયરૂપ થતો હોય છે.

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. 

સફેદ રંગ

સફેદ રંગ પવિત્રતા સાથે સંકળાયેલો રંગ છે. આ એક નિર્દોષ કલર છે. મનને ખૂબ જ શાંતિ આપનાર આ રંગ છે. મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગમાં તટસ્થતાનો ગુણ હોવાથી અન્ય રંગો સાથે ઉપયોગમાં લઈ શકાય. બેઠક રૂમમાં સફેદ રંગ લગાવવો સારૂં રહેશે. હવે વાચકમિત્રો એ રંગ વાપરતા પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જરૂરી નથી કે દિવાલ પર ચોક્કસ રંગ લગાવવાથી જ વાસ્તુ ઠીક થાય. જો આપ દરેક દિવાલ પર અલગ-અલગ કલર લગાવશો તો આખું ઘર સપ્તરંગી થઈ જશે.

તમો જે તે દિશા તથા ત્યાંના તત્ત્વોના આધારે તે રંગ કે અનુકુળ આકારની અન્ય ઘર વપરાશ કે સજાવટની વસ્તુ અથવા તે રંગની ફોટોફ્રેમ પણ રાખી શકો છો. હા, એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ દિશા કે ખૂણામાં તેનો એન્ટી વિરોધી કલર કે તેની વસ્તુઓ ના રાખવી. છેલ્લાં બે અંકોમાં રંગો વિશે આપણે ઘણી માહિતી મેળવી. વાચકમિત્રોના પ્રશ્ર્નોના જવાબ ઘણાં સમયથી આપી શકાયા નથી જેનો સમાવેશ આવતા સપ્તાહે કરીશું.

બ્લ્યુ રંગ

બ્લ્યુ રંગ એ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જીજ્ઞાસાવૃત્તિ વધારવા તથા નવા તર્કસંગત વિચારોમાં આ રંગ ઘણો મદદરૂપ બને છે. બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરી શકાય. રસોડાની અંદર આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. અધ્યાત્મ સાથે સંકળાયેલો આ રંગ ઠંડી પ્રકૃત્તિ દર્શાવે છે અને શાંતિ અને સંતોષની અનુભૂતિ આપે છે. હંમેશા નવી તાજગી આપતાં આ રંગનો ઉપયોગ નાના બાળકોના પ્લે હાઉસમાં કરી શકાય.

ઓરેન્જ (નારંગી) રંગ

ઓરેન્જ (નારંગી) કલરથી જીવનમાં ઊર્જાનો સંચાર થાય છે. આ રંગ સૂર્ય સાથે સંકળાયેલો હોવાથી નવી તાજગી અને સારા વિચારો આપનાર છે. આ કલરની અંદર જવાબદારી અને નવી તકો આપતો હોવાથી ઘર કરતાં વ્યવસાય (ધંધા)ના સ્થળે આ રંગનો ઉપયોગ કરી શકાય. મહત્ત્વાકાંક્ષી લોકો માટે ઓરેન્જ (નારંગી) રંગ ખૂબ ઉપયોગી છે. જાહેર જીવનમાં સંકળાયેલા લોકો માટે ઓરેન્જ કલરનો ઉપયોગ અકલ્પનીય લાભ આપી શકે છે.

ગુલાબી રંગ

આ રંગ પ્રેમ અને સ્નેહ સાથે સંકળાયેલો રંગ છે. માસ્ટર બેડરૂમની અંદર નવવિવાહિત દંપતિ પીંક (ગુલાબી) રંગનો ઉપયોગ કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે આ રંગ સારું- આનંદી વાતાવરણ સર્જવામાં સહાયરૂપ બને છે. વિવાહ યોગ્ય ક્ધયાના રૂમમાં પણ પીંક (ગુલાબી) રંગ વાપરી શકાય.

લીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છે

  • મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.
  • ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.
  • બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.
  • રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.
  • પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.
  • ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.
  • બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.
  • પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.
  • ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં પરશુરામ જયંતિની શાનદાર ઉજવણી કરાશે
Next Article શેર બજારમાં 67 લાખ ડૂબતાં યુવકનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?