લેબનનથી હિઝબુલ્લાહે હુમલો કર્યો, એર ડિફેન્સને ભેદીને ઘૂસવામાં સફળતા મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હિઝબુલ્લાહે શનિવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કર્યો હતો. ટાઈમ્સ ઑફ ઈઝરાયલ અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે. PM એ કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે PM નેતન્યાહૂ અને તેમની પત્ની સારા ઘરે નહોતાં. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું હતું કે શનિવારે લેબનનથી ઈઝરાયલ પર ત્રણ ડ્રોન છોડવામાં આવ્યાં હતાં. એમાંથી એક સિઝેરિયા શહેરમાં એક મકાન પર પડ્યું. સિઝેરિયા ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનું પૈતૃક ઘર છે.
(IDF) અનુસાર, લેબનનથી વધુ બે ડ્રોન છોડવામાં આવ્યાં હતાં, જેને અટકાવવામાં આવ્યાં હતાં. આ કારણે ગિલોટ સૈન્ય મથક પર એલાર્મ વાગવા લાગ્યું. PM એ કહ્યું હતું કે તેઓ ડ્રોન ઘૂસણખોરીની તપાસ કરી રહ્યા છે.
ટાઈમ્સ ઑફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, શનિવાર સવારથી જ લેબનનથી ઈઝરાયલના તિબેરિયા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને રોકેટ હુમલા થઈ રહ્યા છે. ઘણાં રોકેટ ગેલિસિયાના સમુદ્રમાં પડતાં જોવા મળ્યાં હતાં, જેના કારણે કોઈ ઈજા થઈ નથી. તેલ અવીવ અને શહેરના ઉત્તરીય વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણીના સાયરન્સ પણ સાંભળવા મળ્યા હતા.
ઈઝરાયલ હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારના મોત બાદ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીનું આ પહેલું નિવેદન છે. ટાઈમ્સ ઑફ ઈઝરાયલ અનુસાર, તેમણે કહ્યું કે યાહ્યા સિનવારના મૃત્યુ પછી પણ હમાસનો અંત આવ્યો નથી.