ફરવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. ભારતમાં ઘણી એવી સુંદર જગ્યા છે, જ્યાં તમે રોડ ટ્રીપ પર જઇ શકો છો. ઘણા લોકોને કાર અથવા પછી બસથી મુસાફરી કરતી વખતે ઉલ્ટીની સમસ્યા થાય છે. એવામાં આવા વ્યક્તિઓ કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા નથી.
ઘણા લોકોને કાર અથવા બસથી મુસાફરી કરતી વખતે ઉલ્ટીની સમસ્યા થાય છે. એવામાં તેઓ વધુ દૂર કોઈ પણ જગ્યાએ જતા નથી. તેઓને ટ્રાવેલિંગ પસંદ હોવા છતા તેઓ પોતાના મિત્રો અને પરિવારની સાથે ટ્રીપ્સ પર જતા નથી. ટ્રાવેલ કરતી વખતે ઉલ્ટી થવાની સમસ્યાને મોશન સિકનેસ કહેે છે. આજે અમે તમને કેટલીક એવી પદ્ધતિ વિશે જણાવીશુ. જેને અપનાવીને તમે આ પરેશાનીમાંથી છૂટકારો મેળવી શકો છો.
- Advertisement -
મુસાફરી કરતી વખતે આદુનો એક નાનો ટુકડો રાખો
મુસાફરી કરતી વખતે હંમેશા પોતાની સાથે આદુનો એક નાનો ટુકડો રાખો. આદુમાં એન્ટી-એમેટિક ગુણ હોય છે, જે મોશન સિકનેસને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને ઉલ્ટી અથવા પછી ગભરાહટ મહેસૂસ થાય છે તો લીંબુ ખાવો. લીંબુ ખાવાથી ઉલ્ટી થવાની બંધ થાય છે અને ભય ઓછો થાય છે.
યાત્રા દરમ્યાન વિન્ડો સીટ પર બેસવાની ટેવ પાડો
- Advertisement -
તમે જ્યારે પણ કોઈ યાત્રા પર નિકળો તો ઉલ્ટીની દવા કોઈ મેડિકલ સ્ટોર પરથી લઇને ખાઈ લો. ત્યારબાદ પણ પોતાની સાથે એક પોલિથીન બેગ રાખો. જેનો ઉપયોગ તમે અચાનક ઉલ્ટી કરતી વખતે કરી શકો છો. પ્રયાસ કરો કે તમે યાત્રા દરમ્યાન વિન્ડો સીટ પર જ બેસો. બારીની બાજુમાં બેસવાથી તમને તાજી હવા મળશે જેનાથી તમને ભય મહેસૂસ થશે નહીં.