આજે રાત્રે વિધિવત પ્રારંભ પહેલાં 3 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા
પરિક્રમા રૂટ પરના જંગલોમાં કુદરતી સૌંદર્ય સાથે ભક્તિનો અનેરો સંગમ
પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુની સુખાકારી માટે તંત્ર ખડેપગે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગરવા ગઢ ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી – દેવતા બિરાજમાન છે.અને ગિરનાર પર્વત પર ધર્મની ધજા સાથે સનાતન ધર્મની ધૂણી ધખાવી ઉભેલો ગિરનારનું આજે પણ અનેરું માહાત્મ્ય જોવા મળે છે.ત્યારે ગિરનારની ગોદમાં શિવરાત્રી મેળો અને ગિરનાર ફરતે લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાય છે.આ બંને સનાતન ધર્મને જોડતા મેળાવડામાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે.ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી – દેવતા જયારે બિરાજમાન હોઈ તેની ફરતે 36 કિમિ પગપાળા ચાલીને અતિ કઠિન માનતી ગિરનાર પરિક્રમા યોજાય છે.આ પરિક્રમામાં દેશ વિદેશના લાખો લોકો જોડાઈને ગિરનારી મહારાજના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરે છે.અને ભવે ભવનું પૂર્ણયની ભાથું બાંધીને જાય છે.
કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવે છે. જ્યારે સર્વ પ્રથમ વખત પરિક્રમાની શરૂઆત થઈ. ત્યારે ગિરનાર ફરતે પરિક્રમાના માર્ગ પર 4 જગ્યા પર દૈવીય તત્વો દ્વારા પડાવ નાખીને વિશ્રામ કરી જંગલમાં દેવોના અહેસાસના સાનિધ્યની વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને લેવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. જે આજે પણ કલયુગમાં જળવાતી જોવા મળે છે.તેમજ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને 4 યુગના પ્રતિનિધિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 પડાવોને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ સાથે પણ જોવામાં આવે છે. આ 4 જગ્યા પર પડાવ નાખીને કોઈ પણ પરિક્રમાર્થી પરિક્રમા દરમિયાન તેમના દ્વારા થયેલા સત્વ અને તત્વના આહલાદક અનુભવનો ભાથું પણ બાંધતો હોય છે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણા બાવાની મઢી રાખવામાં આવે છે, જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણથી પૂર્ણ થાય છે. ત્યાર બાદ બીજે દિવસે પરિક્રમાથીઓ વહેલી સવારે પદયાત્રા શરૂ કરે છે. જે માળવેલાની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે. અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે. માળવેલાની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ત્રેતાયુગ સાથે જોડીને જોડવામાં જોવામાં આવે છે. અહીં પણ પ્રત્યેક પરિક્રમાથી રાત્રિનો વિશ્રામ અને પરિક્રમાને વિરામ આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પડાવ રુપે રાત્રિ રોકાણ
કરતા હોય છે.
માળવેલાની જગ્યામાં પડાવ નાખીને રાત્રિ રોકાણ કરેલી પદયાત્રા વહેલી સવારે શરૂ થઈને બોરદેવીની જગ્યા પર ત્રીજો પડાવ નાખે છે. બોરદેવીના પડાવને દ્વાપર યુગ સાથે જોડીને જોવામાં આવે છે. અહીં બોરડીના ઝાડમાંથી ભગવાન શ્રીકૃષ્ણને શક્તિ સ્વરૂપે મા જગદંબા એ દર્શન આપ્યા હતા. તેથી આ પડાવને બોરદેવીના પડાવ તરીકે ઓળખવામાં આવે છે. બોરદેવી માતાજી ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે. પરિક્રમાનો અંતિમ અને ચોથો પડાવ એટલે કે ભવનાથ, ભવનાથને કળયુગ સાથે જોડીને જોવામાં આવે છે. ચાર પડાવો બાદ ભવનાથમાં પરિક્રમા પૂર્ણ થાય છે. પ્રત્યેક પરિક્રમાથી ગિરનાર પર્વત પર થોડા પગથિયાં આવીને શ્રીફળ વધેરી પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે.
- Advertisement -
ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ 36 કિ.મી. અતિ કઠિન છે
ગિરનારની લીલી પરિક્રમાનો એક દિવસ પેહલા પ્રારંભ થઇ ગયો છે ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમા ભાવિકોએ શરુ કરી દીધી છે જેમાં પ્રથમ પડાવ ભવનાથથી ઈંટવા ઘોડી, ત્રણ રસ્તા – જીણા બાવા ની મઢી 12 કી.મી તેમજ બીજો પડાવ જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, 8 કી.મી સુરજકુંડ, મેળવેલા તથા ત્રિજો પડાવ નળપાણી, બોરદેવી 8 કી.મી અને ચોથો પડાવ ભવનાથ તળેટી પરિક્રમા પૂર્ણ 8 કી.મી સુધી પરિક્રમા યોજાય છે.
પરિક્રમાને લઈને વન વિભાગ સજ્જ બન્યું
ગિરનાર પરિક્રમા શરુ થઇ ગઈ છે અને લાખો યાત્રિકો હાલ ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે ત્યારે આ વખતે સૌપ્રથમવાર વન્ય પ્રાણીઓને પકડવા માટે દરેક રાવટી ઉપર એક-એક પાંજરું મુકવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ પાંજરા પરિક્રમા રૂટ પર મૂકવામાં આવ્યા છે.ઉપરાંત પ્રાણીઓના રેસ્ક્યુ માટે સાસણથી એક સ્પેશિયલ ટ્રેકર ટીમ બોલાવી છે અને સાથે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. વન્ય પ્રાણીઓને થતી ઈજાઓ અંગે વેટરનરી મેડીકલ ટીમ રાખવામાં આવી છે અને પરિક્રમા રૂટ ઉપર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને 20 રાવટી ઉપર વોકીટોકી સાથે સજ્જ જોવા મળે છે.તેની સાથે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે તેના માટે પણ ખાસ વનતંત્ર કાળજી રાખી રહ્યું છે.



