ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
વાંકાનેર જામસર ચોકડીથી માટેલ ગામના રોડનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે જે કામ ઝડપથી પૂર્ણ કરાવવાની માંગ સાથે ગામના અગ્રણીએ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી હર્ષદભાઈ રવિદાસભાઈ દૂધરેજીયાએ મોરબી જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પવિત્ર યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગનું હાલમાં નવીનીકરણ છેલ્લા એક વર્ષથી ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી છે જેથી રાહદારીઓ અને યાત્રીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક અકસ્માતો સર્જાય રહ્યા છે માર્ગ પર મોટા સ્પીડ બ્રેકર બનાવેલા છે જેથી રાત્રીના બાઈક ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડે છે ફોર વ્હીલ વાહનોને નુકશાન થઇ રહ્યું છે જેથી રસ્તાનું કામ પૂર્ણ કરવા કોન્ટ્રાકટરોને વહેલી તકે કામ પૂર્ણ કરવા આદેશ આપવા માંગ કરી છે



