દેશમાં કોરોના ફરીથી હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરાનાના 15,000થી વધુ કેસો પોઝીટીવ આવ્યા છે. જેના લીધે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 92,000ની આસપાસ પહોંચી ગઇ છે.
- Advertisement -
દેશમાં છેલ્લા 24 કલાકમાં 15940 નવા કેસો નોંધવામાં આવ્યા, જે ગઇકાલના કેસોની તુલનામાં 8.1% વધુ છે. જે મુખ્ય પાંચ રાજયોમાં કેસો નોંધવામાં આવ્યા, તેમાં 4,205 કેસો મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા. ત્યાર પછી કેરળમાં 3,981 કેસો, દિલ્હીમાં 1,447 કેસો, તમિલનાડુમાં 1,359 કેસો અને કર્ણાટકમાં 816 કેસો સામે આવ્યા છે.
દેશમાં મળેલા કુલ નવા કેસોમાંથી 74.08% નવા કેસો આ પાંચ રાજયોમાંથી આવ્યા છે. કોરોનાના નવા કેસો સામે આવ્યા પછી દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 4,33,78,234 થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં 20 દર્દીના મૃત્યુ થયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 દર્દીના મૃત્યુ થયા, જેમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા વધીને 5,24,974 થઇ ગઇ છે. જો કે, દેશમાં કોરોનાનો રિક્વરી રેટ હવે 98.58% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 12,425 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 4,27,61,481 થઇ ગઇ છે.