ગરમી અને બફારામાં પંખા વગરના રૂમમાં પીડાતા દર્દીઓને મળી રાહત
ખાસ ખબર દ્વારા ગત તા.17ના રોજ રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની ખરી વાસ્તવિકતા પ્રગટ કરતો એક અહેવાલ પ્રસારિત કરાયો હતો. જેમાં હોસ્પિટલના આંતરિક વોર્ડ્સની અતિ દયનિય સ્થિતિ વાસ્તવિકતા સાથઈ તંત્ર સમક્ષ મૂકી હતી. જેમાં જ્યાં ત્યાં પાનની પિચકારી, ગંદકી, ભર ઉનાળે પંખા વગરનો રૂમ, ગંદા ગાદલા સહિતની અનેક અવ્યવસ્થાથી હોસ્પિટલ તંત્રને બતાવી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ ખબરના અહેવાલ બાદ તંત્ર ચોક્કસ સાબદું બન્યું છે. પંખા વગરના રૂમમાં ભારે ગરમી અને બફારા વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા કુલર અને એસી મુકવામાં આવ્યા છે. જેનાથી દર્દીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હજુ પણ સ્વચ્છતા સંબંધે વધુ કામ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. તંત્ર દ્વારા હોસ્પિટલમાં કલર કામ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટ આવનારા સમયમાં વધુ ચોકસાઈપૂર્ણ કામ કરે તેવી અપેક્ષા છે, જેથી દર્દીઓને હોસ્પિટલમાં અન્ય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ખાસ-ખબરના અહેવાલ બાદ થયેલી કામગીરીથી દર્દીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને ખાસ-ખબરના પ્રતિનિધિ કૌશિક ગોંડલિયા સામે આભાર વ્યકત કર્યો હતો.
- Advertisement -