ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં-2 અને સોમનાથ મંદિર,ભાલકા મંદીરની આસપાસ સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ,કાઉન્સેલર સહિતનાઓએ વોર્ડ નં-2 અને સોમનાથ મંદિર ,ભાલકા મંદીરના વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી. અને તે વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચતા સામે દંડ ની કાર્યવાહી કરવામાં
આવી હતી.
વેરાવળ પાટણ પાલિકા દ્વારા સોમનાથ મંદિર, ભાલકા મંદિરના આસપાસના વિસ્તારોની સફાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/વેરાવળ-પાટણ-પાલિકા-દ્વારા-સોમનાથ-મંદિર-ભાલકા-મંદીરના-આસપાસના-વિસ્તારોની-સાફ-સફાઈ-કરાઇ-860x878.jpg)