વેરાવળના સમર યોગ કેમ્પમાં યોગ, સેલ્ફ ડિફેન્સ સહિતની તાલીમ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગીર સોમનાથ દ્વારા 16થી 30 મે દરમિયાન વેરાવળમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે સમર યોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બાળકોએ ભાગ લઈ અને વિવિધ યોગાસનોના માધ્યમથી મેદસ્વિતા સામે મુક્તિ અને શારીરિક તંદૂરસ્તી કેળવવાના પાઠ શીખ્યાં હતાં.
- Advertisement -
આજના સમયમાં બેઠાડું જીવન અને સતત મોબાઈલના વપરાશની સમસ્યા બાળકોમાં વધતી જોવા મળે છે ત્યારે આ સમસ્યામાંથી છૂટકારો અને શારીરિક તંદુરસ્તી કેળવાઈ તેવા ઉદ્દેશથી અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો દ્વારા વેરાવળમાં કબૂલ ભગત સાહેબ મંદિર, હુડકો સોસાયટી, પ્રકાશ કોમ્પલેક્સ સરસ્વતી વિદ્યાલય, અને ડાભોર રોડના દેવકા ગાર્ડન ખાતે સવારે 7 થી 9 કલાક સુધી 07 થી 15 વર્ષના બાળકોને વિવિધ યોગની તાલીમ આપવામાં આવી હતી.