સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારાયા
ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ અવંતિકા સિંઘ ઔલખ, ખાસ ફરજ પરના અધિકારી ડી.કે. પારેખ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉચ્ચ અધિકારી સર્વે ડો. હસમુખ અઢિયા, એસ. એસ.રાઠૌર, આર.જી. ગોહિલ, આર. એસ. નિનામા, માહિતી નિયામક કે.એલ. બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનું એરપોર્ટ ખાતે ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું વધાવવા કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, અગ્રણી સર્વ ચિરાગભાઈ ભોપાળા, પ્રવીણભાઈ ભાલાળા, ગૌરાંગ વ્યાસ, દિવ્યેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.