ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી,
આજે ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ-અપ અગ્નિકુલ કોસમોસે શ્રીહરિકોટમાં તેના લોન્ચ પેડથી રોકેટ અગ્નિબાણનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે.
જેની માહિતી ઈસરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે. આ સફળતાપૂર્વક લોન્ચિંગ પહેલા કુલ ચાર નિષ્ફળ પ્રયાસ રહ્યા હતા. ગુરુવારે ટેસ્ટ વિના કોઈ લાઈવ-સ્ટ્રીમિંગ અને ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની અંદર સ્થિત શ્રીહરિકોટા લોન્ચ પેડ પર સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
- Advertisement -
મળતી માહિતી પ્રમાણે, 22 માર્ચ પછી અગ્નિકુલ તરફથી અગ્નિબાણ સબ-ઓર્બિટલ ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર લોન્ચ કરવાનો આ પાંચમો પ્રયાસ હતો. લેફ્ટનનેલેફ્ટનન્ટ જનરલ એ.કે.ભટ્ટ આ સફલ પરિક્ષણ માટે સમગ્ર ટીમને શુભેચ્છા આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, અગ્નિબાણ એક કસ્ટામાઈઝેબલ, બે સ્ટેજ ધરાવતું લોન્ચ વ્હીકલ છે, જે 300 કિલોગ્રામ સુધી પેલોડ લગભગ 700 કિમીના ઓર્બેટમાં લઈ જઈ શકે છે. જઘઝિયઉ મિશન એક સિંગલ સ્ટેજ લોન્ચ વ્હીકલ છે, જે ક્રાયોજેનિક એન્જિન, એગ્નિલેટ દ્વારા સંચાલિત થશે. એગ્નિલેટ એન્જિન વિશ્ર્વનું પ્રથમ સિંગલ-પીસ 3ડી-પ્રિન્ટેડ સેમી-ક્રાયોજેનિક રોકેટ એન્જિન છે.