ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતાથી હારી ન જનાર ભારત હવે વધુ તાકાતથી ચંદ્રયાન-3 મિશન હાથ ધરી રહ્યું છે અને તા.14 મી જુલાઈએ એલવીએમ-3 રોકેટ ચંદ્રયાન-3 ને લઈને ચંદ્રના પ્રવાસે ઉપડનાર છે. ધી ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરોનુ આ મિશન ચંદ્રયાન-3 સતિષ ધવન સ્પેસ સેન્ટર (એસડીસસી) શ્રી હરિકોય ખાતેથી બપોરે 2-35 વાગ્યે લોંચ થશે.આ તકે ઘટના સ્થળે વિજ્ઞાન લેખોનાં સંગ્રાહનું અદભુત પુસ્તક ‘પ્રિઝમ: ધી એસેન્ડલ એડોબ ઓફ રેઈનબોનું વિમોચન પણ થશે.
આ પુસ્તકનાં લેખક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા જાણીતા ફિલ્મ મેકર લેખક વિનોદ મંકારાએ લખ્યું છે. આ પ્રથમ પુસ્તક છે જેનું લોન્ચીંગ રોકેટ લોંચ પેડ ખાતે કંઈ રહ્યું છે.
ચંદ્રયાન-3 એ ઈસરોનું ત્રીજુ મુન મિશન છે. આ ચંદ્રયાન લેન્ડર રોવર છે.એટલે કે તે ચંદ્રની ભુમિ પર ચાલી શકે છે. જયારે ચંદ્રયાન-3 મિશનનુ આયોજન થયુ ત્યારે તેનું બજેટ 600 કરોડ રૂપિયા હતું જેની હવે ફાઈનલ કોસ્ટ 615 કરોડ રૂપિયા થઈ છે.
એલએમવી-3 દેશનું સૌથી ભારે રોકેટ છે. જેની કુલ લંબાઈ 43.5 મીટર છે. આ રોકેટ પૃથ્વીથી 200 કિલોમીટર સુધી 8 ટન પેલોડ લઈને જઈ શકે છે. ત્યારબાદ 35 હજાર કી.મી.સુધી તેનું અડધુ વજન જ લઈ જઈ શકે છે. ચંદ્રયાન-3 ના લેન્ડર મોડયુલનુ બીન લગભગ 1.7 ટન તેના પ્રોપલ્સનું વજન લગભગ 2.2 ટન અને લેન્ડરની અંદર 26 કિલોનું રોવર પણ છે.અર્થાત કુલ એપેલોડ લગભગ 3 ટન છે.
- Advertisement -
લગભગ 700 કરોડના બજેટનું આ ચંદ્રયાન-3 મિશન ભારત માટે મહત્વનું છે.કારણ કે આ મિશનનું લેન્ડર ચંદ્રનાં એ ભાગ સુધી જશે.જેના બારામાં કોઈ જાણકારી નથી. આ અભિયાન ચંદ્રની સપાટી પર રાસાયણીક તત્વો અને માટે પાણીનાં કણો જેવા પ્રાકૃતિક સંશાધનોની પણ તપાસ કરશે.ચંદ્રયાન-3 થી ભારત પોતાના પડોશી ચીનને સ્પેસમાં એક તરફી આગળ વધવા દેવા નથી માંગતુ જે પહેલાં જ 3 અભિયાનોને મંજુરી આપી ચુકયુ છે.ચંદ્રની વેરાન અને ઉજજડ સપાટીની અનેક મુલ્યવાન ધાતુઓ મોજૂદ હોવાની સંભાવના છે. તેમાં સોનું અને પ્લેટીનમ પણ સામેલ છે. ધરતીથી ચંદ્રનુ અંતર 3.84 લાખ કિલોમીટર છે.જેને પુરૂ કરવામાં ચંદ્રયાનને 45 થી 48 દિવસ લાગી શકે છે. તેનો રસ્તો કંઈક આવો છે. ચંદ્રયાન-3 સ્પેસ ક્રાફટને એલવીએમ-3 રોકેટથી પૃથ્વીનાં ઓરબીટમાં મોકલાશે. તે ધરતી પર ચકકર લગાવતું રહેશે અને પ્રોપેલ્શનનો ઉપયોગ કરીને પોતાનું ક્ષેત્ર વધારતું રહેશે. એક ક્ષણે તે ધરતીનાં ઓરબીટ (ભ્રમણ કક્ષા) થી નીકળીને ચંદ્રનાં ઓરબીટમાં દાખલ થઈ જશે અને તેનું ચકકર લગાવવુ શરૂ કરી દેશે. ત્યારબાદ ચંદ્રનાં ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં પહોંચીને ચંદ્રની સપાટી પર સોફટ (હળવુ) લેન્ડીંગ ઉતરાણ) કરશે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બર 2019 માં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના બ્રેકીંગ થ્રસ્ટરમાં ગરબડના કારણે તેનું ક્રેશ લેન્ડીંગ થયુ હતું. ચાંદ પર લેન્ડીંગના પહેલા તબકકામાં વિકાય લેન્ડરની ચાંદ પર ઉતરવાની સ્પીડ 1683 મીટર પ્રતિ સેક્ધડથી ઘટાડીને 146 મીટર પ્રતિ સેક્ધડ કરાઈ હતી. લેન્ડીંગનાં બીજા તબકકામાં બ્રેકીંગ સીસ્ટમમાં ગરબડ આવી ગઈ અને જયાં તેને લેન્ડ થવાનું હતું તેનાથી 500 મીટર ઉપરથી ક્ન્ટ્રોલ ખોવાઈ ગયો અને લેન્ડરે ક્રેશ
લેન્ડીંગ કર્યું.
ચંદ્રયાન-3 ના ત્રણ મહત્વના લક્ષ્યો ત્રણ
– ચંદ્રયાન-3 ના લેન્ડરની ચંદ્રની સપાટી પર સુરક્ષીત અને સોફટ લેન્ડીંગ
– તેના રોવરનું ચંદ્રની સપાટી પર ચલાવવીને દેખાડવું.
– ત્યાં રહેલા તત્વોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરશે, ચંદ્રયાન ચંદ્રની સપાટી પર પહોંચશે કે લેન્ડર અને રોવર ચંદ્રનાં એક દિવસ અર્થાત ધરતીનાં 14 દિવસો માટે એકટીવેટ થઈ જશે.