ખાસ-ખબર સંવાદદાતા
એમએસએમઈ એકમો પાસેથી કરાતી ખરીદીમાં પેમેન્ટ 15 કે 45 દિવસમાં કરવાનુ ફરજીયાત બનાવતી આવકવેરા જોગવાઈ સામે દેશભરના વેપાર ઉદ્યોગમાં જબરદસ્ત ઉહાપોહ સર્જાયો જ છે. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામનને રજુઆત કરવા માર્ગ ગુજરાતના વેપાર ઉદ્યોગ પ્રતિનિધિઓ દિલ્હી પહોંચ્યા હતા અને રૂબરૂ-લેખિત રજુઆત કરી હતી.
સુરતના કોર્પોરેટર દિનેશ રાજપુરોહીત, કોસ્ટા, એસજીટીટી, અમદાવાદ મસ્કતી મહાજન સહિતના સંગઠનના પ્રતિનિધિઓએ આવકવેરાની કલમ 43-બી-એચની જોગવાઈ રદ કરવા તથા સરળતાપૂર્વક લાગુ પાડવાની રજુઆત કરી હતી. નાણામંત્રીએ રજુઆત સાંભળીને વેપારઉદ્યોગના હિતમાં શકય ફેરફાર કરવાની બાહેધરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એમએસએમઈ સંલગ્ન આવકવેરાની આ જોગવાઈ હેઠળ ખરીદનારા 15 કે 45 દિવસમાં પેમેન્ટ ન કરે તો આ નાણાં તેઓની આવકમાં ગણાનાર છે એટલે કરબોજ વધી શકે છે. ઉપરાંત નિયત સમયમાં પેમેન્ટન કરવા બદલે વ્યાજ સહિતની દંડાત્મક જોગવાઈઓ પણ હોવાથી વેપારઉદ્યોગને મોટી અસર છે.
MSMEને લગતી જોગવાઈ સામે વેપાર ઉદ્યોગકારોની નાણામંત્રીને રજૂઆત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/MSME.jpg)