By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    6 hours ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    9 hours ago
    વિદેશી વિદ્યાર્થીઓને હવે હાર્વર્ડના સપનાઓ ભૂલવા પડશે: ટ્રમ્પ સરકાર ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ત્રાટકી
    9 hours ago
    નેપાળની ધરતી કંપી ઉઠી: 4.3 ની તીવ્રતાનો ભૂકંપ
    10 hours ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI એજન્ટ નોમાન ઇલાહીના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
    11 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
    6 hours ago
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    6 hours ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    9 hours ago
    અયોધ્યાને મળ્યું અન્ય એક આધ્યાત્મિક કેન્દ્ર: મુખ્યમંત્રી યોગીએ હનુમાન કથા મંડપનું ઉદ્ઘાટન કર્યું
    9 hours ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI એજન્ટ નોમાન ઇલાહીના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે
    6 hours ago
    અમદાવાદમાં લખનઉએ ગુજરાતને 33 રનથી હરાવ્યું: મિચેલ માર્શની પહેલી IPL સેન્ચુરી
    6 hours ago
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    1 day ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    1 day ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    1 day ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    1 day ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    1 day ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    2 days ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 day ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!
AuthorParakh Bhatt

ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!

Khaskhabar Editor
Last updated: 2022/03/05 at 12:32 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE
મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું.  

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ભારતીય સંસ્કૃતિ સદીઓ જૂની છે. દેશનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ અને મજબૂત છે, જેની સાબિતી આપે છે આપણી જૂની ઇમારતો, મહેલો, મંદિરો, તથા દાયકા જુના મળી આવેલા અવશેષો. અલગ અલગ દેવી-દેવતાઓ, સંસ્કૃતિના સ્મરણચિહ્ન સમા એમના અલગ-અલગ દેવાલય અને એની સાથે જોડાયેલી ઐતિહાસિક તથા પૌરાણિક વાર્તાઓ. વિવિધતામાં એકતાનો સાચો અર્થ આ જ તો છે!

Contents
મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું.  મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

રાજસ્થાનના જયપુરથી 115 કિલોમીટર દુર, સિકર જીલ્લાનાં અરાવલી પહાડોમાં એક દેવીસ્થાન, જેનું નામ : જીણ માતાનું મંદિર. લોક માન્યતા અનુસાર, એક વાર મુઘલ સમ્રાટ ઔરંગઝેબે જીણ માતા અને ભૈરવના મંદિરને તોડવાના ઈરાદાથી સૈનિકોને મોકલ્યા. આ વાતની જ્યારે સ્થાનિક લોકોને જાણ થઇ, તો તેઓ અતિશય દુ:ખી થયા. રાજાના આ પ્રકારના વ્યવહારથી ચિંતિત થઈને શ્રદ્ધાળુઓએ જીણ માતાને પ્રાર્થના કરી. લોકોની પ્રાર્થના ફળી અને માતાજીએ પોતાનો ચમત્કાર દેખાડયો. ત્યાં મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું. કહેવાય છે કે ખુદ શહેનશાહની હાલત પણ ખૂબ ગંભીર થઇ ગઈ હતી. છેવટે એણે પોતાની ભૂલ સ્વીકારીને માતાના ચરણોમાં અખંડ જ્યોત પ્રગટાવવાનું વચન આપ્યું અને ગામવાસીઓને આશ્વાસન આપ્યું કે એ દર મહિને સવા મણ તેલ આ જ્યોત માટે ભેટ કરશે. ત્યાર પછી ઔરંગઝેબની તબિયતમાં સુધારો થવા માંડયો.

- Advertisement -

લોકોનું કહેવું હતું કે, શહેનશાહે ઘણા વર્ષો સુધી તેલ દિલ્હીથી મોકલાવ્યું. ત્યાર પછી જયપુરથી મોકલવામાં આવતું હતું. ઔરંગઝેબનાં દેહાંત પછી પણ આ પરંપરા યથાવત રહી અને જયપુરના મહારાજે આ તેલને માસિકની જગ્યાએ વર્ષમાં બે વાર નવરાત્રિના સમયે મોકલાવવાનું શરુ કરી દીધું. મહારાજા માનસિંહજીનાં સમયે એમના ગૃહમંત્રી, રાજા હરિસિંહ અચરોલે તેલના સ્થાન પર રોકડા વીસ રૂપિયા અને ત્રણ આના પ્રતિમાસ આપવાનું નક્કી કર્યું, જે અવિરતપણે મળતા રહ્યા.

માનવામાં આવે છે કે જીણ માતાનો જન્મ ચૌહાણ વંશના રાજપૂત પરિવારમાં થયો હતો. એ પોતાના ભાઈ હર્ષને ખૂબ સ્નેહ કરતા. એક વાર માતા જીણ એમની ભાભીની સાથે તળાવ પર પાણી ભરવા ગયા. પાણી ભરતી વખતે ભાભી અને નણંદ વચ્ચે એ વાતને લઈને ઝઘડો આરંભ થયો કે હર્ષ કોને વધારે પ્રેમ કરે છે! આખરે બંને વચ્ચે એવો નિર્ણય લેવામાં આવ્યો, કે હર્ષ જેના માથા ઉપરથી પાણીનું માટલું પહેલા ઉતારશે, એ જ એને વધારે પ્રિય હશે. ભાભી અને નણંદ માટલું લઈને ઘરે પહોચ્યા. ઘટના એવી બની કે, હર્ષે પહેલા પોતાની પત્નીના માથા ઉપરથી માટલું નીચે ઉતાર્યું. આ જોઇને જીણ માતા ક્રોધિત થઇ ગયા.

- Advertisement -

ગુસ્સે થઈને એમણે અરાવલીના કાજલ શિખર પર પહોંચી તપસ્યાનો આરંભ કર્યો, જેના પ્રભાવથી રાજસ્થાનના ચુરુમાં જ જીણ માતાનું નિવાસસ્થાન થઇ ગયું. અત્યાર સુધી હર્ષ ભાભી-નણંદ વચ્ચેનાં વિવાદથી અજાણ હતો. આ શરત વિશે જયારે એને ખબર પડી, ત્યારે તે પોતાની બહેનની નારાજગીને દૂર કરવા કાજલ શિખર પર પહોચી ગયો. એણે બહેન જીણને ઘેર પાછા ફરવા વિનંતી કરી, પરંતુ માતાએ ઘરે આવવાની ના પાડી. બહેનને ત્યાં જોઇને હર્ષ પણ પહાડો ઉપર ભૈરવની તપસ્યા કરવા માંડયો અને એમણે ભૈરવપદ મેળવી લીધું.

જીણ માતાનું વાસ્તવિક નામ જયંતી માતા છે. એમને દુર્ગા માતાનો અવતાર માનવામાં આવે છે. ગાઢ જંગલથી ઘેરાયેલું આ દેવીસ્થાન, ત્રણ નાના પહાડોના સંગમ પર સ્થિત છે. મંદિરમાં આરસ પહાણનું વિશાળ શિવલિંગ તથા નંદી મૂર્તિનું આકર્ષણ સૌથી વિશેષ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે માતાજીનું મંદિર 1000 વર્ષ જૂનું છે. કેટલાક ઇતિહાસકાર આઠમી સદીને જીણ માતા મંદિરના નિર્વાણકાળ તરીકે માને છે.

જીણધામની મર્યાદાઓ તેમજ પૂજા વિધિઓ:

(1) જીણ માતા મંદિર સ્થિત પુરી સંપ્રદાયની ગાદીના પૂજા-પાઠ, માત્ર પુરી સંપ્રદાયના સાધુઓ દ્વારા જ થાય છે.
(2) જે પૂજારી જીણ માતાની પૂજા કરતા હોય, તેઓ પરાશર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.
(3) જીણ માતા મંદિરના પૂજારીઓના લગભગ 100 પરિવાર છે, જેઓ પોતાના ક્રમાનુસાર એક પછી એક પૂજાવિધિની જવાબદારી સંભાળે છે.
(4) પૂજારીઓના ઉપનયન સંસ્કાર થયા પછી તેમને વિધિ-વિધાન સાથે પૂજા માટે તૈયાર કરવામાં આવે છે.
(5) પૂજા સમય દરમિયાન પૂજારીએ સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે તથા એમનું પોતાના ઘરે જવાનું તદ્દન પ્રતિબંધિત થઇ જાય છે.
(6) જીણ માતા મંદિરમાં અર્પણ કરવામાં આવેલા દેવદ્રવ્યનો ઉપયોગ પૂજારીઓની બહેન – દીકરીઓ જ કરી શકે. એમની પત્ની માટે એ નિષેધ હોય છે.
(7) વહેલી સવારે ચાર વાગ્યે જીણ ભવાનીની મંગલા આરતી થાય છે. સવારે આઠ વાગ્યે શ્રૃંગાર તથા સાંજે સાત વાગ્યે ફરી શયન-આરતી થાય છે. ત્યારબાદ ભક્તગણોમાં પ્રસાદનું વિતરણ.
(8) ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે પણ આરતી પોતાના સમય પર જ થાય છે.
(9) દર મહિને શુક્લ પક્ષની આઠમે વિશેષ આરતી તથા પ્રસાદનું વિતરણ.
(10) મંદિરના ગર્ભગૃહના દ્વાર ચોવીસ કલાક ખુલ્લા હોય છે. ફકત શ્રૃંગારના સમયે પડદા લગાવવામાં આવે છે.
(11) પ્રત્યેક વર્ષ, શરદ પુનમે મંદિરમાં વિશેષ ઉત્સવ મનાવવામાં આવે, જેમાં પૂજારીઓનો વારો બદલાય જાય છે.
(12) દર વર્ષે ભદ્ર પક્ષ મહિનાના શુક્લ પક્ષમાં શ્રીમદ્ દેવી-ભાગવતનો પાઠ તથા મહાયજ્ઞ થાય છે.

દેવાલયના પહાડોની ટોચ પર ભાઈ હર્ષ (ભૈરવનાથ)નું મંદિર છે. જીણ માતાનાં મુખ્ય અનુયાયીઓમાં એ ક્ષેત્રના વાણિયા, રાજપૂત, જીંગરા અને મીનાનો સમાવેશ થાય છે. જીણ માતા શેખાવાટી રાજપૂત, જીંગરા, મીના અને વાણીયાઓના કુળદેવી છે.

You Might Also Like

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા

ઇન્ફોર્મેશન વૉરફેર : બિના ખડગ બિના ઢાલની લડાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈમિગ્રેશન

વાત ફિદાયીનોની, પ્રતિશોધની અને જાસૂસોની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂટબોલને ગુજરાતમાં ઊચ્ચ સ્તરે લાવવા YCC કલબ રાજકોટનો નોંધપાત્ર ફાળો
Next Article આત્મા હંમેશાં વિશુદ્ધ હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી 1 કરોડનો નકલી કોસ્મેટિક સામાન પકડાયો !

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
પૂ. દયાનંદગીરી બાપુનાં મહાપ્રયાણથી આયુર્વેદ, આધ્યાત્મિકતા અને પશુ-પક્ષી સેવાની ઋષિ પરંપરાના એક યુગનો અંત
રાજકોટમાં ગુરુવારે સાંજે 30 મિનિટનું વાવાઝોડું: 30 ઝાડ, 2 હોર્ડિંગ ધરાશાયી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ઇન્ફોર્મેશન વૉરફેર : બિના ખડગ બિના ઢાલની લડાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?