સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની પાંત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સંપ, સેવા અને સહકારની ભાવનાથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી છત્રીસ વર્ષથી અવિરત કાર્ય કરી રહી છે. આ મંડળીની પાંત્રીસમી વાર્ષિક સાધારણસભા તા. 13/09/2023 ને બુધવારના રોજ સાંજે 4:00 કલાકે આંકડાશાસ્ત્ર ભવનના સેમીનાર હોલમાં મળી હતી.
- Advertisement -
પાત્રીસમી સાધારણ સભાની સાથોસાથ નિવૃત્ત અઘ્યાપકોનો અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને અને ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતીમાં યોજાયો. જયારે અતિથી વિશેષ તરીકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલસચીવ ડો. હરીશભાઈ રૂપારેલીઆ ઉપસ્થિત રહ્યાં હતા.
શાબ્દિક સ્વાગત કરતા મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ કુલપતિ ગીરીશ ભીમાણી અને દિલીપભાઈ સંઘાણીને આવકારતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિનયન, વાણિજ્ય અને કાયદા જેવી ત્રણ- ત્રણ મહત્વની વિદ્યાશાખાના સ્નાતક એન. સી. યુ. આઈ., ઇફકો અને ગુજકોમાશોલ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતનામ સહકારી સંસ્થાઓના અધ્યક્ષ બને તે આપણાં સૌ માટે ગૌરવપ્રદ ઘટના છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના વર્તમાન પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો.જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશભાઈ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો પ્રો.સંજય ભાઈ ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશભાઈ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષભાઈ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ ઉપપ્રમુખ ડૉ. જયંત ભાલોડિયા દ્વારા કરવામાં આવી હતી.