રામમંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગને ઉજવવાનો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સિનિયર સિટીઝન મંડળનું સ્નેહમિલન સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે યોજાયું હતું.જેમાં સંસ્થાના પ્રમુખ શ્યામભાઈ નાથાણી તથા અન્ય હોદેદારોએ તમામ સદસ્યોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.જીતુભાઈ મહેતા, શૈલેષભાઇ શેઠ, યોગેશભાઈ રાવલે સદસ્યોને ક્વિઝ ગેમ રમાડી મનોરંજન પૂરું પાડ્યું હતું.આ તકે ખાસ અયોધ્યામાં બનેલ ભવ્ય રામ મંદિરમાં કરોડો હિન્દુઓના આરાધ્ય એવા પ્રભુ શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને વેરાવળમાં પણ ભવ્યરીતે ઉજવવાનો નિર્ણય મંડળના 300 સભ્યોએ એકી અવાજે કરેલ હતો.જેમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા રંગોળી, દીપમાળા, રાસ ગરબા, ભવ્ય રેલી, ફટાકડા, ભોજન સમારંભ વગેરે કાર્યક્રમો કરવા તેવું તમામે સર્વાનુમતે નક્કી કર્યું હતુ.રાષ્ટ્રગીત અને ભોજન સમારંભ સાથે આ સ્નેહમિલનનો કાર્યક્રમ પુર્ણ થયેલ હતો તેમ અનિલભાઈ પુરોહિત દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વેરાવળમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું
