ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ ક્ષત્રિય કરણી સેના તેમજ ફબ્રહ્મ સમાજ તેમજ સમસ્ત હિન્દૂ સમાજ યુવાનો દ્વારા નવદુગા ગ્રાઉન્ડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યકમ રાખવામાં આવ્યો હતો બે મિનિટ મોન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ સુત્રાપાડા મામલતદારને ગુજરાતના મુખ્યમંત્રીને ઉદેશીને રજુઆત કરવામાં આવી હતી જેમાં સુખદેવસિંહજી ગોગામેડીના હત્યારાઓને સત્વરે ઝડપે તપાસ થાય અને તે હત્યારાઓની પાછળ આ હત્યાનું ષડયંત્ર રચનાર વ્યક્તિયોના નામ પણ બહાર લાવે અને તેમની પણ ઘરપકડ કરે અને હત્યામાં સામેલ તમામ આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં ફાંસી ની સજા થાય એવી ગુજરાતના રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવિ આ તકે ક્ષત્રિય કરણી સેના સંગઠન મહા સચિવ કનકસિંહ જાદવ જેસીંગભાઇ બારડ ભરતભાઈ બારડ વિશાલભાઈ જાની બ્રહ્મ સમાજના યુવાનો હિન્દૂ સમાજના યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
ગોગામેડીની હત્યાને લઈને સુત્રાપાડા મામલતદારને આવેદન અપાયું
