ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
ગૌસેવા એજ પ્રભુસેવા ના સૂત્ર સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકરો દ્વારા વેરાવળ ની કામધેનુ ગૌશાળા ખાતે શ્રમદાન નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ના નગર ના સંઘ ચાલક પ્રફુલભાઈ હરિયાણી એ જણાવ્યું હતું કે, ગૌમાતા એટલે ભારતીય સંસ્કૃતિ નો આધાર આપણા સનાતન હિન્દુ શાસ્ત્ર માં ગૌમાતા નું અનેરું સ્થાન છે. ત્યારે ગૌમાતાની સેવા સંરક્ષણ અને સંવર્ધનએ દરેક ભારતીય ની ફરજ સમાન છે.
- Advertisement -
આજે રવિવારે વેરાવળ ની કામધેનુ ગૌશાળા ખાતે વહેલી સવારે શ્રમદાન યોજેલ જેમાં ગૌશાળા માં સંઘ ના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, સંઘ દ્વારા કામધેનુ ગૌશાળા ખાતે શ્રમદાન સાથે સાથે ગૌમાતા ને લીલોતરી શાકભાજી નો મનોરથ પણ કરવામાં આવેલ ગૌમાતા ને અલગ અલગ શાકભાજી આરોગાવા માં આવી હતી.