કેટલા લોકો આજે લૂઈ પાશ્ચરના આવા કૌભાંડો વિશે જાણકારી ધરાવતા હશે? બહુ જ ઓછા! તેનું કારણ એ છે કે ટેકનોલોજીનાં ઈતિહાસના ચોપડેથી બિકંપને લગભગ પૂરેપૂરો જ ભૂંંસી નાખવામાં આવ્યો છે
મેડિકલ માયાજાળ
– ડો. મનીષ આચાર્ય
- Advertisement -
તમારી માંહેના મોટા ભાગના લોકો આલ્બર્ટ આઈન્સ્ટાઇન થોમસ આલ્વા એડિસન, ન્યુટન અને હોકિંસ નામના વૈજ્ઞાનિકો વિશે જાણતા જ હશો, પણ કદાચ ઘણાં ઓછા લોકો નિકોલા ટેસ્લા વિશે ખાસ કોઈ માહિતી ધરાવતા હશે. નિકોલા ટેસ્લા એક સાચા અર્થના જીનીયસ મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ એન્જિનિયર હતા. તેમનો જન્મ ક્રોએશિયાના એક નાના એવા ગામમાં 10મી જુલાઈ 1856ના અને તેમનું અવસાન 7મી જાન્યુઆરી 1943ના રોજ ન્યુયોર્કમાં થયું હતું. તેમણે એન્જિનિયરીંગના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ સંશોધનો કર્યા છે. એસી કરંટ અને રેડિયો – ટીવીમાં વપરાતી કોઈલ ટેસ્લાની દેન છે. અનેક ટેકનિકલ ઉપકરણોના પાયામાં ટેસ્લાના કેટલાક મહત્વપૂર્ણ સંશોધનો છે. આવી મહાન વિભૂતિએ માનવીના હલકટપણાનો એવી રીતે ભોગ બનવું પડ્યું હતું કે તેમનું સમગ્ર જીવન જ એક દર્દનાક દાસ્તાં બની રહ્યું હતું. તેમના સંશોધનો અને ટેકનોલોજી વિશે તેમના ચિંતનની જે ઉંચાઈ છે તેટલા જ દુ:ખ દર્દ આ વિચક્ષણ મહામાનવે ભોગવવા પડ્યા હતા. તેમના જીવનની અનેક હૃદય સ્પર્શી વાતો જાગૃત વાચકો જાણતા જ હશે.
સામાન્ય લોકોના હૃદયમાં જેમના માટે ખૂબ આદર છે તેવા થોમસ આલ્વા એડિસને તેમના કેટલાક મહત્વપૂર્ણ સંશોધનો પરનું પેપરવર્ક ચોરી લીધું હતું જેના કારણે ટેસ્લાને ભયંકર માનસિક આઘાત લાગ્યો હતો. આ કારણે તેમને ઘણું મોટું આર્થિક નુકશાન થયું હતું અને તેણે રીતસર નાદારી નોંધાવવી પડી હતી. તેમના હિતશત્રુઓએ ટેકનોલોજીના ઈતિહાસના પૃષ્ઠો પર તેમના વિરલ કાર્યોની ઘણી ખરી નોંધ ચડવા જ ન દીધી અને જે કંઈ ચડી હતી તેમાંથી ઘણી ખરી સમયાંતરે ઉડાડી દેવામાં આવી. પરંતુ તમારા માંહેથી કેટલા લોકો એન્ટોનીએ બિકંપ વિશે જાણકારી ધરાવે છો? વળી કેટલા લોકો આજે લૂઈ પાશ્ચરના આવા કૌભાંડો વિશે જાણકારી ધરાવતા હશે? બહુ જ ઓછા! તેનું કારણ એ છે કે ટેકનોલોજીના ઈતિહાસના ચોપડેથી બિકંપને લગભગ પૂરેપૂરો જ ભૂંંસી નાખવામાં આવ્યો છે. આ બધા પાછળના કારણો ઘણાં ભયંકર છે અને વળી તે આપણને જીનીયસ લોકોના દિમાગમાં વસતા શેતાન વિશે નવેસરથી વિચારતા કરી મૂકે તેવા.
એન્ટોનીએ બીકંપ (1816-1908) એક આજીવન શિક્ષક, પ્રોફેસર અને સંશોધક હતો. શિક્ષક અને સંશોધક તરીકેની વિશેષ પ્રતિભાના કારણે સર્વસામાન્ય સમાજ અને એકેડેમીક ક્ષેત્રમાં તેમના માટે સારો એવો આદર હતો. ફ્રેંચ એકેડમી ઓફ સાયન્સનો તે સક્રિય સભ્ય હતો અને પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે અહીં અનેક સંશોધનો રજૂ કર્યા હતા. તેમના અનેક લખાણો પ્રસિદ્ધ થયા છે પરંતુ ટેકનોલોજી ઈતિહાસના ચોપડે તેમના બાબતે ખાસ કોઈ નોંધ નથી. બીજી તરફ પાશ્ચર (1822-1895) મેડીસીન અને બાયોલોજી ફિલ્ડમાં રોકસ્ટાર બની ગયા હતા અને હજુ આજે પણ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં તેમની germ થિયરી અને Vaccination બાબતે તેમનું નામ ઘણું આદરથી લેવાય છે પણ બીકંપના માતબર સંશોધનો છતાં ઈતિહાસના ચોપડેથી તેનું નામ ભૂંસી નાખવા બાબતે તેનું નામ પણ ચર્ચામાં છે. ખેર, એ અલગ વાત છે કે પોતાની મૃત્યુશૈયા પર લૂઈ પાશ્ચર એ germ અને માઇક્રો Orgeniam થિયરી ખોટી હોવાનું નિવેદન આપ્યું હતું. (ક્રમશ:)


