નવી બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 450-800 કિમી સુધી: ઓપરેશન સિંદૂરમાં ઙઅઊંના 6 એરબેઝને નષ્ટ કર્યા હતા
ભારત બ્રહ્મોસનું નવું વર્ઝન તૈયાર કરી રહ્યું છે
- Advertisement -
2016થી ચાલી રહી છે તૈયારી, હવે ત્રણ રેન્જવાળા અવતાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 6 એરબેઝને નષ્ટ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલી ભારતની સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. રક્ષા સૂત્રો અનુસાર બ્રહ્મોસની રેન્જ, ગતિ અને મારક ક્ષમતાને વધુ સુધારવામાં આવી રહી છે.
હાલમાં તેની રેન્જ લગભગ 300 કિલોમીટર છે, પરંતુ નવા વર્ઝનમાં તેને 450 કિલોમીટરથી લઈને 800 કિલોમીટર સુધી વધારવા પર કામ ચાલી રહ્યું છે. આ નવી મિસાઈલો આવ્યા પછી દિલ્હીથી જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદને નિશાન બનાવી શકાશે. દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેનું હવાઈ અંતર 700 કિલોમીટર છે.
તેમજ, બ્રહ્મોસનું હળવું વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. બ્રહ્મોસનું લગભગ અઢી ટન વજનનું ખાસ વર્ઝન સુખોઈ એમકેઆઈ-30 ફાઈટર પ્લેનની નીચે (અંડરબેલી) લગાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ઝન હવે પ્રોજેક્ટ ડિઝાઇન બોર્ડની મંજૂરી પછી આગળના તબક્કામાં પહોંચી ગયું છે.
હાલમાં વધુ રેન્જવાળી બ્રહ્મોસ મિસાઈલના ગ્રાઉન્ડ ટ્રાયલની તૈયારી ચાલી રહી છે. આ નવા વર્ઝનના આગામી ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે વિકસિત થવાની અપેક્ષા છે. જો બધું નિર્ધારિત યોજના મુજબ રહ્યું તો બ્રહ્મોસના આ નવા વર્ઝનનું પ્રથમ પરીક્ષણ 2027ના અંત સુધીમાં કરી શકાય છે.
બ્રહ્મોસને દુનિયાની સૌથી ઝડપી અને ઘાતક ક્રુઝ મિસાઈલોમાંની એક ગણવામાં આવે છે. તે ‘ફાયર કરો અને ભૂલી જાઓ’ ટેકનિક પર કામ કરે છે અને મેક-3 (ધ્વનિની ગતિ 332 મી./સેક્ધડથી ત્રણ ગણી)ની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. તેની ઝડપી ગતિને કારણે દુશ્ર્મનના રડાર તેને સમયસર પકડી શકતા નથી.
બ્રહ્મોસ એરોસ્પેસ 2016માં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ (ખઝઈછ)નું સભ્ય બન્યું. આ રિજીમમાં 35 દેશો સામેલ છે. ત્યારબાદ જ બ્રહ્મોસની રેન્જને 300 કિમીથી આગળ વધારવા પર કામ શરૂ થયું.
ખરેખરમાં, ખઝઈછના નિયમો હેઠળ બિન-સભ્ય દેશોને 300 કિમીથી વધુ રેન્જવાળી મિસાઈલ ટેકનોલોજી આપી શકાતી નથી, તેથી પહેલા બ્રહ્મોસની રેન્જ મર્યાદિત હતી. હવે ઓપરેશન સિંદૂર પછી બ્રહ્મોસના 3 નવા વર્ઝન પર કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે.
તેમની રેન્જ 450, 600 અને 800 કિમી સુધી વધારવાની યોજના છે. વાયુસેના માટે બ્રહ્મોસનું હળવું સંસ્કરણ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જમીન અને સમુદ્રમાંથી છોડવામાં આવતી બ્રહ્મોસનું વજન લગભગ 3 ટન હોય છે, જેને વાયુસેના માટે ઘટાડીને લગભગ અઢી ટન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, 23 ડિસેમ્બરે જ ભારતે બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ તટ નજીક પરમાણુ ક્ષમતાવાળી ઊં-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે મિસાઈલને પરમાણુ સંચાલિત સબમરીન ઈંગજ અરિઘાતથી લોન્ચ કરવામાં આવી હતી. તેની રેન્જ 3500 કિમી છે.



