રિસર્ચ બજેટમાં ફંડ વધારી શકાય તેમ નથી : એજન્સીઓએ હાથ ઉંચા કરી દીધા
લેબોરેટરી રસાયણો પર કસ્ટમ ડ્યુટીમાં 10 ટકા થી વધારીને 150 ટકા કરવાના સરકારના નિર્ણયને પગલે સમગ્ર ભારતમાં યુનિવર્સિટી રીસર્ચ કેન્દ્રો આ નિયમો રદ થવાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના બજેટમાં જાહેર કરાયેલા ટેક્સે લેબમાં સંશોધન બજેટને બહાર ફેંકી દીધું હોય તેમ લાગી રહ્યું છે.
- Advertisement -
ભૌતિકશાસ્ત્ર અને ગણિત સિવાયની તમામ સંશોધન પ્રયોગશાળાઓ પ્રમાણિત સપ્લાયર્સ પાસેથી આંતરરાષ્ટ્રીય ધોરણના રસાયણો ખરીદે છે. ફંડિંગ એજન્સીઓએ વૈજ્ઞાનિકોને પહેલેથી જ જાણ કરી દીધી છે કે આયાતી સામગ્રી પરના વધારાના ડ્યુટી બોજને શોષવા માટે ફાળવણીમાં વધારો કરવામાં આવશે નહિ.
એક ફેકલ્ટ મેમ્બરે જણાવ્યું હતું કે “મારી લેબ એક મધ્યમ કદની લેબ છે, જે બાયોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે,. રસાયણ પરનો મારો વાર્ષિક ખર્ચ લગભગ રૂ।5 થી 50 લાખનો છે નવા ધારાધોરણો મુજબ, આ ખર્ચ પર કરનો બોજ રૂ। 1 કરોડ રૂપિયાનો થશે, અને મારું કુલ બિલ હવે રૂ। 1.5 કરોડનું થઈ જશે.”
બજેટ પ્રમાણે વર્ગીકૃત થયેલ લેબ કેમિકલ પર કસ્ટમ ડ્યુટીનો દર 10 ટકા થી વધારીને 150 ટકા કરવામાં આવ્યો છે. એચએસ 98020000 કોડ છે જેના હેઠળ લગભગ 40000 વિવિધ પ્રકારના કેમિકલો સૂચિબદ્ધ કરેલા છે. આ કોડ હેઠળના રસાયણોનો આપણે 90 થી 95 ટકાનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગના મૂળભૂત પ્રયોગો માટે પણ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ક્ષાર જેવા રસાયણોની જરૂર પડે છે.
- Advertisement -
એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, તેઓ જે સામગ્રી મેળવે છે તે સમાન ધોરણોને પૂર્ણ કરવા માટે પ્રમાણિત સપ્લાયર્સ પાસેથી ખરીદેલી હોવી જોઈએ જેથી રસાયણોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા પ્રયોગો નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ધોરણોને પરીપૂર્ણ કરી શકે. વિશ્વમાં આઇઆઇટી જેવી સંસ્થા માટે પણ રસાયણો પાછળ ખર્ચ તેના વાર્ષિક સરેરાશ બજેટના અમુક ટકા જ હોય છે.
વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, સેલ્યુલર અને માઇક્રોબાયોલોજી સાથે કામ કરતા કેન્દ્રની વિશિષ્ટ લેબમાં, રસાયણો પરનો ખર્ચ વધુ હોય શકે છે., અગાઉ ટેક્સ સહિત રૂ।.1 લાખનો ખરીદ ઓર્ડર હતો જે હવે 2.5 લાખને સ્પર્શશે. 1 લાખની કિંમતનું રસાયણ અને રૂ।.5 લાખનો ટેક્સ છે.
ટોચની લેબ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકને પત્રમાં જણાવ્યું હતું કે, 24 જુલાઈ, 2024 ના રોજ, લેબ રસાયણો પરની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી શિપિંગ પ્રોડક્ટ અને ઘણા ઉત્પાદનોને અસર થશે. અસરોને સમજવા માટે વિવિધ સરકારી સત્તાવાળાઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ અને લેબને આ ભારે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે.તેઓ દેશમાં સંશોધન સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે. હું આને 5 જી સમસ્યાઓ કહું છું 1 જીએસટી પહેલેથી જ એક પીડા હતી અને હવે, જીઈએમ ,જીટીઈ, અને જીએફઆર આ બધી નવા બજેટની સમસ્યાઓ છે.