વિશેષ:પરેશ રાજગોર
સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી હવેલી અને તેમાં રહેતા પંડિત પરિવારનો ઈતિહાસ
- Advertisement -
લગભગ 100 વર્ષ ઉપર જૂની અને જર્જરિત હવેલી જે આપ ઉપરોક્ત ફોટોમાં જોઈ રહ્યા છો તે રેસકોર્ષ પાસે આવેલા સીતારામ પંડિત માર્ગ (આકાશવાણી રોડ) પર આવેલી છે. તેની તદ્દન બાજુમાં જ્યાં હાલ તક્ષશિલા એપાર્ટમેન્ટ બનેલ છે ત્યાં આવી જ સમાન અને વિશાળ જગ્યામાં બનેલ હવેલી હતી જેનું નામ હતું ‘પંડિત હાઉસ.’ જેનો સીધો ઈતિહાસ સ્વતંત્રતાની લડત અને ભારતીય રાજકારણ સાથે જોડાયેલ હતો. આ બધી જમીનોના માલિક સીતારામ નારાયણ પંડિત એ હવેલીમાં તારાબાઈ, રમાબાઈ, રણજીત અને પ્રતાપ વગેરે પરિવારજનો સાથે વસતા હતાં. જેઓ એક રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર હતો. જે સંસ્કૃતના વિદ્વાનો હતા જેના સંસ્કૃત પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ જે પાછળથી રશિયનમાં પણ થયેલો. આ પરિવારના ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર છે.
સીતારામ પંડિતના બેરિસ્ટર પુત્ર રણજીત પંડિત સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના બહેન સરૂપકુમારીના લગ્ન થયેલ, જેને સાસરીયે અપાયેલ નામ વિજયાલક્ષ્મી પંડિતના નામે આપણે ઓળખીએ છીએ. વિજ્યાલક્ષ્મી રાજકોટ સાસરે આવ્યા બાદ માત્ર એક જ વર્ષ રહ્યાં જેનું કારણ તેઓએ પોતાની આત્મકથા, ‘ધ સ્કોપ ઓફ હેપીનેસ’માં માત્ર એક લીટીમાં જણાવેલ છે કે રાજકોટમાં સંયુક્ત અને રૂઢિચુસ્ત સાસરામાં તેઓ અનુકૂળ ન થઈ શક્યા કેમ કે તેઓના લગ્ન ગાંધીજીની હાજરીમાં તદ્દન સાદગીથી અલ્હાબાદના ‘આનંદ ભવન’માં થયેલાં જે પંડિત પરિવારને પસંદ ન હોવાથી તેઓનું વર્તન હંમેશાં ઉષ્માવિહોણું હતું. ઝયળાયતિં બજ્ઞક્ષિ ‘આંધીનો જન્મ’ એવો તાર જેના જન્મ સમયે દૂર રહેલાં પિતાને થયેલો તે દીકરી વિજ્યાલક્ષ્મી સ્વભાવ સાથે આ શબ્દ જીવનભર વણાઈ ગયો. રાજકોટથી પતિ સાથે દિલ્હી ગયા બાદ બંને સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાઈ ગયા. આઝાદીના દરેક લડવૈયાની જેમ તેઓએ પણ આની કિંમત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂકવી. વિજ્યાલક્ષ્મી અને તેની ત્રણેય દીકરીઓ જીવનભર ‘ઘર’ માટે તરસતાં રહ્યાં અને 1944માં જ જેલવાલ દરમિયાન રણજીત પંડિતનું મૃત્યુ થયું. જો કે આઝાદીની લડતમાં ઝંપલાવતા જ પતિ-પત્નીએ જેલવાસની તૈયારી કરી લીધેલી.
ઉમાકાન્ત પંડિતે ‘હટાણા બજાર’ જેવા રાજકોટ શહેરમાં ઉદ્યોગ સ્થાપ્યાં, જેના નામે હાલ ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર
- Advertisement -
પોતાની ત્રણ પુત્રીઓના માનસ પર આવી અસર ન પડે તે માટે પ્રથમ વખત જેલમાં જવાનું બન્યું ત્યારે રોજીંદા બ્રેડ-બટરની જગ્યાએ ચોકલેટ કેક મંગાવી અને દીકરીઓને સમજાવ્યું કે દેશની આઝાદી માટે ખુદની મરજીથી જ તેઓ જઈ રહ્યાં છે. આ ક્રમ પાછળથી એટલો સામાન્ય બની ગયો કે ચોકલેટ કેકનું આગમન એટલ માતા કે પિતાનું જેલગમન. આગળ જતાં તેમની દીકરી નયનતારા સહગલે પોતાની આત્મકથાને નામ આપેલું ‘પ્રિઝન એન્ડ ધ ચોકલેટ કેક!’સોળ મહિનાના જેલવાસ બાદ ઘરે પહોંચ્યા તો ત્રણ વર્ષની નાની દીકરી તેની પાસે જવા તૈયાર નહોતી, તે માને ભૂલી ગયેલી અને મોટી બેની આંખોમાં ‘અનાથ’ જેવા ભાવ હતાં.
આઘાતનો સિલસિલો કદી ન અટક્યો. પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ બેંક ખાતા સ્થગિત કરાવી દીધા ત્યારે હિંદુ વિધવા ખાસ કરીને જેને પુત્ર ન હોય તેને વારસાઈ હક્ક ન હતો તેથી પોતાના જેવો અન્યાય અન્ય વિધવા સાથે ન થાય તે માટે હિંદુ વિધવાઓના વારસાઈ હક્કને ધ્યાય બનાવી લડતાં રહ્યાં અને જીત્યા પણ ખરા! પતિના મૃત્યુ બાદ બાપુના કહેવાથી અમેરિકા ગયા અને ત્યાં ભારતની આઝાદી માટે જાગૃતિ કેળવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું.
1947માં રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ગયા જ્યાં અન્ય રાજદૂતો સાથે એકમાત્ર સ્ત્રી હોવા છતાં સમાન રીતે કામ કર્યું. 1953માં પોતે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ દેશનું ગૌરવ વધાર્યુ. તેર વર્ષ બાદ ભારત પાછા ફર્યા તો ફરી એ અહેસાસ થયો કે ‘ઘર’ તો હતું જ નહીં કેમ કે જે મોટા હતા તે મૃત્યુ પામેલા અને નાના હતા તે અભ્યાસ કે અન્ય હેતુથી દૂર થઈ ગયેલા. ભાઈ સાથે રહેવા લાગ્યા તો ભાઈ સાથેની નિકટતા અને ભાભી પ્રત્યેની અવગણનાએ ભાવિ વડાપ્રધાન એવા ભત્રીજી ઈન્દિરાના મનમાં કાયમી અણગમો ઉપજાવ્યો. દિલ્હીથી દૂર રહેવા મહારાષ્ટ્રના ગવર્નરપદની ભાઈની ઓફર સ્વીકારી મુંબઈ શિફ્ટ થયાં. પરંતુ જવાહરલાલના મૃત્યુ પછી શાસ્ત્રીજીના કહેવાથી તેની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. ઈન્દિરા સાથે વધતાં જતાં અંતર બાદ ‘ફૂઈ મને તમારા પર સ્હેજે વિશ્ર્વાસ નથી’
પંડિત વિજ્યા લક્ષ્મીનો નાતો રાજકોટ શહેર સાથે જોડાયેલો છે
એવા ઈન્દિરાના શબ્દો બાદ રાજીનામું આપી રાજકારણથી દૂર રહેવા દહેરાદૂન ચાલ્યા ગયાં.
ઈન્દિરા દ્વારા 1975માં કટોકટી લદાતા પોતે ભાઈ સાથે જેનું સપનું જોયું તે આઝાદ ભારત આવું ન હોય શકે તેમ માની રાજકારણમાં પાછા ફર્યાં. 1979માં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકેની ફરજ બાદ જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા.વિજ્યાલક્ષ્મી જે ઝંઝાવાતી ગુસ્સા અને ધાણીફૂટ અંગ્રેજી બોલનારા તથા બહુમુખી પ્રતિભાના માલિક તરીકે જાણીતા વિચક્ષણ નારી તરીકે પંકાયેલ હતાં જેણે ભારતીય રાજકારણમાં અને હોદ્દાઓ પર પોતાનું નામ અંકિત કર્યું. 1900માં જન્મથી શરૂ કરેલ 1990 સુધીની તેમની જીવનયાત્રાનો વિશાળ હિસ્સો તેઓએ સક્રિય રાજકારણમાં વિતાવ્યો.
શિક્ષણ સમિતિના ચેરમેનથી લઈ 1935માં ભારતના પ્રથમ કેન્દ્રીય મંત્રી બન્યાં. અવારનવાર ભાઈ દ્વારા ‘તેજોવધ’નો ભોગ બન્યાં કેમ કે સામાન્ય લોકોની જેમ નહેરુ પરિવારના પુરુષો પણ અહમ્ અને સ્ત્રીઓને ઓછી આંકવાની વૃત્તિથી પર નહોતાં, છતાં વિજ્યાલક્ષ્મીએ આને હંમેશાં ભઈલાની મરજી અને પ્રેમ સમજ્યો.માત્ર એક લીટીના વર્ણન જેટલા રાજકોટ નિવાસ જેટલો જ વિજ્યાલક્ષ્મીનો નાતો આપણા શહેર સાથે રહ્યો. એ સિવાયના પંડિત પરિવારમાંથી પણ હાલ અહીં કોઈનો વસવાટ નથી, પરંતુ જાહેરજીવનમાં તેઓ છવાતા રહ્યાં. જેમ કે રણજીત પંડિતના ભત્રીજી શારદા પંડિત જેઓએ એરમાર્શલ મુખર્જી સાથે લગ્ન કરેલ તે શારદા મુખર્જી 1978માં ગુજરાત રાજ્યના ગવર્નર બનેલા.
સૌજન્ય : દિવ્યેશ અઘેરા, મનિષ રાડિયા, દિપ શુક્લ