ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર સજનસિંહ પરમાર ઝોન-01 તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ.બારીઆ ઉતર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા નાઓએ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હદના હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે આગામી દિવસોમાં આવનાર તહેવારો જેવા કે ચેટીચાંદ, ઈદ, ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામ નવમી વિગેરે અનુસંધાને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતી જળવાઇ રહે અને કોમી એકતા જળવાય રહે તે હેતુથી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.
- Advertisement -
જેમાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો હાજર રહેલ અને દરેકને ઉપરોક્ત તહેવારો નિમીતે શાંતી અને કોમી એકતા જાળવી રાખવા અને સોશ્યલ મીડીયાના ખોટા દુર ઉપયોગથી વાયરલ થતા મેસેજોથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સંબંધે સમજ કરેલ અને તમામ આગેવાનો એ પોતાના સમાજના માણસોને વિનંતી કરી સહયોગ આપવા જણાવવામાં આવેલ જેમાં આગેવાનો એ સહમતી દર્શાવેલ અને આગામી તહેવારો શાંતી પુર્વક કોમી એકતા સાથે તહેવારની ઉજવણી થાય તેવી દરેકે ખાત્રી આપેલ.