ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
ભારતના 12 જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર હતી વડોદરા ના 70 વર્ષના વણિક નીતિન બુમિયાએ સોમનાથ મહાદેવ મંદિરથી બહાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા બાઈક ઉપર કરવાના મંગળ પ્રવાસને પ્રસ્થાન કરાવ્યું. નીતિનભાઈ કહે છે આ મારી બાઈક યાત્રા 45 દિવસની છે અને કુલ 12 હજાર કિલોમીટર જેવી આ યાત્રા નું અંતર થાય છે. યાત્રાના આ દિવસોમાં દરરોજ સવારે છ થી બપોરે 2 વાગ્યા સુધી 400 કિલોમીટરનો મારો બાઇક પ્રવાસ રહેશે. નીતિનભાઈ પોતે ગછઈં તરીકે વિદેશમાં રહેલ છે અને 1985 નાં વર્ષમાં તેઓએ આખાં ભારતનો બાઈક પ્રવાસ કરેલ હતો. આજે જે બાઈક થી યાત્રા કરશે તેનું નામ હાર્લી ડેવિડસન છે.
- Advertisement -
સોમનાથથી તેઓ દ્વારકા પાસેના નાગેશ્ર્વર અને એ રીતે બારે જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરશે. કાળઝાળ ગરમીમાં અને 70 વર્ષની ઉંમરે સાહસિકતા અને પ્રેરણા આપતી આ યાત્રાને એલસીબી ગીર સોમનાથ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા તથા એ.એસ.આઇ ગોવિંદ વંશે શ્રીફળ અને સાકરપડો આપી શુભેચ્છા આપી આ યાત્રાને બિરદાવી હતી તેમજ સોમનાથ આવેલા યાત્રિકોએ પણ જય સોમનાથના ઘોષનાદ સાથે ભવ્ય વિદાય આપી હતી. યાત્રા પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક કરી ભારત દેશના કલ્યાણ ની પ્રાર્થના કરી હતી.