માવધપુરનાં મેળાને લઇ ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષવા પહેલ
ગીર સોમનાથ જિલ્લા કલેકટરએ હોટલ સંચાલકો સાથે કરી બેઠક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આગામી 10 થી 13 એપ્રિલ સુધી યોજાશે મહામહિમ રાષ્ટ્રપતિ, ઉત્તર પૂર્વના આઠ રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતી રહેશે. તેમજ દેશવિદેશના લોકો માધવપુરના મેળાને માણવા તેમજ ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે જિલ્લામાં સોમનાથ અને તાલાલા ખાતે આવતા યાત્રીકો માધવપુરના મેળાનો લાભ લઇ શકે તેના માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વેરાવળ અને તાલાલાના હોટલ સંચાલકો અને માલિકોની મીટીંગ યોજાઇ હતી. જેમાં વેરાવળ અને તાલાલાની તમામ હોટલોમાં મેળા દરમ્યાન આવનાર ટૂરિસ્ટોને 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે હોટેલથી માધવપુર સુધી લઈ જવા માટે ગાઈડ સાથે બસની ઉત્તમ સુવિધા ભોજન સહિતની વ્યવસ્થા વાજબી દરે ટુરીસ્ટ પેકેજમાં પૂરી પાડવામાં આવશે.
આ તમામ માહિતી હોટલોના રિસેપ્શન પર પોસ્ટર દ્વારા લગાવીને સોમનાથ અને તાલાલા આવતા યાત્રીઓને માધવપુરના મેળા ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં નક્કી કરાયું હતું.