- બંગાળમાં સૌથી વધુ સુરક્ષા કવચ: દર વર્ષે જાહેર જીવનના લોકો પર વધતા ખતરા પરથી વધારાતી સુરક્ષા વ્યવસ્થાઓ: SPG માત્ર વડાપ્રધાન માટે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વીઆઈપીની સુરક્ષા પાછળ વર્ષે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને તેમાં સૌથી વધુ સુરક્ષા કવચ પશ્ર્ચિમ બંગાળમાં રહેલું છે. 2019માં વીઆઈપી અને વીવીઆઈપી લોકોની સુરક્ષા માટે 20 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
2019 માં 19,467 મંત્રીઓ, સાંસદો, ન્યાયાધીશો, અધિકારીઓ અને અન્ય વ્યક્તિત્વની સુરક્ષા માટે 66,043 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે 2018માં 63,061 પોલીસકર્મીઓ તૈનાત હતા. ગૃહ મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટમાં આ આંકડો આપવામાં આવ્યો છે. તેમાંથી 43,566 પોલીસકર્મીઓ હતા.
- Advertisement -
વીઆઈપી સુરક્ષા કાફલામાં લગભગ 30 હજાર વાહનો સામેલ હતા. તેમની સુરક્ષા માટે 60 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને વાર્ષિક ખર્ચ 12 હજાર કરોડ રૂપિયા હતો. આ ખર્ચમાં માત્ર સુરક્ષા કર્મચારીઓનો પગાર અને પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ સામેલ છે. ખાવા-પીવાનું, મુસાફરી ભથ્થું અને ભથ્થા અલગ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આ ખર્ચ ઉઠાવે છે.
દેશના ખાસ સન્માનિત લોકોનો જીવ જોખમમાં હોય છે. રાજકારણીઓ, ન્યાયાધીશો, પત્રકારો, અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ જેવા લોકો ઘણીવાર તેમના જીવના ખતરાનો સામનો કરે છે. આ ખતરો કોઈપણ પ્રકારનો હોઈ શકે છે, જેમ કે આતંકવાદી હુમલા, રાજકીય હત્યા, અપહરણ, રમખાણો, સામાન્ય ગુનાઓ. આવી સ્થિતિમાં તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
દેશના ખાસ અને પ્રખ્યાત લોકોને અલગ-અલગ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. આ મંત્રીઓને આપવામાં આવતી સુરક્ષા કરતાં અલગ છે. આ માટે સરકારને પહેલા સુરક્ષા માટે અરજી કરવી પડશે. આ પછી ગુપ્તચર એજન્સીઓ સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરે છે. જો ધમકીની પુષ્ટી થાય તો સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
- Advertisement -
ગૃહ સચિવ, મહાનિર્દેશક અને મુખ્ય સચિવની સમિતિ નક્કી કરે છે કે સંબંધિત વ્યક્તિને કઈ સુરક્ષા કેટેગરીમાં રાખવામાં આવશે. ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને છ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જે જોખમના સ્તર પર આધારિત છે. એકસ, વાય, ઝેડ, વાય+, ઝેડ+ અને એસપીજી સુરક્ષા છે. દરેક કેટેગરી માટે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી વિવિધ એજન્સીઓની હોય છે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ઉચ્ચ સ્તરની સુરક્ષા છે.
દેશમાં માત્ર વડાપ્રધાનને જ આ રક્ષણ મળે છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની રચના ઓક્ટોબર 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કરવામાં આવી હતી. 1988માં સંસદમાં એસપીજી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. અગાઉ આ સુરક્ષા પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને પણ આપવામાં આવતી હતી. પરંતુ મોદી સરકારે કાયદામાં સુધારો કરીને જોગવાઈ કરી છે કે આ સુરક્ષા ફક્ત વર્તમાન વડાપ્રધાનને જ મળશે.
2019માં પશ્ર્ચિમ બંગાળમાં વીઆઇપીની સુરક્ષા માટે સૌથી વધુ 3142 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. આ પછી પંજાબ 2594 સાથે બીજા સ્થાને હતું. બિહારમાં 2347 વિશેષ લોકોને, હરિયાણામાં 1355 અને ઝારખંડમાં 1351 લોકોને સુરક્ષા આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસે 501 લોકોને વ્યક્તિગત સુરક્ષા આપવા માટે સૌથી વધુ 8182 જવાનો તૈનાત કર્યા હતા. રાજધાની દિલ્હી ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓનું નિવાસસ્થાન છે. ખાસ વાત એ છે કે દિલ્હી પોલીસે બહારથી વાહનોની વ્યવસ્થા કરવી પડે છે.
બસપા ચીફ માયાવતીના ભત્રીજા અને તેમના ઉત્તરાધિકારી આકાશ આનંદને ઢ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા ગૃહ મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે તે ઉલ્લેખનીય છે.