મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન
સંતો-મહંતો, રાજકીય, ઔદ્યોગિક અને અગ્રણીઓ નવયુગલોને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે
- Advertisement -
રેસકોર્સમાં JMJ ગ્રુપના ચેરમેન મયુરધ્વજસિંહજી જાડેજા વ્હાલીના વધામણાં કરી ‘ક્ધયાદાન’ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
જેએમજે ગ્રુપ રાજકોટ દ્વારા તા. 7 ને રવિવારે સવારે 10-00 કલાકે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્વજ્ઞાતિની 101 દીકરીઓના સમૂહલગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક પ્રસંગે સંતો-મહંતો, સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અગ્રણીઓ નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપવા ઉપસ્થિતિ રહેશે. જ્યારે તમામ દીકરીઓને ક્ધયાદાનમાં લાખેણો કરિયાવર આપી સ્વગૃહે વળાવાશે. હાલ કોઈપણ સમાજના મધ્યમ વર્ગીય પરિવારને લગ્નના મોંઘા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓને સમૂહ લગ્નના માધ્યમથી મદદરૂપ થવા રાજકોટના બિલ્ડર અને સામાજિક અગ્રણી મયુરધ્વજસિંહ એમ. જાડેજાએ 101 દીકરીઓને વળાવવાના લીધેલા શુભ સંકલ્પની ફલશ્રુતિ સ્વરૂપે તારીખ 7 એપ્રિલ ને રવિવારે રેસકોર્સના ગ્રાઉન્ડમાં જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. વ્હાલીના વધામણાં, ક્ધયાદાન કરવા તેમજ આશીર્વાદ આપવા માટે આર્ષ વિદ્યામંદિર મુંજકાના પૂજ્ય પરમાત્માનંદ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જાણીતા સંગીતકાર ઓસમાણ મીર પણ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.
- Advertisement -
જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા તેરા તુજકો અર્પણના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈશ્વર દ્વારા જે તેમને મળ્યું છે તેનો વધુને વધુ ઉપયોગ સમાજ સેવામાં થાય તે જરૂરી છે. તેમના દ્વારા સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે દીકરીઓને નાનપ ન અનુભવાય તે માટે 41થી વધુ વસ્તુઓ કરિયાવરમાં રાખવામાં આવી છે જેમાં સોનાની ચૂક, ચાંદીના સાંકડા તથા ઘરવખરીની તમામ ચીજો નો સમાવેશ થયો છે.
સમૂહ લગ્ન એ સમાજની શ્રેષ્ઠ સુવિધા છે : મયુરધ્વજસિંહ જાડેજા
સમૂહ લગ્નના આયોજક મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે. કારણ કે જ્યારે કોઈ બાપ તેમના દીકરા અથવા તો દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ પોતાના હાથ ઉપર લાખો રૂપિયા રાખવા પડે છે અને પરિણામ સ્વરૂપે તે પહોંચી ન વળતા વ્યાજના ચક્રમાં પણ ચડી જાય છે. ત્યારે આ પ્રકારની દેખાદેખી ન કરવામાં આવે અને ખર્ચ ઉપર નિયંત્રણ રખાય તે હેતુસર સમુહ લગ્ન સમાજની એક્સપ્રેસ સુવિધા છે અને પરિણામ સ્વરૂપે તેઓએ પણ આ પ્રણાલીને અપનાવી પોતાના લગ્ન પણ સમૂહ લગ્નમાં જ કરવાનો નિર્ધાર કર્યો હતો. વધુમાં મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રસંગમાં જ્યારે મોંઘેરા મહેમાનો અને સંતો ઉપસ્થિત રહેતા હોય તો તેમના આશીર્વાદ મળવા એક ભાગ્યની વાત છે કારણ કે એક જ સ્થળ ઉપર આટલા બધા લોકોને એકસાથે હાજર રાખવા એ પણ એક સૌથી મોટું કાર્ય છે. બીજી તરફ સમૂહ લગ્ન જે હાથ ધરવામાં આવતા હોય ત્યાં સાત્વિક વાતાવરણ જ ઉભું થતું હોય છે અને નવયુગલોને તેનો મહત્તમ લાભ પણ મળતો હોય છે.
દીકરીઓને લાખેણો કરિયાવર આપી સ્વગૃહે વળાવાશે
સેવાભાવી અને સમાજસેવી મયુરધ્વજસિંહ જાડેજાનું માનવું છે કે, લગ્નમાં ખોટા ભબકા વગર ખર્ચ કરવો જોઈએ અને સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ. એટલું જ નહીં આ ખર્ચમાં જે રકમ બચે તે રકમનો ઉપયોગ જે દીકરીઓ હોય તેના કરિયાવર માટે થવો જોઈએ જેથી જીવનપર્યંત તેઓને એ ચીજ વસ્તુઓનો મહત્તમ લાભ મળી શકે.
સમૂહ લગ્ન અંગે માહિતી આપતા મયુરધ્વજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જેએમજે ગ્રુપ આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આશરે સવાસોથી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા ટોચ લેવલના અધિકારીઓ પણ હાજર રહેશે અને નવયુગલોને આશીર્વાદ આપશે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોરબંદર ખાતે એક સમૂહ લગ્નમાં ગયા ત્યારે તે આયોજનનો એક અલગ જ માહોલ ઊભો થયો હતો અને ગરીબ દીકરીઓમાં એક રાજીપો અને હાશકારો પણ નજરે પડતો હતો. એટલું જ નહીં માતા પિતાની જાણે ચિંતા દૂર થઈ હોય તેવું પણ ચિત્ર સામે આવ્યું હતું અને એ જ કિસ્સો પ્રેરણાસ્વરૂપ બન્યો, તેમના દ્વારા સમૂહ લગ્ન કરવાનું આયોજન હાથ ધરાયું. તેઓ ઉમેર્યું હતું કે સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત થાય તે માટે તેઓએ પણ સમૂહ લગ્નમાં જ લગ્ન કર્યા હતા. અત્યાર સુધી જે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમાં 188 દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમનું માનવું છે કે સમૂહ લગ્ન ખરા અર્થમાં એ પ્રણાલી છે
કે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, માં અનુભવો તથા સમાજ શ્રેષ્ઠિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવે. તેમના દ્વારા આયોજિત સમૂહ લગ્નની વિશેષતા એ જ છે કે તેઓ ડેકોરેશન કે હાઈફાઈ ખર્ચ નથી કરતા અને એ ખર્ચ ન કરવાથી જે રૂપિયાની બચત થાય છે તે કરિયાવરમાં તેનો ઉપયોગ કરાય છે જેથી નવયુગોલોને તેનો મહત્તમ લાભ મળી શકે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ક્ષત્રિય કુળથી જોડાયેલા છે અને પરિણામ સ્વરૂપે તેઓ નાતજાતના વાળાને ભૂલી સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે મહત્તમ લોકોને કઈ રીતે ઉપયોગી સાબિત થાય અને તેમની જરૂરિયાત કઈ રીતે પૂર્ણ થાય. આ કાર્ય કરવા બદલ તેમને પણ ઘણો ખરો આનંદ પણ મળે છે. અંતમાં તેઓએ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ હજુ પણ દીકરીઓ નો આંકડો વધશે તો પણ તેઓ સમૂહ લગ્ન કરશે કારણ કે તેઓ માને છે કે તેમને જે મળ્યું છે તે સમાજને પરત આપવું તેમની ફરજ છે.
લગ્ન બાદ પણ યુગલોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરીએ છીએ : મયુરધ્વજસિંહ જાડેજા
મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ ઘણા યુગલોને નાના નાના પ્રશ્નો સતાવતા હોય છે અને તેમના દ્વારા એ પ્રશ્નનું ત્વરિત નિવારણ પણ આપવામાં આવતું હોય છે. કારણ કે જ્યારે એ પ્રશ્ર્નના ઊંડાણમાં અને મૂળ્યા સુધી પહોંચવામાં આવે તો તે વાતમાં સહેજ પણ દમ હોતો નથી માત્ર ક્યાંક ને ક્યાંક ઈગો સહિતના પ્રશ્ર્નો જ જીવનમાં અડચણ ઊભી કરે છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, નવ યુગલઓએ હરહરમેશ જતું કરવાની ભાવના રાખવી જોઈએ અને મા બાપને સાચવવાની ફરજ નિભાવી જોઈએ જો નવયુગલો આટલું કરતા થાય તો તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉદભવશે નહીં તે વાત નક્કી છે.
JMJ ગ્રુપ – મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગને સમાજના મોભી અને શ્રેષ્ઠીઓએ બિરદાવ્યો
મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના શ્રેષ્ઠિઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે. કારણ કે જ્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે સમાજમાં એક વ્યક્તિ દ્વારા સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સમાજ ઉપયોગી કામ નીવડે છે ત્યારે સમાજના મોભીઓ અને શ્રેષ્ઠિઓ વિવિધ રૂપે તેમનો આભાર પણ વ્યક્ત કરે છે અને તેમની કામગીરીને પણ બિરદાવે છે. સમાજના વિવિધ વર્ગના લોકો પત્ર વ્યવહાર કરી તેમનો આભાર અને કાર્યક્રમો અંગે રાજીપો પણ વ્યક્ત કરે છે જે ખરા અર્થમાં તેમની મહેનતની સફળતા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેમની ટીમનો સિંહફાળો છે કારણ કે દિવસરાત જોયા વગર જ તેઓ સમગ્ર કામગીરી ને પૂર્ણ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ અને અડચણ લોકોને અને નવયુગલને ન થાય તે માટેની પણ ઝીણવટપૂર્વકનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.