By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    53 minutes ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    1 hour ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    1 hour ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    2 hours ago
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
    7 minutes ago
    કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
    16 minutes ago
    CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
    1 hour ago
    ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
    1 hour ago
    રાજનાથ સિંહે INS વિક્રાંતની મુલાકાત લીધી, નૌકાદળના અધિકારીઓને મળ્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    1 day ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    1 day ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    3 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    33 minutes ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    2 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    3 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    3 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    4 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: JMJ ગ્રુપ દ્વારા 101 દીકરીના સમૂહ લગ્નનો રૂડો અવસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > JMJ ગ્રુપ દ્વારા 101 દીકરીના સમૂહ લગ્નનો રૂડો અવસર
રાજકોટ

JMJ ગ્રુપ દ્વારા 101 દીકરીના સમૂહ લગ્નનો રૂડો અવસર

Khaskhabar Editor
Last updated: 2024/04/06 at 6:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન

સંતો-મહંતો, રાજકીય, ઔદ્યોગિક અને અગ્રણીઓ નવયુગલોને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે

- Advertisement -

રેસકોર્સમાં JMJ ગ્રુપના ચેરમેન મયુરધ્વજસિંહજી જાડેજા વ્હાલીના વધામણાં કરી ‘ક્ધયાદાન’ કરશે

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.6

જેએમજે ગ્રુપ રાજકોટ દ્વારા તા. 7 ને રવિવારે સવારે 10-00 કલાકે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્વજ્ઞાતિની 101 દીકરીઓના સમૂહલગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક પ્રસંગે સંતો-મહંતો, સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અગ્રણીઓ નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપવા ઉપસ્થિતિ રહેશે. જ્યારે તમામ દીકરીઓને ક્ધયાદાનમાં લાખેણો કરિયાવર આપી સ્વગૃહે વળાવાશે. હાલ કોઈપણ સમાજના મધ્યમ વર્ગીય પરિવારને લગ્નના મોંઘા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓને સમૂહ લગ્નના માધ્યમથી મદદરૂપ થવા રાજકોટના બિલ્ડર અને સામાજિક અગ્રણી મયુરધ્વજસિંહ એમ. જાડેજાએ 101 દીકરીઓને વળાવવાના લીધેલા શુભ સંકલ્પની ફલશ્રુતિ સ્વરૂપે તારીખ 7 એપ્રિલ ને રવિવારે રેસકોર્સના ગ્રાઉન્ડમાં જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. વ્હાલીના વધામણાં, ક્ધયાદાન કરવા તેમજ આશીર્વાદ આપવા માટે આર્ષ વિદ્યામંદિર મુંજકાના પૂજ્ય પરમાત્માનંદ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જાણીતા સંગીતકાર ઓસમાણ મીર પણ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા તેરા તુજકો અર્પણના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈશ્વર દ્વારા જે તેમને મળ્યું છે તેનો વધુને વધુ ઉપયોગ સમાજ સેવામાં થાય તે જરૂરી છે. તેમના દ્વારા સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે દીકરીઓને નાનપ ન અનુભવાય તે માટે 41થી વધુ વસ્તુઓ કરિયાવરમાં રાખવામાં આવી છે જેમાં સોનાની ચૂક, ચાંદીના સાંકડા તથા ઘરવખરીની તમામ ચીજો નો સમાવેશ થયો છે.

સમૂહ લગ્ન એ સમાજની શ્રેષ્ઠ સુવિધા છે : મયુરધ્વજસિંહ જાડેજા

સમૂહ લગ્નના આયોજક મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે. કારણ કે જ્યારે કોઈ બાપ તેમના દીકરા અથવા તો દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ પોતાના હાથ ઉપર લાખો રૂપિયા રાખવા પડે છે અને પરિણામ સ્વરૂપે તે પહોંચી ન વળતા વ્યાજના ચક્રમાં પણ ચડી જાય છે. ત્યારે આ પ્રકારની દેખાદેખી ન કરવામાં આવે અને ખર્ચ ઉપર નિયંત્રણ રખાય તે હેતુસર સમુહ લગ્ન સમાજની એક્સપ્રેસ સુવિધા છે અને પરિણામ સ્વરૂપે તેઓએ પણ આ પ્રણાલીને અપનાવી પોતાના લગ્ન પણ સમૂહ લગ્નમાં જ કરવાનો નિર્ધાર કર્યો હતો. વધુમાં મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રસંગમાં જ્યારે મોંઘેરા મહેમાનો અને સંતો ઉપસ્થિત રહેતા હોય તો તેમના આશીર્વાદ મળવા એક ભાગ્યની વાત છે કારણ કે એક જ સ્થળ ઉપર આટલા બધા લોકોને એકસાથે હાજર રાખવા એ પણ એક સૌથી મોટું કાર્ય છે. બીજી તરફ સમૂહ લગ્ન જે હાથ ધરવામાં આવતા હોય ત્યાં સાત્વિક વાતાવરણ જ ઉભું થતું હોય છે અને નવયુગલોને તેનો મહત્તમ લાભ પણ મળતો હોય છે.

દીકરીઓને લાખેણો કરિયાવર આપી સ્વગૃહે વળાવાશે

સેવાભાવી અને સમાજસેવી મયુરધ્વજસિંહ જાડેજાનું માનવું છે કે, લગ્નમાં ખોટા ભબકા વગર ખર્ચ કરવો જોઈએ અને સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ. એટલું જ નહીં આ ખર્ચમાં જે રકમ બચે તે રકમનો ઉપયોગ જે દીકરીઓ હોય તેના કરિયાવર માટે થવો જોઈએ જેથી જીવનપર્યંત તેઓને એ ચીજ વસ્તુઓનો મહત્તમ લાભ મળી શકે.

સમૂહ લગ્ન અંગે માહિતી આપતા મયુરધ્વજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જેએમજે ગ્રુપ આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આશરે સવાસોથી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા ટોચ લેવલના અધિકારીઓ પણ હાજર રહેશે અને નવયુગલોને આશીર્વાદ આપશે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોરબંદર ખાતે એક સમૂહ લગ્નમાં ગયા ત્યારે તે આયોજનનો એક અલગ જ માહોલ ઊભો થયો હતો અને ગરીબ દીકરીઓમાં એક રાજીપો અને હાશકારો પણ નજરે પડતો હતો. એટલું જ નહીં માતા પિતાની જાણે ચિંતા દૂર થઈ હોય તેવું પણ ચિત્ર સામે આવ્યું હતું અને એ જ કિસ્સો પ્રેરણાસ્વરૂપ બન્યો, તેમના દ્વારા સમૂહ લગ્ન કરવાનું આયોજન હાથ ધરાયું. તેઓ ઉમેર્યું હતું કે સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત થાય તે માટે તેઓએ પણ સમૂહ લગ્નમાં જ લગ્ન કર્યા હતા. અત્યાર સુધી જે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમાં 188 દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમનું માનવું છે કે સમૂહ લગ્ન ખરા અર્થમાં એ પ્રણાલી છે

કે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, માં અનુભવો તથા સમાજ શ્રેષ્ઠિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવે. તેમના દ્વારા આયોજિત સમૂહ લગ્નની વિશેષતા એ જ છે કે તેઓ ડેકોરેશન કે હાઈફાઈ ખર્ચ નથી કરતા અને એ ખર્ચ ન કરવાથી જે રૂપિયાની બચત થાય છે તે કરિયાવરમાં તેનો ઉપયોગ કરાય છે જેથી નવયુગોલોને તેનો મહત્તમ લાભ મળી શકે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ક્ષત્રિય કુળથી જોડાયેલા છે અને પરિણામ સ્વરૂપે તેઓ નાતજાતના વાળાને ભૂલી સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે મહત્તમ લોકોને કઈ રીતે ઉપયોગી સાબિત થાય અને તેમની જરૂરિયાત કઈ રીતે પૂર્ણ થાય. આ કાર્ય કરવા બદલ તેમને પણ ઘણો ખરો આનંદ પણ મળે છે. અંતમાં તેઓએ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ હજુ પણ દીકરીઓ નો આંકડો વધશે તો પણ તેઓ સમૂહ લગ્ન કરશે કારણ કે તેઓ માને છે કે તેમને જે મળ્યું છે તે સમાજને પરત આપવું તેમની ફરજ છે.

લગ્ન બાદ પણ યુગલોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરીએ છીએ : મયુરધ્વજસિંહ જાડેજા
મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ ઘણા યુગલોને નાના નાના પ્રશ્નો સતાવતા હોય છે અને તેમના દ્વારા એ પ્રશ્નનું ત્વરિત નિવારણ પણ આપવામાં આવતું હોય છે. કારણ કે જ્યારે એ પ્રશ્ર્નના ઊંડાણમાં અને મૂળ્યા સુધી પહોંચવામાં આવે તો તે વાતમાં સહેજ પણ દમ હોતો નથી માત્ર ક્યાંક ને ક્યાંક ઈગો સહિતના પ્રશ્ર્નો જ જીવનમાં અડચણ ઊભી કરે છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, નવ યુગલઓએ હરહરમેશ જતું કરવાની ભાવના રાખવી જોઈએ અને મા બાપને સાચવવાની ફરજ નિભાવી જોઈએ જો નવયુગલો આટલું કરતા થાય તો તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉદભવશે નહીં તે વાત નક્કી છે.

JMJ ગ્રુપ – મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગને સમાજના મોભી અને શ્રેષ્ઠીઓએ બિરદાવ્યો

મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના શ્રેષ્ઠિઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે. કારણ કે જ્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે સમાજમાં એક વ્યક્તિ દ્વારા સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સમાજ ઉપયોગી કામ નીવડે છે ત્યારે સમાજના મોભીઓ અને શ્રેષ્ઠિઓ વિવિધ રૂપે તેમનો આભાર પણ વ્યક્ત કરે છે અને તેમની કામગીરીને પણ બિરદાવે છે. સમાજના વિવિધ વર્ગના લોકો પત્ર વ્યવહાર કરી તેમનો આભાર અને કાર્યક્રમો અંગે રાજીપો પણ વ્યક્ત કરે છે જે ખરા અર્થમાં તેમની મહેનતની સફળતા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેમની ટીમનો સિંહફાળો છે કારણ કે દિવસરાત જોયા વગર જ તેઓ સમગ્ર કામગીરી ને પૂર્ણ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ અને અડચણ લોકોને અને નવયુગલને ન થાય તે માટેની પણ ઝીણવટપૂર્વકનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

You Might Also Like

રાજકોટ ખાતે મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

રાજકોટમાં ખોડિયાર ડાયમંડ કારખાનામાંથી 61 લાખના હીરા ચોરી કરનાર ઝડપાયો

ચોમાસાંને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્સ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ 5ૂર્ણ કરવા આદેશ

સુરતમાં ATS બહાર ઊભા રહી લોકોને શીશામાં ઊતરતાં ગઠિયાને પોલીસે પકડ્યો

ટાઉન પ્લાનિંગ શાખાનું વોર્ડ-16માં ડિમોલિશન

TAGGED: JMJGroup, Rajkot, wedding
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તેલંગાણામાં બૌદ્ધ સ્થળેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળ્યો
Next Article બાલાજી હનુમાનજીને શનિવારે કેસરી સાફા સાથે રંગબેરંગી પુષ્પોનો શણગાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે
ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ ખાતે મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટમાં ખોડિયાર ડાયમંડ કારખાનામાંથી 61 લાખના હીરા ચોરી કરનાર ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

ચોમાસાંને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્સ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ 5ૂર્ણ કરવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?