ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત 75,000 મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ તે દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.08/09 /2023, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.
- Advertisement -
વધુમાં તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓને લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવેલ છે, વાહન પાર્કિંગમાં અવગડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
મુલાકાતીઓ તથા સમગ્ર પાર્કની સુરક્ષા જળવાઈ રહે તે માટે વધારાના સુરક્ષા કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ તહેવારો દરમ્યાન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે.